ગુરુ ગ્રહ નો બાર ભાવ માં લાલ કિતાબ મુજબ ફળ
વાંચો લાલ કિતાબ મુજબ ગુરુ ગ્રહ ના સંબંધિત પ્રભાવ અને ઉપાય. જ્યોતિષ માં ગુરુ ને એક શુભ ગ્રહ માનવા માં આવ્યું છે. લાલ કિતાબ જે કે સંપૂર્ણ રીતે ઉપાય આધારિત જ્યોતિષ પદ્ધતિ છે આમાં ગુરુ ગ્રહ ના વિભિન્ન ભાવો માં ફળ અને તેના પ્રભાવ ના વિશે વિસ્તાર થી વ્યાખ્યા કરવા માં આવેલી છે.
લાલ કિતાબ માં ગુરુ ગ્રહ
હિન્દુ જ્યોતિષ માં બૃહસ્પતિ ને દેવ ગુરુ કહેવા માં આવે છે. આ ધનુ અને મીન રાશિ નો સ્વામી છે અને કર્ક રાશિ માં ઉચ્ચ નો અને મકર રાશિ માં નીચ નો હોય છે. સૂર્ય અને ચંદ્ર ગ્રહ ગુરુ ના મિત્ર છે ત્યાંજ શુક્ર, બુધ અને રાહુ શત્રુ તથા શનિ ગુરુ સાથે સમભાવ રાખે છે. લાલ કિતાબ માં ગુરુ ને એક મહત્ત્વપૂર્ણ ગ્રહ માનવા માં આવ્યું છે. પીપળ, પીળું રંગ. સોનું, હલદર, ચણા ની દાળ, પીળા ફુલ, કેસર, ગુરુ, પિતા, વૃદ્ધ પુરોહિત, વિદ્યા અને પૂજાપાઠ આ બધા ગુરુ ના પ્રતિક માનવા માં આવેલ છે.
લાલ કિતાબ મુજબ મિત્ર ગ્રહો સાથે ગુરુ
ચંદ્ર નુ સાથ મળવા પર ગુરુ ની શક્તિ વધી જાય છે ત્યાં જ મંગળ નો સાથ મળવા પર ગુરુ ની શક્તિ ડબલ થઈ જાય છે. સૂર્ય ગ્રહ ની સાથે ગુરુ ની માન-પ્રતિષ્ઠા વધે છે.
શત્રુ ગ્રહો સાથે ગુરુ
ગુરુ ના ત્રણ મિત્ર ગ્રહ હોવા ની સાથે ત્રણ શત્રુ ગ્રહ પણ છે. આ ગ્રહ ગુરુ ને હાનિ પહોંચાડવા ની તકો શોધતા હોય છે. ગુરુ નું પહેલું શત્રુ છે બુધ, બીજો શુક્ર અને ત્રીજો શત્રુ રાહુ છે.
ગુરુ ગ્રહ ના ગુણ અને અવગુણ
સંસાર ના દરેક પ્રાણી અને વસ્તુ માં કોઈ ગુણ અને અવગુણ બંને હોય છે. ઠીક એવી જ રીતે આકાશ માં વિચરણ કરી રહેલા ગ્રહો માં પણ ગુણ અને અવગુણ બંને હોય છે. ગુરુ ગ્રહ માન પ્રતિષ્ઠા અને ઉત્પત્તિ નો પરિબળ છે પરંતુ નિર્બળ હોવા પર આ બધા ગુણ ક્ષણભર માં ખલાસ થઈ જાય છે. જાતક પોતાના કર્મો દ્વારા પોતાની કુંડળી ના પ્રબળ અને ઉત્તમ ગુરુ ને જે ચોથા ભાવ માં સારું ફળ આપવાવાળો હોય છે તેને નિર્બળ કરી લે છે. પિતા, દાદા, બાબા, બ્રાહ્મણ અને વડીલો નું અનાદર કરવા થી ઉત્તમ ગુરુ નિષ્ફળ થઈ જાય છે.
