સુર્ય તુલા રાશિમાં ગોચર

Author: Sanghani Jasmin | Updated Fri, 04 Oct 2024 04:08 PM IST

વૈદિક જ્યોતિષ માં સુર્ય ને ગ્રહો નો રાજા કહેવામાં આવે છે જે 17 ઓક્ટોમ્બર 2024 ની સવારે 07 વાગીને 27 મિનિટ પર સુર્ય તુલા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.સુર્ય ગ્રહ ને ઉર્જા નો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને આ નવગ્રહ નો પ્રમુખ છે.સુર્ય દેવ વગર જીવન ની કલ્પના નથી કરી શકાતી.આ પુરુષ સ્વભાવ નો ગ્રહ છે અને જટિલ કામો ને દ્રઢતા ની જોવે છે.સુર્ય નેતૃત્વ આવડત નું પ્રતિનિધિત્વ કરે છે.જે લોકોની કુંડળી માં સુર્ય મેષ કે સિંહ રાશિમાં મજબુત સ્થિતિ માં હોય છે એ પોતાના જીવનમાં કારકિર્દી,પૈસા,લાભ,રિલેશનશિપ માં ખુશીઓ અને પિતા નો સાથ મળવાથી લાભ નો જીવનમાં આનંદ લેય છે.


વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો કરો અને જાણો સુર્ય નો તુલા રાશિમાં ગોચર નો તમારા જીવન ઉપર પ્રભાવ

જ્યોતિષ માં સુર્ય નું મહત્વ

જ્યોતિષ માંસુર્ય ગ્રહ ને મુખ્ય રૂપથી ઉચ્ચ અધિકાર મળેલા ગતિશીલ ગ્રહ ના રૂપમાં જાણવામાં આવે છે.સુર્ય મહારાજ પ્રશાસનિક અધિકારો અને સિદ્ધાંતો નું પણ પ્રતીક માનવામાં આવે છે.જે લોકો ની કુંડળી માં સુર્ય મહારાજ ની સ્થિતિ મજબુત હોય છે એમના સ્વભાવ માં ક્રોધ વધારે જોવા મળે છે અને બીજા પ્રત્ય આ લોકોનો વેવહાર ઉગ્ર હોય છે.આ લોકોના આવા સ્વભાવ ને ઘણા લોકો સ્વીકાર કરી લ્યે છે પરંતુ ઘણા લોકો સ્વીકાર નથી કરતા.એના ફળસ્વરૂપ,આ લોકોના જીવનમાં સફળતા મેળવા માટે શાંત રેહવું અને ધૈર્ય થી કામ કરવાની જરૂરત છે.બતાવી દઈએ કે સુર્ય ના આર્શિવાદ વગર વ્યક્તિ પોતાના જીવનમાં કારકિર્દી કે પૈસા સાથે જોડાયેલી જગ્યા એ સફળતા નથી મેળવી શકતો.

To Read in English Click Here: Sun Transit in Libra

ચાલો હવે જાણીએ અને આગળ વધીએ કે સુર્ય તુલા રાશિમાં ગોચર રાશિ ચક્ર ની બધીજ 12 રાશિઓ માટે શુભ કે અશુભ કઈ રીતે પરિણામ લઈને આવશે.

આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉઓયોગ કરો.

રાશિ મુજબ પ્રભાવ અને ઉપાય

મેષ રાશિ

મેષ રાશિ વાળા માટે સુર્ય મહારાજ તમારી કુંડળી માં પાંચમા ભાવ નો સ્વામી છે અને હવે આ ગોચર કરીને સાતમા ભાવમાં જઈ રહ્યો છે.

એના પરિણામસ્વરૂપ,સુર્ય તુલા રાશિમાં ગોચર થવાથી તમે જીવનમાં પ્રગતિ મેળવશો અને એની સાથે,તમારા મિત્રો કે સાથીઓ ને પગલે પગલે મદદ મળશે.

