મકર રાશિમાં બુધનું વક્રી અને સૂર્ય ગોચર 14 જાન્યુઆરી 2022
જ્યોતિષ શાસ્ત્રની દુનિયામાં ગ્રહોનું ગોચર અથવા કોઈ ગ્રહનો વક્રી-માર્ગી એ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. સરળ શબ્દોમાં સમજાવીએ તો ગોચર એટલે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવો જ્યારે ગ્રહોની વક્રી ગતિ તેમની સ્થિતિ દર્શાવે છે. જ્યાં વક્રીનો અર્થ થાય છે વિપરીત ગતિ/સ્થિતિ જ્યારે માર્ગીનો અર્થ થાય છે સીધી ગતિ/સ્થિતિ.
ગ્રહોનું ગોચર ક્યારેક માર્ગી સ્થિતિમાં હોય છે તો ક્યારેક તે વક્રી સ્થિતિમાં હોવાનું પણ જાણવા મળે છે. વક્રી સ્થિતિ એટલે ગ્રહોની ઊંધી સ્થિતિ. એટલે કે, આ સ્થિતિમાં એવું લાગે છે કે કોઈ ગ્રહ વિપરીત ગતિમાં આગળ વધી રહ્યો છે. જો કે તે વાસ્તવમાં બનતું નથી, તે માત્ર દેખાય છે.
એસ્ટ્રોસેજ વાર્તા થી કોઈપણ સમય અમારા પ્રમાણિત જ્યોતિષીઓ સાથે હવે ફોન પર વાત કરો.
ગ્રહોના ગોચર અને તેમની વક્રી સ્થિતિનો અર્થ જાણ્યા પછી, ચાલો અમે તમને 14 જાન્યુઆરી, 2022 ના રોજ બનવાની એક મહત્વપૂર્ણ ઘટના વિશે માહિતી આપીએ. વાસ્તવમાં, 14 જાન્યુઆરીએ જ્યાં એક તરફ સૂર્ય મકર રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે, તો બીજી તરફ બુધ ગ્રહ પણ આ રાશિમાં વક્રી ગતિમાં ગોચર કરશે.
એક જ રાશિમાં અને એક જ દિવસે બે મહત્વપૂર્ણ ગ્રહોના આ નોંધપાત્ર ફેરફારની ચોક્કસ અસર દેશ, વિશ્વ અને તમામ બાર રાશિઓ પર થાય તે સ્વાભાવિક છે. તો ચાલો આગળ વધીએ અને જાણીએ કે આ મહત્વપૂર્ણ ઘટનાથી તમારા જીવનમાં અને દેશ અને દુનિયામાં કેટલાંક ફેરફારો જોવા મળશે.
સૂર્ય ના મકર રાશિમાં ગોચર: તિથિ, સમય, મહત્વ
14 જાન્યુઆરી, 2022 ના રોજ, સૂર્ય 14:13 વાગ્યે (2:13 pm) પર મકર રાશિમાં ગોચર કરશે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને તમામ નવ ગ્રહોના રાજાનો દરજ્જો છે. સૂર્યને સરકારી નોકરી, પિતા સાથે સંબંધ વગેરેનો કારક પણ માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં સૂર્ય મજબૂત અને શુભ સ્થાનમાં હોય છે, આવા લોકો સમાજમાં ઉચ્ચ પ્રતિષ્ઠા, સમૃદ્ધિ અને સુખ સાથે પોતાનું જીવન જીવવામાં સફળ થાય છે. આ સિવાય કુંડળીમાં સૂર્યની શુભ સ્થિતિને કારણે વ્યક્તિ ઉત્સાહિત અને પોતાના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે તૈયાર રહે છે. બીજી બાજુ, જે લોકોની કુંડળીમાં સૂર્ય નબળો અથવા અશુભ સ્થાનમાં હોય છે, આવા લોકોનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે, તેઓ વારંવાર નોકરી ગુમાવે છે અને પિતા સાથેના સંબંધો પણ બહુ અનુકૂળ નથી હોતા.
