શનિ ગોચર 2025

Author: Sanghani Jasmin | Updated Tue, 27 Aug 2024 04:44 PM IST

શનિ ગ્રહ ને ન્યાયધીશ કે દંડનાયક પણ કહેવામાં આવે છે.લાંબા સમય થી આ પોતાની કુંભ રાશિમાં બિરાજમાન હતો અને હવેશનિ ગોચર 2025પોતાની કુંભ રાશિ માંથી નીકળીને ગુરુ ના આધિપત્ય વાળી મીન રાશિમાં પ્રવેશ કરશે.શનિ 29 માર્ચ 2025 ના દિવસે 10 વાગીને 7 મિનિટે રાતે મીન રાશિમાં પ્રવેશ કરી જશે અને એની સાથે મકર રાશિના લોકોની સાડાસાતી પુરી થઇ જશે અને મેષ રાશિના લોકોની સાડાસાતી ચાલુ થશે.


શનિ ગ્રહ નો ગોચર લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં હોવાના કારણે આ સૌથી વધારે લાંબા સમય સુધી એક રાશિમાં ગોચર કરે છે જેનો પ્રભાવ બધાજ લોકો ઉપર પડે છે.શનિ નો મીન રાશિ માં ગોચર કરવાથી મેષ રાશિને પેહલા ચરણ ની,મીન રાશિને બીજા ચરણ ની અને કુંભ રાશિને છેલ્લા ચરણ ની સાડાસાતી પ્રભાવિત કરે છે.જ્યાં સુધી શનિ ની પનોતી નો સવાલ છે છતાં ધનુ રાશિ ની પનોતી ચાલુ થશે અને કર્ક રાશિ માટે કંટક શનિ ની દશા પુરી થઇ જશે અને સિંહ રાશિ વાળા માટે ચાલુ થશે.

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

આજ વર્ષે 29 માર્ચ ના દિવસે શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં ગોચર કરવાથી 22 ફેબ્રુઆરી 2025 ની સાંજે 11 વાગીને 23 મિનિટે શનિ મહારાજ અસ્ત અવસ્થા માં આવશે અને જયારે આ 29 માર્ચ 2025 ના દિવસે મીન રાશિમાં પ્રવેશ કરશે તો અસ્ત અવસ્થા માંજ થશે અને ત્યાં 31 માર્ચ 2025 ના દિવસે 12 વાગીને 43 મિનિટે અસ્ત અવસ્થા માંથી ઉદય અવસ્થા માં આવશે.

શનિ મીન રાશિ વાળા માટે ખાસ પ્રભાવશાળી ગ્રહ બની જશે.આ મીન રાશિમાં 13 જુલાઈ 2025 ના દિવસે 7 વાગીને 24 મિનિટે વક્રી અવસ્થા માં પોતાની ચાલ ચાલશે અને 28 નવેમ્બરે 2025 ના દિવસે સવારે 7 વાગીને 26 મિનિટે એ માર્ગી અવસ્થા માં આવશે.

શનિ એક અનુશાસન શીખવાડવાવાળો શિક્ષક છે જે ન્યાય નો સિદ્ધાંત આપે છે.એ શિક્ષક ની જેમ અમારી શક્તિઓ ને ભેગી કરવામાં અને એમની પાસેથી સરખું કામ લેવામાં અમને શીખવાડે છે એટલે અમે સાચા રસ્તે ચાલી શકીએ અને ખોટા રસ્તા માં ચાલવા છતાં વારંવાર આગાહ કર્યા પછી જો અમે નહિ સમજીએ તો અમને દંડ આપે છે એ અધિકાર પણ શનિ પાસે છે.આ અમને સીમા માં બંધાવા અને કામને મહત્વ આપવાનું શીખવાડે છે.મીન રાશિમાં શનિ મહારાજ ના હોવાથી દેવગુરુ ગુરુ ના જ્ઞાન થી રાશિમાં જયારે જ્યારે શનિ ત્યાંથી સંક્રમણ કરશે, ત્યારે તે ગુરુના નક્ષત્ર પૂર્વાભાદ્રપદ, તેના પોતાના નક્ષત્ર ઉત્તરાભાદ્રપદ અને બુધના નક્ષત્ર રેવતીમાંથી પસાર થશે. શનિદેવનું આ ગોચર ખાસ કરીને અસરકારક રહેશે જેની અસર તમારી રાશિ પર પણ પડશે. તો ચાલો આગળ વધીએ અને તમારી રાશિ માટે શનિ ગોચર 2025 વિશે વિગતવાર જાણીએ કે તમારા વ્યવસાય, તમારી નોકરી, તમારા અંગત જીવન પર કેવા પ્રકારની અસર પડશે.