કારકિર્દી માં આ લોકોને વરિષ્ઠ નો સાથ મળશે અને એવા માં,તમને સારા કામની પ્રશંસા કરતા નજર આવી શકે છે.

સુર્ય નો આ ગોચર તમને બિઝનેસ માં પાર્ટનર નો સાથ દેવડાવાનું કામ કરશે અને એવા માં,તમે સારો નફો કમાતા જોવા મળશો.

આર્થિક જીવનમાં મેષ રાશિ વાળા આ દરમિયાન પોતાના નસીબ ના કારણે સારા એવા પૈસા મેળવશે.

નિજી જીવન ની વાત કરીએ,તો સુર્ય નો તુલા રાશિમાં પ્રવેશ દરમિયાન તમને પાર્ટનર નો સાથ મળશે અને એવા માં,તમે ખુશ દેખાશો.

આરોગ્ય ના લિહાજ થી આ સમયે તમે સાહસ થી ભરેલા રેહશો જેના કારણે તમારું આરોગ્ય સારું બનેલું રહેશે.

ઉપાય : દરરોજ “ઓમ ભાસ્કરાય નમઃ” નો 19 વાર જાપ કરો.

આવતા સપ્તાહ નું મેષ રાશિફળ

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે સુર્ય દેવ તમારા ચોથા ભાવ નો સ્વામી છે અને હવે આનો ગોચર તમારા છથા ભાવમાં થવા જઈ રહ્યો છે.

એના પરિણામસ્વરૂપ,સુર્ય ના રાશિ પરિવર્તન ના પ્રભાવ થી તમે કામો માં કરેલા પ્રયાસો ના કારણે સફળતા મેળવશો.

કારકિર્દી ની વાત કરીએ,તો આ લોકો કામમાં કરવામાં આવેલી મેહનત ના કારણે ઉન્નતિ મેળવશે અને એના સિવાય,તમને ઈન્સેન્ટિવ મળવાના પણ યોગ બનશે.

સુર્ય તુલા રાશિ માં ગોચર વેપારમાં સફળતા લઈને આવશે જેનું કારણ તમારી આવડત અને બિઝનેસ પ્રત્ય એક અલગ નજરીયો હશે.

આર્થિક જીવનમાં આ લોકો નાના નાના પ્રયાસો અને યોજનાઓ બનાવીને ચાલવાના કારણે વધારેમાં વધારે લાભ કમાઈ શકશે.

નિજી જીવનમાં તમે પાર્ટનર પ્રત્ય વફાદાર અને ઈમાનદાર રેહશો.એવા માં,તમારા બંને ના સબંધ માં આપસી તાલમેલ બનેલો રહેશે.

આરોગ્ય ના લિહાજ થી,સુર્ય નો આ ગોચર તમારા આરોગ્ય માટે સારો રહેશે અને તમારું આરોગ્ય પણ ઉત્તમ રહેશે જે તમારી અંદર ના ઉત્સાહ અને રોગ પ્રતિરોધક આવડત નું પરિણામ હશે.

ઉપાય : દરરોજ લિંગાષ્ટકમ નો જાપ કરો.

આવતા સપ્તાહ નું વૃષભ રાશિફળ

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે સુર્ય તમારા ત્રીજા ભાવ નો સ્વામી છે જે હવે ગોચર કરીને તમારા પાંચમા ભાવમાં જઈ રહ્યો છે.

એવા માં,આ લોકોને ધાર્મિક કામો ના કારણે લાંબી દુરી ની યાત્રા ના યોગ બનશે.એની સાથે,આ લોકો પોતાના બાળક ના વિકાસ થી ખુશ નજર આવશે.

જયારે વાત આવે છે કારકિર્દી ની તો સુર્ય તુલા રાશિમાં ગોચર તમને નોકરીના નવા મોકા આપશે જેના કારણે તમે સંતુષ્ટ જોવા મળશો.