બૃહત્ કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના તમામ રહસ્યો, જાણો ગ્રહોની ગતિવિધિનો સંપૂર્ણ હિસાબ
સૂર્ય વિશે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
જ્યાં સુધી પૌરાણિક માન્યતાઓનો સંબંધ છે, સૂર્ય ક્ષત્રિય ગ્રહ છે, જેના સિદ્ધાંતો વધુ માનવામાં આવે છે. વિષ્ણુ, શિવ, શક્તિ અને ભગવાન ગણેશની સાથે સૂર્યને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આ જ કારણ છે કે દેશમાં સૂર્યદેવને સમર્પિત અનેક મંદિરો છે. નોંધનીય છે કે સમાજનો સૌર વર્ગ જ સૂર્યને સર્વોચ્ચ દેવતા તરીકે પૂજે છે. ઘણા હિંદુઓ દ્વારા પણ સૂર્યની પૂજા કરવામાં આવે છે અને ગાયત્રી મંત્ર જે મોટાભાગના હિંદુઓ દ્વારા દરરોજ જાપ કરવામાં આવે છે તે પણ સૂર્ય ભગવાનને સમર્પિત છે.
આ સિવાય અઠવાડિયાનો રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં રવિવારનો દિવસ સૂર્યની ઉપાસના કરવા અને સૂર્ય સંબંધિત ઉપાય કરીને સૂર્યદેવની પ્રસન્નતા મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે.
આ વિશેષ બ્લોગમાં, અમે તમને આ મહત્વપૂર્ણ ગ્રહો ના ગોચર અને તમારી રાશિ પર અન્ય મહત્વપૂર્ણ ગ્રહના વક્રી અસર વિશે વિગતવાર માહિતી આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
ચાલો આપણે આગળ વધીએ અને તે ગોચર વિશે વાત કરીએ જેની કુલ અવધિ 30 દિવસની છે. જેનો અર્થ સરળ ભાષામાં થાય છે કે સૂર્ય ગ્રહ લગભગ 30 દિવસ સુધી એક રાશિમાં રહે છે અને પછી તેની રાશિ બદલી નાખે છે. સૂર્યનું આ ગોચર તમામ બાર રાશિઓ ના જીવન પર ચોક્કસ પ્રતિકૂળ અને અનુકૂળ અસર કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો સૂર્ય ત્રીજા, છઠ્ઠા, દસમા અને અગિયારમા ભાવમાં ગોચર કરતો હોય તો વ્યક્તિને શુભ ફળ મળે છે. બીજી તરફ જો સૂર્ય પ્રથમ, બીજા, ચોથા, સાતમા, આઠમા અને દસમા ભાવમાં ગોચર કરે તો પ્રતિકૂળ પરિણામ મળવાની શક્યતા વધી જાય છે.
દરેક વ્યક્તિના જીવનમાં લક્ષ્યો હોય છે અને આ લક્ષ્યોને પૂર્ણ કરવામાં સૂર્ય ખૂબ જ મદદગાર ગ્રહ સાબિત થાય છે. જો વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહ ઉચ્ચ સ્થાનમાં હોય તો આવી વ્યક્તિ પોતાના જીવનમાં દરેક સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં સફળ રહે છે. આવા વ્યક્તિઓના જીવનમાં દરેક કાર્ય શુભ રહે છે. બીજી તરફ, આવા લોકોનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હોય છે જેમની કુંડળીમાં સૂર્ય ગ્રહ દુર્બળ સ્થિતિમાં હોય.
જો કે, અહીં ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જો તમારી કુંડળીમાં સૂર્ય ગ્રહ પણ કમજોર સ્થિતિમાં હોય તો તેને ઠીક કરવા માટે જ્યોતિષમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. વિદ્વાનો અને જ્યોતિષીઓ દ્વારા સૂકાયેલા આ ઉપાયોને યોગ્ય રીતે પૂર્ણ કરીને તમે તમારી કુંડળીમાં હાજર સૂર્ય ગ્રહને મજબૂત બનાવી શકો છો અને તેના શુભ પરિણામો મેળવી શકો છો.
