Learn Astrology in Gujarati - જ્યોતિષ શીખો ગુજરાતી માં
“જ્યોતિષ શીખો” નામ ના આ પાઠ્યક્રમ થી તમે ઝડપ થી જ્યોતિષ નું જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો. જ્યોતિષ શીખો - માં તમને અમારા સરળ લેખો દ્વારા જ્યોતિષ શાસ્ત્ર વિશે જણાવા માં આવશે. જ્યોતિષ શીખવા ના આ પાઠ્યક્રમ માં તમને ઘણી સરળ અને સહજ ભાષા માં જ્યોતિષ વિજ્ઞાન શીખવાડવા માં આવશે. ચાલો જાણીયે છે જ્યોતિષ વિદ્યા શીખવાની સરળ રીતો…
જ્યોતિષ વિદ્યા ની જરૂર કેમ ?
વેદિક કાળ માં અમારા ઋષિ મુનિઓએ 4 વેદો (ઋગવેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ) ની રચના કરી હતી. આ વેદો ને સમજવા માટે તેઓએ 6 વેદાંગો ની રચના કરી. જેમાં શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત ની સાથે જ્યોતિષ પણ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર એક વૈદિક કાલીન વિદ્યા છે જેમાં ગ્રહો ની ચળવળ અને પ્રભાવ થી મનુષ્ય ના ભવિષ્યફળ નું અધ્યયન કરવા માં આવે છે. વૈદિક જ્યોતિષ માં સૂર્ય, ચંદ્ર, મંગલ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ - કેતુ ને નવગ્રહો ની માન્યતા આપવા માં આવેલી છે. આ બધા ગ્રહો ગોચર કરતા દરેક રાશિ માં અમુક સમય માટે રહે છે અને આમના પ્રભાવો ના વિશ્લેષણ થી રાશિફળ બને છે. જ્યોતિષ માં જન્મ કુંડળી હંમેશ થી દરેક વ્યક્તિ માટે જિજ્ઞાસા નું વિષય રહ્યું છે. કેમકે જન્મ કુંડળી માં મનુષ્ય ના જીવન નું સાર હોય છે. જન્મ કુંડળી કેવી રીતે બનાવું અથવા જન્મ કુંડળી ની વિધિ જાણવું વધારે મુશ્કિલ કામ નથી.
જો તમે જ્યોતિષ વિદ્યા શીખવા માંગો છો, આમાં જન્મ કુંડળી બનાવું, વૈવાહિક કુંડળી મિલાન કરવું, રાશિફળ તૈયાર કરવું વગેરે કાર્યો ના વિશે જાણવાં માંગો છો તો અમારો આ જ્યોતિષ શીખો પાઠ્યક્રમ તમારા માટે ઘણું ફાયદા કારક રહેશે. આમાં કુંડળી બનાવા ની વિધિ, કુંડળી કેવી રીતે બનાવું, ફલાદેશ અને ગ્રહ ગોચર ના અધ્યયન વિશે વિસ્તાર થી માહિતી આપવા માં આવી છે.
આજ કાલ ઇન્ટરનેટ પર ઘણી જાત ના ઓનલાઇન સોફ્ટવેર હાજર છે જેમની સહાય થી જન્મ કુંડળી બનાવી શકાય છે, પરંતુ કુંડળી માં ગ્રહો ના અધ્યયન અને તેમના શુભ અને અશુભ ફાળો ના વિશે તમે ત્યારેજ જાણી શકો છો જયારે તમને જ્યોતિષ શાસ્ત્ર નું જ્ઞાન હોય. તમે અમારા આ કોર્સ માં જન્મ કુંડળી બનાવા ની સરળ વિધિ અને તેમાં ગ્રહો નો ફળ પણ જાણી શકશો. જ્યોતિષ વડે વ્યક્તિ ના જીવન નું સાર પણ જાણી શકાય છે.
જો જ્યોતિષ ના મહત્વ ની વાત કરીએ તો આ ભાગ દોડ થી ભરેલી દુનિયા માં દરેક વ્યક્તિ કોઈ ના કોઈ સમસ્યા થી રૂબરૂ થયી રહ્યો છે. કોઈ વ્યક્તિ પોતાની પારિવારિક સમસ્યા થી હેરાન છે તો કોઈક વ્યક્તિ નું પ્રેમ તેના થી નારાજ થયી ગયુ છે. વાજ કોઈ જાતક ને નોકરી નથી મળી રહી તો કોઈ જાતક પોતાના વિવાહ માં વિલમ્બ થી હેરાન છે. આવા માં લોકો ની સમસ્ત સમસ્યાઓ નું નિકાલ જ્યોતિષ ના જ્ઞાન થી કરી શકાય છે.
જ્યોતિષ વિધા થી ના કેવળ તમને ભવિષ્ય ની માહિતી મળે છે પરંતુ આમાં સમસ્યા ના નિવારણ માટે જોયોતીષીય ઉપાયો પણ જણાવા માં આવે છે. જો તમે આ ઉપાયો ને વિધિ પૂર્વક અપનાવો છો તો તમારી સમસ્યા નું સમાધાન થયી જાય છે. જો આ બધી વસ્તુઓ ને ગંભીરતા થી વિચારીએ તો અમને જ્યોતિષ શીખવા નો મહત્વ સારી રીતે સમજાશે.