જે લોકોનો સબંધ વેપાર સાથે છે એ લોકો આ સમયગાળા માં બિઝનેસ થી વધારે સ્ટોક ના માધ્યમ થી નફો મેળવશે.

આર્થિક જીવનમાં આ ગોચર કામમાં કરવામાં આવેલી કડી મેહનત અને સમર્પણ માટે તમને સારું એવું ઈન્સેન્ટિવ દેવડાવાનું કામ કરશે.

પ્રેમ જીવનમાં મિથુન રાશિ વાળા નો વેવહાર પાર્ટનર પ્રત્ય પ્રેમપુર્ણ રહેશે અને એવા માં,તમે બીજા માટે એક બહુ સારી મિસાલ કાયમ કરશો.

આરોગ્ય ની વાત કરીએ,તો સુર્ય ગોચર દરમિયાન તમારી અંદર સાહસ ની હાજરી તમારા આરોગ્ય ને શાનદાર બનાવી ને રાખશે.

ઉપાય : દરરોજ 21 વાર “ઓમ ગુરવે નમઃ” નો જાપ કરો.

આવતા સપ્તાહ નું મિથુન રાશિફળ

કર્ક રાશિ

કર્ક રાશિ વાળા ની કુંડળી માં સુર્ય મહારાજ ને બીજા ભાવ નું આધિપત્ય મળેલું છે અને હવે આ તમારા ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એના ફળસ્વરૂપ,આ લોકો આર્થિક જીવન ની સાથે સાથે પોતાના પરિવાર ને લઈને બહુ સજગ દેખાશે.

સુર્ય તુલા રાશિ માં ગોચર કર્ક રાશિના લોકો માટે કારકિર્દી માટે સમસ્યા લઈને આવી શકે છે એટલે સારું રહેશે કે તમે યોજના બનાવીને ચાલો.

બીજી બાજુ,વેપાર સાથે સબંધિત લોકોને આ સમયગાળા માં વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળવાની આશંકા છે અને એના કારણે તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે.

આર્થિક જીવનમાં તમને સુર્ય ના રાશિ પરિવર્તન દરમિયાન પોતાના ખર્ચા ને નિયંત્રિત કરવાની સલાહ આપવામાં આવે છે કારણકે તમારી સામે અચાનક થી ખર્ચ આવી શકે છે જેને સંભાળવું તમારા માટે કઠિન રહી શકે છે.

નિજી જીવનમાં તમારું આખું ધ્યાન પરિવારમાં ચાલી રહેલા મામલો પર થઇ શકે છે અને આ તમને પરેશાન કરી શકે છે.

આરોગ્ય ને જોઈએ,તો કર્ક રાશિ વાળા ને પોતાના માતા ના આરોગ્ય ઉપર ધ્યાન દેવાની સલાહ આપવામાં આવે છે કારણકે એમને આરોગ્ય માં ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.

ઉપાય : શનિવાર ના દિવસે ભગવાન શિવ માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું કર્ક રાશિફળ

સિંહ રાશિ

સિંહ રાશિ વાળા માટે સુર્ય તમારા પેહલા ભાવ નો સ્વામી છે જે હવે તમારા ત્રીજા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.

એવા માં,તમે કામો માં સાહસ ને દ્રઢતા ના બાળ ઉપર સફળતા મેળવી શકશે અને આ તમારા પ્રયાસો ના પરિણામ હશે.

સુર્ય તુલા રાશિ માં ગોચર આ લોકો માટે કારકિર્દી માં મુશ્કિલ સમય લઈને આવી શકે છે કારણકે તમારી ઉપર કામનો બોજ વધી શકે છે.

જયારે વાત આવે છે વેપાર ની તો તમે એક નવા બિઝનેસ ની શુરુઆત કરી શકે છે અને એના માધ્યમ થી તમે લાભ મેળવા માં સક્ષમ હશે.

