સિંહ રાશિફળ 2025

Author: Sanghani Jasmin | Updated Thu, 05 Sep 2024 10:26 PM IST

આ વર્ષે સિંહ રાશિફળ 2025 ના માધ્યમ થી આપણે જાણીશું કે વર્ષ 2025 સિંહ રાશિ વાળા નું આરોગ્ય,શિક્ષા,વેપાર-વેવસાય,નોકરી,આર્થિક પક્ષ,પ્રેમ,લગ્ન,પ્રેમ જીવન,પારિવારિક જીવન,જમીન,વાહન,વગેરે કેવા રહેવાના છે?આના સિવાય આ વર્ષે ગ્રહના ગોચર ના આધારે અમે તમને થોડા ઉપાય પણ જણાવીશું જેને અપનાવીને તમે સંભવિત પરેશાની કે દુવિધા નો હલ કરી શકશો.તો ચાલો આગળ વધીએ અને જાણીએ કે સિંહ રાશિના લોકો માટે આ રાશિફળ 2025 શું કહે છે.


Read in English: Leo Horoscope 2025

વર્ષ 2025 માં માં સિંહ રાશિ વાળા નું આરોગ્ય

સિંહ રાશિ વાળા,આરોગ્યના દ્રષ્ટિકોણ થી સિંહ રાશિફળ 2025 થોડું કમજોર રહી શકે છે.આ વર્ષે આરોગ્ય ને લઈને બિલકુલ લાપરવાહ નથી થવાનું.વર્ષ ની શુરુઆત ના સમય થી લઈને માર્ચ મહિના સુધી શનિ સાતમી નજર થી તમારા ભાવને જોશે.જે શરીર માં આળસ નો ભાવ આપી શકે છે.ક્યારેક-ક્યારેક શરીર નો દુખાવો અને જોડો નો દુખાવો પણ થઇ શકે છે.પરંતુ માર્ચ પછી થી શનિ નો પ્રભાવ પેહલા ભાવથી દુર થઇ જશે પરંતુ શનિ તમારા આઠમા ભાવમાં ચાલ્યો જશે.આઠમા ભાવમાં શનિ ના ગોચર ને સારો નથી માનવામાં આવતો.આરોગ્ય ઉપર પણ આનો નકારાત્મક પ્રભાવ માનવામાં આવ્યો છે.

હમણાં શનિ ના ગોચર ના કારણે આ વર્ષે આરોગ્ય પ્રત્ય જાગરૂક બની રેહવું બહુ જરૂરી રહેશે.ત્યાં મે મહિના પછી રાહુ કેતુ નો પ્રભાવ પણ તમારા પેહલા ભાવ ઉપર રહેશે.આ સ્થિતિઓ આરોગ્ય માટે સારી નથી કહેવામાં આવતી.ખાસ કરીને પેટ ની સમસ્યા,માથા નો દુખાવો,ભ્રમ જેવી સમસ્યાઓ,વધારે જોવા મળી શકે છે.તમારું ખાવા-પીવા નું પણ અસંયમિત રહી શકે છે.જેના કારણે ગેસ,વગેરે ની શિકાયત જોવા મળી શકે છે એટલે આ બધાજ વિષય થી તમારે જાગરૂક રેહવું જોઈએ.

પરંતુ આ બધા ની વચ્ચે અનુકુળ વાત એ રહેશે કે મે મધ્ય ની પછી થી ગુરુ નો પ્રભાવ તમારા લાભ ભાવ છતાં પાંચમા ભાવ ઉપર રહેશે.જે પેટ જેવી સમસ્યાઓ ને નિયંત્રણ કરવામાં તમારી મદદ કરી શકે છે.નહીતો આ વર્ષે આરોગ્ય થોડું કમજોર રહી શકે છે પરંતુ ગુરુ ની અનુકુળતા તમારા રિકવરી રેટ ને સારો કરશે.ફળસ્વરૂપ સાવધાનીપુર્વક નિર્વાહ કરવાવાળા લોકો પોતાના આરોગ્યને જાળવી રાખી શકે છે.