લાલ કિતાબ માં ગુરુ ના ખરાબ પ્રભાવ ના લક્ષણો
લાલ કિતાબ મુજબ જ્યારે કુંડળી માં ગુરુ પીડિત હોય છે તો જાતક પર નીચે પ્રમાણે પ્રભાવ જોવા મળે છે.
- માથા ની વચ્ચે થી વાળ પડવા માંડે છે.
- શિક્ષણ માં અવરોધ ઉત્પન્ન થવા માંડે છે.
- આંખો માં દર્દ થવા માંડે છે.
- સ્વપ્ન માં સાપ દેખાય છે.
- વ્યક્તિ ના વિશે ખોટી વાતો ઉડાડે છે.
- ગળા માં દુખાવો અને ફેફસા ના રોગ થવું.
લાલ કિતાબ મુજબ ગુરુ ની શાંતિ માટે કરવાવાળા ઉપાય
જ્યારે જન્મકુંડળી માં ગુરુ ની સ્થિતિ નબળી હોય તો, લાલ કિતાબ થી સંબંધિત નીચે ના ઉપાયો જરૂર કરવા જોઈએ.
- હળદર ની ગાંઠ ને પીળા રંગ ની દોરી માં બાંધી જમણી બાજુ પર બાંધવું જોઈએ.
- 27 ગુરુવાર સુધી કેસર નું તિલક લગાવવું અને કેસર ની પડીકી ને પીળા રંગ ના કાપડ અથવા કાગળ માં પોતાની જોડે રાખવું જોઈએ.
- પીળા રંગ નાં વસ્ત્ર પહેરવું અને ઘર માં પીળા રંગ ના પડદા લગાડવા શુભ હોય છે.
- ઘર માં પીળા સૂરજમુખી નું છોડ લગાવવું જોઈએ.
- સોના ની ચેન અને ગુરુ યંત્ર ધારણ કરવું જોઈએ.
ગુરુ ગ્રહ થી સંબંધિત બીજા જ્યોતિષીય ઉપાય
ગુરુ ગ્રહ ના અશુભ પ્રભાવ ને દૂર કરવા અને શુભ ફળ ની પ્રાપ્તિ માટે લાલ કિતાબ ના સિવાય બીજા જ્યોતિષીય ઉપાય પણ કરી શકાય છે.
- વ્યક્તિ ને માતા-પિતા ગુરૂજન અને અન્ય પૂજનીય વ્યક્તિઓ ના પ્રતિ આદર અને સન્માન નો ભાવ રાખવો જોઈએ.
- કોઈ મંદિર અથવા ધાર્મિક સ્થળ પર નિશુલ્ક સેવા કરવી જોઈએ.
- ગુરુવાર ના દિવસે મંદિર માં કેળા ના વૃક્ષ નીચે ઘી નો દીપક પ્રગટાવવો જોઈએ.
- ગુરુવાર ના દિવસે બાંધેલા લોટ માં ચણાદાળ, ગોળ અને હળદર નાખી ગાય ને ખવડાવો જોઈએ.
- જોકે ગુરુ આધ્યાત્મિક જ્ઞાન નું પરિબળ પણ કહેવા માં આવે છે એટલે બુદ્ધિજીવી વ્યક્તિ અને ગુરુજન નું સન્માન કરો.
- ગુરુવારના દિવસે ‘ૐ બૃં બૃહસ્પતયે નમઃ!’ મંત્ર નું જાપ કરો.
- ગુરુવારે બ્રહસ્પતિ ના વૈદિક મંત્ર નો જાપ કરવા થી મેદસ્વીતા અને પેટ સંબંધિત રોગો દૂર થાય છે.
- ગુરુવારે બ્રહસ્પતિ દેવ ની પૂજા માં ગંધ, અક્ષત, પીળા ફૂલ, પીળા પકવાન અને પીળી વસ્તુ નું દાન કરો.