આર્થિક જીવનમાં સુર્ય ગોચર ના સમયગાળા માં તમે તમારા પ્રયાસો અને સાચી યોજનાઓ ના દમ ઉપર વધારેમાં વધારે પૈસા કમાઈ શકશો.

નિજી જીવનમાં સિંહ રાશિ વાળા પોતાના પાર્ટનર ની સાથે ખુશ દેખાઈ દેશે અને એના કારણે તમે બંને નું ખુલીને એકબીજા સાથે વાત કરવી હશે.

સુર્ય ગોચર ના સમયગાળા માં આ લોકોને કોઈ એલર્જી ના કારણે ચામડી ઉપર રેશેજ ની સમસ્યા પરેશાન કરી શકે છે એટલે તમારું ધ્યાન રાખો.

ઉપાય : દરરોજ “ઓમ સુર્યાય નમઃ” નો 21 વાર જાપ કરો.

આવતા સપ્તાહ નું સિંહ રાશિફળ

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે સુર્ય દેવ તમારા બારમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એના ફળસ્વરૂપ,સુર્ય તુલા રાશિમાં ગોચર ના સમયગાળા માં તમારે લાંબી દુરી ની યાત્રાઓ કરવી પડી શકે છે.એની સાથે,તમે પૈસા કમાવા માટે વધારે સજગ રહી શકો છો.

કારકિર્દી માં તમારે કાર્યસ્થળ માં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે અને એવા માં,તમે તમારી નોકરીથી નાખુશ નજર આવી શકો છો.એના ફળસ્વરૂપ,આ લોકો એક નવી નોકરી ની શોધ કરી શકે છે.

સુર્ય ગોચર ના સમયગાળા માં વેપાર કરવાવાળા લોકો બિઝનેસ માં પોતાની ફિલ્ડ બદલી શકે છે.પરંતુ,આ નિર્ણય તમારા માટે અનુકુળ નહિ રેહવાની આશંકા છે.

આર્થિક જીવનમાં તમારા ખર્ચ વધી શકે છે અને તમારી સામે એક પછી એક ખર્ચ આવી શકે છે જે તમારા માટે પરેશાની નું કારણ બની શકે છે.

સુર્ય ના ગોચર દરમિયાન પરિવારમાં ચાલવાવાળા વિવાદો ના કારણે પાર્ટનર ની સાથે તમારી બહેસ થઇ શકે છે અને એવા માં,તમારા બંને ની વચ્ચે આપસી તાલમેલ ની કમી રહી શકે છે.

આરોગ્યના વિષય માં તમને આંખો સાથે જોડાયેલી સમસ્યાઓ પરેશાન કરી શકે છે અને આ તમારી કમજોર રોગ પ્રતિરોધક આવડત નું પરિણામ હોય શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ બુધાય નમઃ” નો 41 વાર જાપ કરો.

આવતા સપ્તાહ નું કન્યા રાશિફળ

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો

તુલા રાશિ

તુલા રાશિ વાળા માટે સુર્ય દેવ તમારા અગિયારમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા પેહલા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એના પરિણામસ્વરૂપ,આ લોકો સાહસ અને દ્રઢતા ના બળ ઉપર આત્મવિશ્વાસ થી ભરેલા રહેશે અને એવા માં,તમે તમારી ઈચ્છાઓ ને પુરી કરવામાં સક્ષમ હસો.

કારકિર્દી ની વાત કરીએ,તો સુર્ય તુલા રાશિમાં ગોચર દરમિયાન તમારે કામકાજ માટે યાત્રાઓ ઉપર જવું પડી શકે છે અને આવી યાત્રાઓ તમારા ઉદ્દેશો ની પુર્તિ કરે છે.

જયારે વાત આવે છે વેપાર ની તો આ સમયગાળા માં તમે સારો લાભ કમાવા માં સક્ષમ હશે જે તમારી મેહનત અને પ્રયાસો નું પરિણામ હોય શકે છે.