જ્યોતિષ શીખો - ના કોર્સ વિશે
સાંસારિક જીવન માં વ્યક્તિ પોતાને વિશે એટલું જિજ્ઞાસુ નથી હોતો જેટલો કે એ પોતાના ઘર કુટુંબ ના સભ્યો, સંબંધીઓ, મિત્રો અને બીજા લોકો વિશે વિચારે છે. તે સદૈવ બીજા ની આકાંક્ષાઓ પુરી કરવા ના ઉદ્દેશ્ય થી મોહ-માયા ના ચક્ર માં ગૂંચવાયી જાય છે. પરંતુ જયારે વ્યક્તિ આધ્યાત્મિક જ્ઞાન ની તરફ વધે છે ત્યારે તે પોતાના અસ્તિત્વ નું કારણ શોધે છે. તે જાણવા માંગે છે તેના જન્મ નો વાસ્તવિક ઉદ્દેશ્ય શું છે?
વૈદિક શાસ્ત્રો મુજબ, જ્યોતિષ વિદ્યા ના દ્વારા આ ખબર પડે છે કે વ્યક્તિ નું આ સંસાર માં આવવા નું કારણ શું છે. ક્યા કાર્ય માટે તેનું જન્મ થયું છે. જ્યોતિષ વિજ્ઞાન દ્વારા વ્યક્તિ ને તેના સવાલો નો જવાબ મળે છે. તેથી અમારો ઉદ્દેશ્ય અમારા વાચકો ને જ્યોતિષ જ્ઞાન થી અવગત કરાવું છે અને તે ત્યારેજ શક્ય થયી શકશે જયારે તમે અમારા જ્યોતિષ શીખો કોર્સ ને ગંભીરતા થી લેશો.
જ્યોતિષ શીખો પાઠ્યક્રમ ને 26 ભાગો માં વિભાજીત કરવા માં આવ્યું છે. જેમકે અમે તમને ઉપર જણાયું કે આમ સરળ અને સુગમ લેખો છે. કોર્સ ને રુચિકર અને સરળ બનાવા માટે સરીલ લેખન શૈલી નો પ્રયોગ કરવા માં આવ્યું છે. આની ભાષા ઘણી સહજ અને સરળ છે જેને કોઈ પણ ગુજરાતી ભાષી સહેલાઇ થી સમજી શકે છે. સૌથી પહેલા આ પાઠ્યક્રમ માં ભાગ એક થી લયી ને ચાર સુધી માં ગ્રહો થી સંબંધિત વાતો જણાવી છે. તેના પછી ના ભાગ 8, ૯, 10, પણ ગ્રહો થી સંબંધિત છે.
ત્યાંજ કોર્સ ના ભાગ 5 માં રાશિઓ થી સમ્બન્ધિત વિષય બતાવ્યું છે. ત્યાંજ 6 અને 7 માં અનુક્રમે કુંડળી અને તેના ભાવો વિશે ની માહિતી આપેલી છે. તેજ રીતે કયો ભાગ કોના જોડે સંબંધિત છે તેના વિશે તેની સામે લખવા માં આવ્યું છે. આ કોર્સ માં આપેલી માહિતીઓ જ્યોતિષાચાર્ય અને એસ્ટ્રોસેજ ના સંસ્થાપક પુનીત પાંડે દ્વારા અપાયેલી છે જે આધુનિક યુગ ના જ્યોતિષ છે.
અમે આ દાવો તો નથી કરતા કે તમે અમારા જ્યોતિષ શીખો પાઠ્યક્રમ થી એક કુશળ જ્યોતિષી બની જશો, પરંતુ અને દ્વારા તમને જ્યોતિષ નું આધારભૂત જ્ઞાન અવશ્ય થયી જશે. જો તમે આ કોર્સ ને ગંભીરતા થી શીખશો તો ટમી કુંડળી માં ગ્રહો ની સ્થિતિ ના આધારે તેનો ફલાદેશ જણાવી શકો છો. વર અને વધુ ની વૈવાહિક કુંડળી ને જોઈને તેમની અનુકૂળતા જણાવી શકો છો. અમે આશા કરીએ છે કે તમને અમારો આ જ્યોતિષીય જ્ઞાન સંબંધિત કોર્સ ગમશે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Rahu-Ketu Transit July 2025: Golden Period Starts For These Zodiac Signs!
- Venus Transit In Gemini July 2025: Wealth & Success For 4 Lucky Zodiac Signs!
- Mercury Rise In Cancer: Turbulence & Shake-Ups For These Zodiac Signs!
- Venus Transit In Gemini: Know Your Fate & Impacts On Worldwide Events!
- Pyasa Or Trishut Graha: Karmic Hunger & Related Planetary Triggers!
- Sawan Shivratri 2025: Know About Auspicious Yoga & Remedies!
- Mars Transit In Uttaraphalguni Nakshatra: Bold Gains & Prosperity For 3 Zodiacs!
- Venus Transit In July 2025: Bitter Experience For These 4 Zodiac Signs!
- Saraswati Yoga in Astrology: Unlocking the Path to Wisdom and Talent!
- Mercury Combust in Cancer: A War Between Mind And Heart
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025