- ગુરુ ગ્રહ થી સંબંધિત આ બધા ટોટકા ગુરુવાર ના દિવસે બ્રહસ્પતિ ના નક્ષત્ર (પુનર્વસુ, વિશાખા, પૂર્વ ભાદ્રપદ) અને ગુરુ ના હોરા માં કરવા જોઈએ.
ગુરુ સાથે સંબંધિત વ્યવસાય અને પેશા
ગુરુ ને ધર્મ, દર્શન અને જ્ઞાન નો પરિબળ માનવા માં આવે છે. ન્યાયાધીશ, વકીલ, બેંક મેનેજર, કંપની ના મેનેજિંગ ડાયરેક્ટર, જ્યોતિષી અને શિક્ષક વગેરે ગુરુ ગ્રહ ના પ્રતીક છે.
શેર માર્કેટ, કિતાબો નુ વેપાર, શિક્ષણ અને ધર્મ સંબંધી પુસ્તકો, વકાલત અને શિક્ષણ સંસ્થાઓ નું સંચાલન વગેરે ગુરુ ના પ્રતીક રૂપે વ્યવસાય છે. ફાઇનાન્સ કંપની અને નાણાકીય મંત્રાલય પણ ગુરુ ના પ્રતીક કહેવા માં આવે છે.
ગુરુ થી સંબંધિત રોગ
ગુરુ ના ખોટા પ્રભાવ થી વ્યક્તિ ના શરીર માં કફ અને ચરબી ની વૃદ્ધિ થાય છે. મધુમેહ, હર્નિયા, નબળી સ્મરણ શક્તિ, પીલિયા, પેટ, સોજા, બેહોશી, કાન અને ફેફસા સંબંધિત રોગ થાય છે.
ગુરુ ગ્રહ થી સંબંધિત બીજા ઉપાય
ગુરુ ગ્રહ ની શાંતિ અને તેના થી શુભ ફળ પ્રાપ્ત કરવા માટે જે વસ્તુ નું દાન કરવું જોઈએ તેમાં ખાંડ, કેળા, પીળું કાપડ, કેસર, મીઠું, હળદર, પીળા ફૂલ અને પીળું ભોજન ઉત્તમ માનવા માં આવ્યું છે. આ ગ્રહ ની શાંતિ માટે ગુરુ ગ્રહ થી સંબંધિત રત્ન નું દાન કરવું પણ શ્રેષ્ઠ હોય છે. દાન કરતી સમયે ધ્યાન રાખો કે દિવસ ગુરુવાર નું હોય અને સમય સવાર નો હોય. કોઈ બ્રાહ્મણ, ગુરુ અથવા પુરોહિત ને દાન કરવું વિશેષ ફળદાયક હોય છે. ગુરુવાર ના દિવસે વ્રત પણ રાખવો જોઈએ। જે લોકો નો ગુરુ કમજોર હોય એ લોકો ને કેળા અને પીળા રંગ ની મિષ્ઠાનો ગરીબો, પક્ષીઓ ખાસ કરી ને કાગડાઓ ને આપવો જોઈએ. નિર્ધન અને બ્રાહ્મણો ને દહી ચોખા ખવડાવા જોઇએ. પીપળ ના વૃક્ષ ના મૂળ માં જળ અર્પણ કરવું જોઈએ. ગુરુ, પુરોહિત અને શિક્ષકો,માં ગુરુ નો નિવાસ હોય છે તેથી આ લોકો ની સેવા થી પણ ગુરુ ના દુષ્પ્રભાવ માં ઘટાડો આવે છે.
ગુરુ ને બીજા બધા ગ્રહો નો ગુરુ અને બ્રહ્માજી નું પ્રતિક માનવા માં આવ્યું છે. ગુરુ ની કૃપા થી જીવન માં ધર્મ, સંતાન અને ઐશ્વર્ય ની પ્રાપ્તિ થાય છે એટલે કુંડળી માં ગુરુ સ્થિતિ પ્રબળ હોવું ઘણું આવશ્યક છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026