हिंदी में पढ़ें: सिंह राशिफल 2025

કોઈપણ નિર્ણય ને લેવામાં આવી રહી છે સમસ્યા,તો અત્યારે કરો અમારા વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત

વર્ષ 2025 માં સિંહ રાશિ વાળા ની શિક્ષા

સિંહ રાશિ વાળા,શિક્ષા ના દ્રષ્ટિકોણ થી વર્ષ 2025 સામાન્ય રીતે અનુકુળ પરિણામ આપી શકે છે.જો તમારું આરોગ્ય સામાન્ય રીતે સારું બની રહેશે તો શિક્ષા સાથે સબંધિત ભાવ અને ગ્રહ આ વર્ષે તમને સારા પરિણામ આપીને તમારા શિક્ષા ના સ્તર ને મજબુત કરશે.વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિનાની વચ્ચે સુધી ગુરુ સાતમી નજર થી ચોથા ભાવને જોશે.જે શિક્ષા ખાસ કરીને ઉચ્ચ શિક્ષા ના મામલો માં તમારા માટે સારી મદદ કરશે.

નવમી દ્રષ્ટિ થી ગુરુ છથા ભાવને જોશે જે પ્રતિયોગી પરીક્ષા માં તમને સારા પરિણામ આપશે.વેવસાયિક શિક્ષા મેળવા વાળા વિદ્યાર્થીઓ માટે પણ ગુરુ ની આ સ્થિતિ અનુકુળ કહેવામાં આવશે.ત્યાં મે મહિનાની વચ્ચે પછી લગભગ બધાજ વિદ્યાર્થી ને ગુરુ ના આર્શિવાદ જરૂરી માત્રા માં મળશે અને તમે શિક્ષા ના વિષય માં બહુ સારું કરી શકશો.બુધ નો ગોચર પણ વધારે પડતો સમય તમારા માટે અનુકુળ સમય આપીને તમારા શિક્ષા ના સ્તર ને સુધારશે.એવામાં વેવસાયિક શિક્ષા લેવાવાળા વિદ્યાર્થીઓ,કાનુન ની શિક્ષા લેવાવાળા વિદ્યાર્થીઓ ની સાથે બીજા વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષે સારા પરિણામ મળી શકશે.વર્ષ 2025 નો અધિકાંશ ભાગ તમારી શિક્ષા માટે અનુકુળ પરિણામ આપતું પ્રતીત થઇ રહ્યું છે.

વર્ષ 2025 માં સિંહ રાશિ વાળા ના વેપાર વેવસાય

સિંહ રાશિ વાળા,વેપાર વેવસાય ના દ્રષ્ટિકોણ થી સિંહ રાશિફળ 2025 તમને મિશ્રણ પરિણામ આપી શકે છે.તો પણ જાગરૂક અને ચૈતન્ય રેહવાની જરૂરત આખું વર્ષ બની રહેશે.વર્ષ ની શુરુઆત થી લઈને માર્ચ મહિના સુધી સપ્તમેશ શનિ સાતમા ભાવમાં જ રહેશે.એવા માં કઠિનાઈ પછી તમે વેપાર વેવસાય માં તુલનાત્મક રૂપથી સારું કરી શકશે.ત્યાં માર્ચ પછી શનિ ગ્રહ આઠમા ભાવમાં ચાલ્યો જશે.આઠમા ભાવમાં શનિ ના ગોચર ને સારો નથી માનવામાં આવતો.લિહાજા વેપાર વેવસાય કે કોઈપણ પ્રકારના રોકાણ ના મામલો માં રિસ્ક લેવું ઠીક નહિ રહે.

મે મહિના પછી રાહુ નો ગોચર પણ સાતમા ભાવમાં પ્રભાવ નાખવા લાગશે.અહીંયા થી પણ એ વાત નો સંકેત મળી રહ્યો છે કે વેપારીક નિર્ણય માં હવે અપેક્ષા મુજબ વધારે સુજ્બુજ ની જરૂરત રહેશે.બીજા શબ્દ માં આ વર્ષે કોઈ નવો અને ખર્ચીલો પ્રયોગ કરવો ઉચિત નહિ રહેશે.જે જેવું ચાલી રહ્યું છે સાવધાનીપુર્વક એનેજ જાળવી રાખવાની જરૂરત છે.કોઈની ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો ઉચિત નહિ રહેશે.

વર્ષ 2025 માં સિંહ રાશિ વાળા ની નોકરી

સિંહ રાશિ વાળા,નોકરિયાત લોકોને સિંહ રાશિફળ 2025 માં મિશ્રણ પરિણામ મળી શકે છે.છથા ભાવ નો સ્વામી વર્ષ ની શુરુઆત થી લઈને માર્ચ સુધી પોતાનીજ બીજી રાશિ માં રહેશે.નાની-મોટી કઠિનાઈ પછી તમે તમારા લક્ષ્ય સુધી પોહચી રેહશો.આ સમયગાળા માં પ્રમોશન વગેરે ની સંભાવના પણ રહેશે પરંતુ માર્ચ પછી કઠિનાઈ થોડી વધી શકે છે.આવામાં જો તમે ઈમાનદારી થી મન લગાડીને કામ કરતા રેહશો અને પરેશાનીઓ ને નજરઅંદાજ કરીને તમારો 100% આપશો તો નોકરી સુરક્ષિત બની રહેશે.