મકર રાશિમાં બુધનો વક્રી- સમય અને મહત્વ
જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહના સંબંધને બુદ્ધિ, સંચાર, વેપાર અને આંકડાઓ સાથે જોડીને જોવામાં આવે છે. સામાન્ય રીતે, બુધ ગ્રહને શુભ ગ્રહ માનવામાં આવે છે, પરંતુ જ્યારે તે અશુભ ગ્રહ સાથે જોડાય છે, તો વ્યક્તિને નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિની અનન્ય ક્ષમતામાં ઘટાડો થાય છે. અશુભ બુધના પ્રભાવને કારણે વ્યક્તિને વાણી, નર્વસ સિસ્ટમ વગેરે સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
બુધ ના વિશેમાં આ યોગ્ય વાતો ધ્યાન માં રાખો
- હિંદુ પૌરાણિક કથાઓ અને માન્યતાઓ અનુસાર, તારા બુધની માતા છે અને ચંદ્ર બુધનો પિતા છે.
- આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે ભગવાન નારાયણ અથવા વિષ્ણુ બુધના દેવતા છે.
- હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, બુધ ગ્રહને દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે કે દેવતા ગણાય છે. બુધવાર બુધ ગ્રહ સાથે સંબંધિત અઠવાડિયાનો દિવસ છે, તેથી આ દિવસે વ્રત રાખવાથી અને પૂજા વિધિ કરવાથી વ્યક્તિ કુંડળીમાં હાજર બુધ ગ્રહને મજબૂત કરી શકે છે અને તેના અશુભ પરિણામોને શાંત કરી શકે છે.
બુધ ગ્રહના ગોચર વિશે વાત કરીએ તો, બુધનું ગોચર લગભગ 14 દિવસ સુધી ચાલે છે અને તે પછી તે બીજી રાશિમાં પ્રવેશ કરે છે. જ્યારે બુધ ગ્રહ માર્ગી અવસ્થામાં હોય ત્યારે આ સમયગાળો માન્ય છે. વક્રી બુધનો અર્થ છે કે તે સીધો ચાલવાને બદલે વિપરીત ગતિમાં દેખાશે. બુધનું ગોચર વિવિધ રાશિઓ પર અલગ-અલગ અસર કરે છે.
જો કે, જ્યારે બુધ ગ્રહ તમારા ચંદ્ર રાશિમાંથી 2, 4, 6, 8, 10 और 11મા ભાવમાં જાય છે ત્યારે તે શુભ ફળ આપે છે. આ સિવાય અન્ય તમામ ઘરોમાં તેની સ્થિતિ નકારાત્મકતા અને દુર્ભાગ્યનું કારણ બની શકે છે.
કરિયર થી સંબંધિત દરેક સમસ્યાને દૂર કરવા માટે હવે ઓર્ડર કરો- કોગ્નિએસ્ટ્રો રિપોર્ટ
મકર રાશિમાં બે ગ્રહો અલગ-અલગ સ્થિતિમાં પ્રવેશ કરશેઃ દેશ, વિશ્વ અને તમામ રાશિઓ પર તેની અસર જાણો
- સૂર્ય 14 જાન્યુઆરી, 2022 ના રોજ મકર રાશિના દસમા ભાવમાં પ્રવેશ કરશે.
- બુધ પણ આ દિવસે મકર રાશિમાં વક્રી ગતિમાં પ્રવેશ કરશે.
- ઉપરોક્ત બે મહત્વપૂર્ણ ઘટનાઓને સમાપ્ત કરીને, આપણે કહી શકીએ કે બુધ, બુદ્ધિ અને સંદેશાવ્યવહારનો ગ્રહ અને સત્તા અને સંકલ્પનો ગ્રહ સૂર્ય, એક જ દિવસે એક જ રાશિમાં ગોચર કરશે.
- તહેવારોની મોસમ દરમિયાન, આ ગ્રહોની ચાલ ચોક્કસપણે દેશના તહેવારો અને બજારની સ્થિતિ પર ઘણી અસર કરશે.
- ઘઉં, રૂબી રત્ન, કઠોળ વગેરેના ભાવમાં વધારો થશે.
- સરકાર, કાયદા અને સૈન્ય ક્ષેત્ર વગેરેમાં વિશેષ ફેરફારો થવાની સંભાવના છે.
- મીડિયા, કોમ્યુનિકેશન અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં મંદીની પ્રબળ શક્યતા છે.
- મોસમમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. વૈશ્વિક સ્તરે, ગરમી અને ઠંડી બંને થઈ શકે છે.
- વિશ્વભરમાં વધુ વરસાદની સંભાવના છે.
- આ સમયગાળા દરમિયાન કેટલાક પ્રોજેક્ટ અને નવી શોધની પણ પ્રબળ સંભાવના છે.
- રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક દસ્તાવેજો અને નવા કરારો પર હસ્તાક્ષર કરી શકાય છે. જો કે, કેટલીક સંચાર સમસ્યાઓની શક્યતા છે.
- વાયરસ જુદા જુદા નામોથી વિવિધ આકાર અને સ્વરૂપોમાં ફેલાઈ શકે છે અને નવી દવાઓ પણ બજારમાં લોન્ચ થઈ શકે છે.
કઈ રાશિઓ માટે શુભ-અશુભ?
એક જ દિવસે બે ગ્રહોનો એક જ રાશિમાં પ્રવેશ વૃશ્ચિક, સિંહ અને મીન રાશિના લોકો માટે શુભ સાબિત થશે, જ્યારે આ મહત્વપૂર્ણ ઘટના વૃષભ, મિથુન, કર્ક, તુલા, મકર અને કુંભ રાશિના લોકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. જો કે, આ રાશિના લોકો આ પડકારોને હાસ્યથી પાર કરી શકશે.
ઑનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો.
કુંડળીમાં સૂર્ય ગ્રહને બળવાન કરવાના ઉપાય
- શક્ય હોય તેટલા નારંગી રંગોને તમારા જીવનમાં સામેલ કરો.
- ભગવાન શિવની પૂજા કરો.
- આદિત્ય હૃદયમ વાંચો.
- પિતા, વડીલો અને પિતા સમાન લોકોનું સન્માન કરો.
- રૂબી રત્ન ધારણ કરવાથી પણ સૂર્ય ગ્રહના શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. જો કે, કોઈ પણ રત્ન કોઈ વિદ્વાન જ્યોતિષની સલાહ લીધા પછી જ પહેરવાની સલાહ આપવામાં આવે છે.
કુંડળીમાં બુધ ગ્રહને બળવાન કરવાના ઉપાય
- જીવનમાં વિકાસ માટે વધુ ને વધુ લાલ રંગનો સમાવેશ કરો.
- ભગવાન વિષ્ણુ અને ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન નરસિંહની પૂજા કરો.
- શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરો.
- દિવસમાં 41 વખત "ઓમ બુધાય નમઃ" મંત્રનો જાપ કરો.
- તમારી મોટી બહેન કે અન્ય કોઈ છોકરીનો અનાદર ન કરો.
- પન્ના રત્ન પહેરવાથી બુધ ગ્રહ મજબૂત થઈ શકે છે, પરંતુ તેને પહેરતા પહેલા, વિદ્વાન જ્યોતિષીઓની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
રત્ન, યંત્ર સમેત સમસ્ત જ્યોતિષી સમાધાન માટે વિઝિટ કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને પણ આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2023
- राशिफल 2023
- Calendar 2023
- Holidays 2023
- Chinese Horoscope 2023
- Education Horoscope 2023
- Purnima 2023
- Amavasya 2023
- Shubh Muhurat 2023
- Marriage Muhurat 2023
- Chinese Calendar 2023
- Bank Holidays 2023
- राशि भविष्य 2023 - Rashi Bhavishya 2023 Marathi
- ராசி பலன் 2023 - Rasi Palan 2023 Tamil
- వార్షిక రాశి ఫలాలు 2023 - Rasi Phalalu 2023 Telugu
- રાશિફળ 2023 - Rashifad 2023
- ജാതകം 2023 - Jathakam 2023 Malayalam
- ৰাশিফল 2023 - Rashifal 2023 Assamese
- ରାଶିଫଳ 2023 - Rashiphala 2023 Odia
- রাশিফল 2023 - Rashifol 2023 Bengali
- ವಾರ್ಷಿಕ ರಾಶಿ ಭವಿಷ್ಯ 2023 - Rashi Bhavishya 2023 Kannada