આર્થિક જીવનમાં સુર્ય નો આ ગોચર તમારી કડી મેહનત ના બળ ઉપર ઘણા પૈસા આપશે.એવા માં,તમારી આર્થિક સ્થિતિ મજબુત બની રહેશે.

પ્રેમ જીવનમાં આ લોકો પોતાના સાથી ની સાથે ખુશ જોવા મળશે જેનું કારણ તમારો સારો વેવહાર હશે.

તુલા રાશિ વાળા નું આરોગ્ય આ સમયગાળા માં સારું બનેલું રહેશે જેનું કારણ તમારી અંદર ની દ્રઢતા હશે.

ઉપાય : દરરોજ “ઓમ શુક્રાય નમઃ” નો 24 વાર જાપ કરો.

આવતા સપ્તાહ નું તુલા રાશિફળ

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોની કુંડળી માં સુર્ય મહારાજ દસમા ભાવ નો સ્વામી છે અને આનો ગોચર તમારા બારમા ભાવમાં થવા જઈ રહ્યો છે.

એના પરિણામસ્વરૂપ,લાપરવાહી અને યોજનાઓ ની કમી ના કારણે આ લોકોના હાથો થી સારા મોકા નીકળી શકે છે.

કારકિર્દી માં સુર્ય તુલા રાશિમાં ગોચર નોકરીમાં બદલાવ લઈને આવી શકે છે.સામાન્ય શબ્દ માં કહીએ તો આ સમયગાળા માં હાજર નોકરીમાં સંતુષ્ટિ ની કમી ના કારણે તમે નોકરીમાં પરિવર્તન કરી શકો છો.

વેપાર ની વાત કરીએ તો,આ લોકો દ્વારા વેપાર સારી રીતે નહિ ચાલવાના કારણે નુકશાન નો સામનો કરવો પડી શકે છ.એની સાથે,વિરોધીઓ માટે પણ તમારા માટે ખતરો બની શકે છે.

જયારે વાત આવે છે આર્થિક જીવન ની તો,તમારે પૈસા નું નુકશાન ઉઠાવું પડી શકે છે અને એનું કારણ ધ્યાન ની કમી હોવાની આશંકા છે.

નિજી જીવનમાં સાથી ની સાથે તમારા સબંધ માંથી ખુશીઓ ગાયબ રહી શકે છે જેનું કારણ આપસી સમજણ ની કમી હોવાની આશંકા છે.

સુર્ય ગોચર ના સમયગાળા માં તમને પગ ના દુખાવા ની સમસ્યા રહી શકે છે એટલા માટે પોતાનું ધ્યાન રાખો.

ઉપાય : દરરોજ હનુમાન ચાલીસા નો પાઠ કરો.

આવતા સપ્તાહ નું વૃશ્ચિક રાશિફળ

બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

ધનુ રાશિ વાળા માટે સુર્ય ગ્રહ તમારા નવમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા અગિયારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એવા માં,સુર્ય તુલા રાશિમાં ગોચર તમારા માટે ભાગ્યશાળી રહેશે અને આ સમયગાળા માં તમે તમારી બધીજ ઈચ્છાઓ પુરી કરવામાં સક્ષમ રેહશો.

કારકિર્દી ને જોઈએ,તો આ લોકો ઉત્સાહ થી ભરેલા રહેશે અને પોતાની કારકિર્દી માં પ્રગતિ મેળવશે.એના પરિણામસ્વરૂપ,તમે મન લગાડીને કામ કરતા જોવા મળશો.

વેપારમાં ધનુ રાશિ વાળા ને દરેક પગલે પોતાના નસીબ નો સાથ મળશે જે તમારી આવક સાથે સાથે લાભ ને વધારવાનું કામ કરશે.

આર્થિક જીવન માટે સુર્ય ના આ ગોચર ને સકારાત્મક કહેવામાં આવશે કારણકે આ સમયગાળા માં તમે વધારેમાં વધારે નફો કમાવા ની કોશિશ કરશો.એવા માં,તમે તમારી પુરી આવડત થી પૈસા ની બચત કરવાના પ્રયાસ કરશો.