ગુરુ નો ગોચર પણ આ વિષય માં તમારી મદદ કરતો રહેશે.વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિનાની વચ્ચે સુધી ગુરુ નવમી નજર થી છથા ભાવ ઉપર પ્રભાવ નાખીને તમારી નોકરીને સારી સ્થિતિ માં રાખવાની કોશિશ કરશે.મે મહિનાની વચ્ચે પણ ગુરુ લાભ ભાવમાં પોંહચીને ઘણી જગ્યા એ તમને સપોર્ટ કરશે.આ રીતે અમે તમને કહી શકીશું કે વર્ષ 2025 તમારી નોકરી માટે કઠિનાઈ ભરેલો તો રહેશે પરંતુ પરિણામ સામાન્ય રીતે તમારા પક્ષ માં રહેશે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

વર્ષ 2025 માં સિંહ રાશિ વાળા નો આર્થિક પક્ષ

સિંહ રાશિ વાળા,આર્થિક મામલો માં પણ તમને મિશ્રણ પરિણામ આપી શકે છે.સિંહ રાશિફળ 2025 આવક ના દ્રષ્ટિકોણ થી આ વર્ષ સામાન્ય રીતે સારું રહી શકે છે.પરંતુ વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિનાની વચ્ચે સુધી ગુરુ પાંચમી નજર થી પૈસા ના ભાવ ને જોશે.જે બચત કરવામાં મદદગાર બનશે.એની સાથે સાથે બચત કરેલા પૈસા ને સુરક્ષિત રાખવામાં માં પણ મદદ કરશે.ત્યાં મે મહિનાની મધ્ય પછી ગુરુ લાભ ભાવમાં પોંહચીને તમારા આર્થિક પક્ષ ને વધારે મજબુત કરશે.

આવક નો સ્ત્રોત અપેક્ષા મુજબ મજબુત હશે પરંતુ વર્ષ ની શુરુઆત થી મે મહિના સુધી રાહુ કેતુ ના પ્રભાવ અને માર્ચ પછી થી લઈને આગળ નો સમય શનિ ના બીજા ભાવ માં પ્રભાવ થોડી કઠિનાઈ દેવાનું કામ કરી શકે છે.જ્યાં એકબાજુ ગુરુ તમારા આર્થિક પક્ષ ને મજબુત કરવા માંગે છે ત્યાં બીજી બાજુ રાહુ,કેતુ અને શનિ આર્થિક પક્ષ ને કમજોર કરવા માંગે છે.તો આજ રીતે તમને તમારા કર્મો મુજબ આર્થિક લાભ થતો રહેશે.

વર્ષ 2025 માં સિંહ રાશિ વાળા ની લવ લાઈફ

સિંહ રાશિ વાળા,પ્રેમ સબંધ માટે આ વર્ષ સામાન્ય રીતે એવરેજ કે એવરેજ કરતા સારા પરિણામ આપી શકે છે.સિંહ રાશિફળ 2025 તમારા પાંચમા ભાવ નો સ્વામી ગુરુ,વર્ષ ની શુરુઆત થી લઈને મધ્ય ભાગ સુધી કર્ક ભાવ માં રહેશે.આવામાં બીજા લોકોને એવરેજ પણ એ લોકોને સારા પરિણામ મળી શકે છે.જેમનો પ્રેમ પ્રસંગ કોઈ સહકર્મી ની સાથે છે.ત્યાં મે મહિનાની વચ્ચે ગુરુ લાભ ભાવમાં પોંહચીને પ્રેમ સબંધો માં સારી એવી અનુકુળતા દેવા માંગે છે.

માર્ચ પછી થી શનિ ની દસમી નજર પ્રેમ ભાવ ઉપર રહેશે જે પ્રેમ નો દેખાવો કરવાવાળા લોકોની વચ્ચે -વચ્ચે તકલીફ આપી શકે છે પરંતુ સાચા પ્રેમી-પ્રેમિકાઓ ને તકલીફ નહિ થવી જોઈએ કારણકે મે મહિનાની માધ્ય ભાગ પછી ગુરુ નો ગોચર તમારા પાંચમા છતાં સાતમા ભાવ ઉપર પ્રભાવ નાખશે.તમે તમારી લવ લાઈફ નો આનંદ લઇ શકશો.પ્રેમ લગ્ન ની ઈચ્છા રાખવા વાળા લોકોનો રસ્તો સહેલો નહિ રહે.નવા નવા યુવા બની રહેલા લોકોને મિત્રો અને લવ પાર્ટનર ની પ્રાપ્તિ માટે સંભવિત છે.

વર્ષ 2025 માં સિંહ રાશિ વાળા ના લગ્ન અને લગ્ન જીવન

સિંહ રાશિ વાળા,જેની ઉંમર લગ્ન ની થઇ ગઈ છે અથવા જે લોકો લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા છે,એમને સિંહ રાશિફળ 2025 સારી સફળતા આપી શકે છે.ખાસ કરીને મે મધ્ય ની વચ્ચે નો સમય લગ્ન કરાવા માટે સારો મદદગાર બની શકે છે.સગાઇ અને લગ્ન બંને ના દ્રષ્ટિકોણ થી આ વર્ષ સારું રહી શકે છે.પ્રેમ લગ્ન ની ઈચ્છા રાખવાવાળા લોકોને પણ આ વર્ષ સારા પરિણામ આપી શકે છે.મે મહિના પછી રાહુ,કેતુ નો પ્રભાવ સાતમા ભાવ ઉપર રહેશે,જે બીજી જાતિ માં લગ્ન કરવાની ઈચ્છા રાખવાવાળા લોકોને મદદ કરે છે.

ત્યાં લગ્ન જીવન ની વાત કરીએ તો આ મામલો માં વર્ષ એવરેજ કે પછી એવરેજ કરતા અમુક હદ વધારે કમજોર રહી શકે છે.વર્ષ ની શુરુઆત થી લઈને માર્ચ ના મહિના સુધી શનિ નો ગોચર સાતમા ભાવમાં રહેશે.ત્યાં મે પછી રાહુ કેતુ નો પ્રભાવ સાતમા ભાવ ઉપર ચાલુ થઇ જશે.આ બંને સ્થિતિ સારી નથી.દાંપત્ય જીવનમાં વચ્ચે વચ્ચે થોડી પરેશાનીઓ જોવા મળી શકે છે.પરંતુ આ બધા ની વચ્ચે અનુકુળ વાત એ રહેશે કે ગુરુ મે મહિનાની મધ્ય પછી નવમી નજર થી સાતમા ભાવને જોઈને સમસ્યાઓ ને દુર કરવાનો પ્રયાસ કરશે.બીજા શબ્દ માં સમસ્યાઓ આવશે પરંતુ સારી પણ થઇ જશે.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ

વર્ષ 2025 માં સિંહ રાશિ વાળા નું પારિવારિક જીવન

સિંહ રાશિ વાળા,પારિવારિક મામલો માટે સિંહ રાશિફળ 2025 મિશ્રણ પરિણામ આપી શકે છે.વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિના સુધી રાહુ કેતુ નો પ્રભાવ બીજા ભાવ ઉપર છે,જે પારિવારિક સબંધો માં વચ્ચે-વચ્ચે થોડી પરેશાનીઓ આપી શકે છે પરંતુ આ બધા ની વચ્ચે અનુકુળ વાત એ છે કે ગુરુ નો પ્રભાવ પણ બીજા ભાવ ઉપર બનેલો છે.જે સમસ્યાઓ દુર કરવાનું કામ કરશે.બીજા શબ્દ માં ઘર-પરિવારના લોકોની વચ્ચે આપસી અનબન અને ગલતફેમીઓ જોવા મળી શકે છે કે બીજી કોઈ પરેશાની જોવા મળી શકે છે પરંતુ એ સમસ્યા જલ્દી ઠીક થઇ જશે.

આ અનુકુળતા ની પાછળ મોટા વડીલો ની સુજબુજ નો ખાસ હાથ રહેશે.એવી સ્થિતિ માં તમને પણ મોટા વડીલો નું સાંભળવું પડે.માર્ચ મહિનાની પછી થી શનિ નો પ્રભાવ બીજા ભાવ ઉપર રહેશે.આને પણ થોડી કમજોર સ્થિતિ માનવામાં આવે છે.પારિવારિક સબંધો ના મામલો માં આ વર્ષે કોઈપણ પ્રકારની લાપરવાહી ઉચિત નહિ રહે.પારિવારિક જીવન ની વાત કરીએ તો આ મામલો માં આ વર્ષે કોઈ મોટી પરેશાની નો યોગ નથી.