પ્રેમ જીવન ની વાત કરીએ,તો આ દરમિયાન તમારો સબંધ પાર્ટનર સાથે ખુશીઓ અને ઉત્સાહ થી ભરેલો રહેશે.એના પરિણામસ્વરૂપ,આ લોકોના સબંધ સાથી સાથે સારા રહેશે.

સુર્ય ગોચર ના સમયગાળા માં તમારી રોગ પ્રતિરોધક આવડત મજબુત રહેવાથી તમારું આરોગ્ય સારું રહેશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે વૃદ્ધ બ્રાહ્મણો ને દહીં-ભાત નું દાન કરો.

આવતા સપ્તાહ નું ધન રાશિફળ

મકર રાશિ

મકર રાશિ વાળા ની કુંડળી માં સુર્ય મહારાજ તમારા આઠમા ભાવ નો સ્વામી છે અને હવે આનો આ ગોચર તમારા દસમા ભાવમાં થવા જઈ રહ્યો છે.

એના ફળસ્વરૂપ,સુર્ય તુલા રાશિમાં ગોચર દરમિયાન આ લોકોને પોતાના કામો ઉપર ધ્યાન અને સારી રીતે યોજના બનાવા ની જરૂરત હશે,નહીતો તમારે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.

કારકિર્દી માં તમારા હાથ માંથી નોકરીના સારા મોકા નીકળી શકે છે અને એની સાથે,સાચી યોજનાઓ ના અભાવ માં તમને મળવાવાળી નોકરીના નવા મોકા છુટી શકે છે.

સુર્ય ગોચર ના સમયગાળા માં તમારે બિઝનેસ પાર્ટનર ની સાથે વિવાદ કે મતભેદ થવાની આશંકા છે અને આના કારણે તમે નફો કરવાના સારા મોકા ગુમાવી શકો છો.

આર્થિક જીવનમાં લાપરવાહી ના કારણે તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે એટલે તમારે સતર્ક રેહવું જોઈએ.

નિજી જીવનમાં જીવનસાથી ની સાથે વાત કરીને ખોટા શબ્દ નો ઉપયોગ તમારી ઉપર ભારી પડી શકે છે અને સંભવ છે કે આનાથી નારાજ થઈને પાર્ટનર તમારો સાથ નહિ આપે એટલે તમને બહુ વિચાર કરીને વાત કરવાની સલાહ આપવામાં આવે છે.

આરોગ્ય ની દ્રષ્ટિ થી,સુર્ય તુલા માં પ્રવેશ સમયગાળા માં તમને પગ ના દુખાવા ની શિકાયત રહી શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ મંડાય નમઃ” નો 44 વાર જાપ કરો.

આવતા સપ્તાહ નું મકર રાશિફળ

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા માટે સુર્ય દેવ સાતમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા નવમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એવા માં,આ લોકોનું નસીબ અને મિત્રો નો સાથ દરેક પગલે મળશે.

કારકિર્દી માં સુર્ય ગોચર તમારા કામમાં કરવામાં આવેલી મેહનત ના કારણે સરહાના દેવડાવાનું કામ કરે છે અને એની સાથે,તમારું પ્રદશન પણ શાનદાર રહેશે.

વેપાર ની વાત કરીએ,તો આ સમયગાળા માં વેપાર કરવાવાળા લોકો મલ્ટીલેવલ બિઝનેસ કરી શકે છે અને એના માધ્યમ થી સારો નફો કમાવા માં સક્ષમ હશે.

આર્થિક જીવનમાં સુર્ય તુલા રાશિમાં ગોચર ભાગ્યશાળી રહેશે અને એવા માં,વધારે મેહનત નહિ કરતા છતાં પણ વધારેમાં વધારે પૈસા કમાશે.એની સાથે,તમે પૈસા ભેગા કરવામાં પણ સફળ રેહશો.