ચોથા ભાવ નો સ્વામી મંગળ આખા વર્ષ મુજબ જોઈએ તો એવરેજ લેવલ નો સપોર્ટ એટલે કે થોડો સમય સારો તો થોડો સમય કમજોર પરિણામ આપી શકે છે.તો બીજા ગ્રહ પાસેથી પણ આવુજ પરિણામ મળી શકે છે કારણકે ગ્રહ નો નહિ તો વિરોધ કરી રહ્યા છો કે નહિ તો સપોર્ટ.એવામાં અમે કહી શકીએ છીએ કે પારિવારિક જીવન તમારા કર્મો મુજબ પોતાના પરિણામ આપે છે.

વર્ષ 2025 માં સિંહ રાશિ વાળા ની જમીન,ભવન,વાહન સુખ

સિંહ રાશિ વાળા,જમીન અને ભવન સાથે સબંધિત મામલો માં આ વર્ષ સામાન્ય લેવલ ના પરિણામ આપી શકે છે.સિંહ રાશિફળ 2025 બીજા શબ્દ માં પોતાની કોશિશ અને મેહનત મુજબ પરિણામ મેળવતા રહેશે પરંતુ આ વિષય માં કોઈપણ પ્રકારના રિસ્ક નહિ લેવા જોઈએ.વર્ષ ની શુરુઆત થી લઈને માર્ચ મહિના સુધી દસમી નજર ચોથા ભાવ ઉપર રહેશે.આ કમજોર વાત છે પરંતુ ગુરુ ની નજર પણ રહેશે એ પણ અનુકુળ વાત છે.

ત્યાં એના પછી શનિ આઠમા ભાવમાં જઈને અલગ અલગ મામલો માં કમજોરી દેવાનું કામ કરી શકે છે.જયારે ગુરુ લાભ ભાવમાં જઈને અલગ અલગ મામલો માં અનૂકૂળતા આપશે.આ રીતે અમે કહી શકીએ છીએ કે તમે ફરીથી કોઈ જમીન કે મિલકત ખરીદવાની ઈચ્છા રાખો છો તો બહુ સુજબુજ સાથે આગળ વધી શકો છો પરંતુ આ મામલો માં કોઈપણ પ્રકારનું રિસ્ક લેવું ઠીક નહિ રહે.વાહન સાથે સબંધિત મામલો માં પણ લગભગ આવુજ પરિણામ રહી શકે છે.જો તમારું જુનું વાહન કામ કરી રહ્યું છે તો નવા વાહન માં પૈસા ખર્ચ કરવા ઉચિત નથી.જો કોઈ જુનું વાહન ખરીદવા માંગો છો તો એને સારી રીતે ચેક કરીને અને કાગળ ચેક કરીને ખરીદવું સારું રહેશે.

વર્ષ 2025 માં સિંહ રાશિ વાળા માટે ઉપાય

રત્ન,યંત્ર સાથે બધાજ જ્યોતિષય સમાધાન માટે મુલાકાત લો.: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. શું 2025 સિંહ રાશિ માટે સારું વર્ષ રહેશે?

સિંહ રાશિફળ મુજબ સિંહ રાશિના લોકો માટે વર્ષ 2025 સામાન્ય રીતે સારા પરિણામ લઈને આવશે.આ વર્ષે જાન્યુઆરી ની વચ્ચે નાણાં,કારકિર્દી અને શિક્ષા સાથે જોડાયેલા સારા પરિણામ મળશે.

2. સિંહ રાશિના લોકો ક્યાં સુધી પરેશાન રહેશે?

સિંહ રાશિ વાળા ઉપર શનિ ની સાડાસાતી 13 જુલાઈ 2034 થી ચાલુ થઈને 29 જાન્યુઆરી 2041 સુધી ચાલશે.

3. સિંહ રાશિના લોકો માટે ક્યાં ભગવાન શુભ હોય છે?

સિંહ રાશિના લોકોએ સુર્ય દેવની પુજા જરૂર કરવી જોઈએ.સુર્ય દેવ ની કૃપા થી આ લોકોને બહુ માન-સમ્માન મળશે.આ લોકોને જીવનમાં કોઈપણ વસ્તુ ની કમી મહેસુસ નહિ થાય.

Talk to Astrologer Chat with Astrologer