નિજી જીવનમાં આ લોકોને દરેક પગલે સાથી નો સાથ મળવાથી સબંધ માં ખુશીઓ ને પ્રેમ બનેલો રહેશે.એના ફળસ્વરૂપ,તમે ખુશ દેખાશો.

આરોગ્ય ની દ્રષ્ટિ થી,સુર્ય નો ગોચર કુંભ રાશિ વાળા માટે સારો રહેશે અને તમારે કોઈ મોટી આરોગ્ય સમસ્યા નો સામનો નહિ કરવો પડે.એવા માં,તમે ફિટ અને તંદુરસ્ત રહી શકશો.

ઉપાય : શનિવાર ના દિવસે ભગવાન શિવ માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું કુંભ રાશિફળ

મીન રાશિ

મીન રાશિ વાળા ની કુંડળી માં સુર્ય દેવ ને છથા ભાવ નું સ્વામિત્વ મળેલું છે અને હવે આ ગોચર તમારા આઠમા ભાવમાં થવા જઈ રહ્યો છે.

એના ફળસ્વરૂપ,તમને અચાનક લાભ મળી શકે છે.જો તમે લોન લેવાનો વિચાર કરી રહ્યા છો તો તમને સફળતા મળી શકે છે.

આ વર્ષે સુર્ય તુલા રાશિમાં ગોચર ના સમયગાળા માં તમારી ઉપર કામ નું દબાણ બહુ વધારે હોય શકે છે એટલે તમારા માટે યોજના બનાવીને ચાલવું ફાયદામંદ સાબિત થશે.

વાત કરીએ,વેપાર ની તો,મીન રાશિના વેપાર કરવાવાળા લોકોને બિઝનેસ માં નહિ તો લાભ કે નહિ તો નુકશાન થવાની સંભાવના છે.લાભ ની દ્રષ્ટિ થી,આ સમયગાળો સામાન્ય રહેશે,પરંતુ તમારા માટે સફળતા મેળવી મુશ્કિલ રહી શકે છે.

આર્થિક જીવનમાં સુર્ય ગોચર દરમિયાન તમારે તમારા ખર્ચા ઉપર નિયંત્રણ કરવું પડશે,અહીં તો તમારે ઉધાર લેવાની નોબત આવી શકે છે.

પ્રેમ જીવનમાં તમારા સબંધ માં પાર્ટનર ની સાથે તાલમેલ બેસાડવાની જરૂરત રહેશે કારણકે તમારા બંને ના સબંધ માં ખુશીઓ ની કમી રહી શકે છે.

આરોગ્ય ની વાત કરીએ,તો આ લોકો ને પાચન સાથે જોડાયેલી આરોગ્ય સમસ્યા નો સામનો કરવો પડી શકે છે જેના કારણે કમજોર રોગ પ્રતિરોધક આવડત હોવાની આશંકા છે.

ઉપાય : દરરોજ “ઓમ બ્રુમ બૃહસ્પતેય નમઃ” નો 21 વાર જાપ કરો.

આવતા સપ્તાહ નું મીન રાશિફળ

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. સુર્ય નો ગોચર કેટલા દિવસ માં થાય છે?

સુર્ય ગ્રહ ને પોતાની રાશિ બદલવા માં એક મહિના નો સમય લાગી શકે છે એટલે આમનો ગોચર દરેક મહિને થાય છે.

2. સુર્ય નો તુલા રાશિમાં ગોચર ક્યારે થશે?

તુલા રાશિમાં સુર્ય 17 ઓક્ટોમ્બર 2024 ના રોજ પ્રવેશ કરશે.

3. કયો ગ્રહ અસ્ત અને વક્રી નથી થતો?

નવગ્રહ માં સુર્ય એક ખાલી એવો ગ્રહ છે જે કોઈપણ દિવસ અસ્ત કે વક્રી નથી થતો.

Talk to Astrologer Chat with Astrologer