Click here to read in English: Saturn Transit 2025

મેષ રાશિફળ

મેષ રાશિ માં શનિ દેવ દસમ અને એકાદશ ભાવ નો સ્વામી થઈને તમારા દ્રાદશ ભાવમાં પ્રવેશ કરશેશનિ ગોચર 2025જેનાથી તમારી સાડાસાતી ચાલુ થશે.અહીંયા થી શનિ ની નજર તમારા બીજા ભાવ,છથા ભાવ અને નવમા ભાવ ઉપર રહેશે જેનાથી લાંબી યાત્રાઓ નો યોગ બનશે.વિદેશ યાત્રા અને વિદેશ માં લાંબા સમય સુધી રેહવાની ઈચ્છા પુરી થઇ શકે છે.આની સાથે વધારે ખર્ચ થવાના યોગ બનશે.તમારા ખર્ચ તમારી આવક કરતા વધારે મોટા હોઈ શકે છે એટલે તમારે તમારા ખર્ચ ઉપર ધ્યાન દેવાની બહુ જરૂરત પડશે.આ સમય આરોગ્ય સમસ્યાઓ નો જન્મ આપી શકે છે.આંખ માં બળવું,આંખ માંથી પાણી નીકળવું,આંખ ની રોશની ઓછી થવી,પગમાં લાગવું,વગેરે સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે.જો તમે કોઈ એવો વેપાર કરો છો કે જ્યાં વિદેશ માં તમારા સંપર્ક હોય અથવા તમે કોઈ બહાર ની કંપની માં નોકરી કરતા હોવ તો એના માધ્યમ થી પૈસા પ્રાપ્તિ નો યોગ બની શકે છે.આ દરમિયાન તમને તમારી રોગપ્રતિરોધક આવડત માં કમી મહેસુસ થઇ શકે છે અને તમે બીમાર થઇ શકો છો.જુલાઈ થી નવેમ્બર ની વચ્ચે જયારે શનિ મહારાજ વક્રી અવસ્થા માં હશે ત્યારે આ સમસ્યાઓ માં વધારે વધારો થશે એટલે તમારે સાવધાન રેહવું પડશે.એના પછીનો સમય આરામદાયક હોય શકે છે.

ઉપાય : શનિવાર ના દિવસે શ્રી બજરંગ બાણ નો પાઠ કરો.

વૃષભ રાશિફળ

વૃષભ રાશિના લોકો માટે શનિ દેવ ને નવમા ભાવ અને દસમા ભાવ નો સ્વામી હોવાથી યોગકારક ગ્રહ કહેવામાં આવે છે અને ચાલુ શનિ ગોચર 2025 માં આ તમારા એકાદશ ભાવમાં પ્રવેશ કરશે.આ ગોચર ઘણી રીતે તમારા માટે ફાયદાકારક રહેશે.વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારા સબંધ અનુકુળ બનશે.ત્યાં બેઠેલા શનિ દેવ ની નજર તમારી રાશિ ઉપર,તમારી પંચમ ભાવ પર અને તમારા આઠમા ભાવ ઉપર રહેશે જેનાથી તમારી સમસ્યાઓ ને દુર કરશે.તમને બધીજ જગ્યા એ વિજય બનાવશે.અગિયારમા ભાવમાં શનિ નો ગોચર બહુ વધારે અનુકુળ કહેવામાં આવે છે.પરંતુ આ દરમિયાન શિક્ષા માં થોડી કાળજી રાખવી પડશે.તમને બાળક ને લઈને થોડી ચિંતાઓ થઇ શકે છે પરંતુ એના પછી નો સમય સારો રહેશે.તમારી ઈચ્છાઓ પુરી થશે.વરિષ્ઠ અધિકારીઓ નું સાનિધ્ય નોકરીમાં ઉન્નતિ ના યોગ બનશે.વેપારમાં પણ ઉચ્ચ સફળતા મળી શકે છે.લાંબી યાત્રાઓ થી તમારા કામ બનશે.તમે પોતે એક અનુશાસિત જીવન જીવવાનું પસંદ કરશો.જે કામ પૈસા ના કારણે અટકેલા હતા હવે તમને પાકું મળશે,જે તમારી પૈસા ની કમી ને પુરી કરશે અને આનાથી રોકાયેલા કામ બનશે.

ઉપાય : માં દુર્ગા જી ના બીજ મંત્ર નો જાપ કરવો તમારા માટે લાભકારક રહેશે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મિથુન રાશિફળ

મિથુન રાશિ માટે શનિ દેવ આઠમા ભાવ અને નવમા ભાવ નો સ્વામી છે અને ચાલુ શનિ ગોચર 2025 ના સમયે આ તમારા દસમા ભાવમાં ગોચર કરશે.તમારી રાશિ સ્વામી બુધ ના શનિ મહારાજ મિત્ર છે એટલે તમારા માટે આ ગોચર સારો રહેશે.કાર્યક્ષેત્ર માં તમને સારું પ્રદશન કરવાનો મોકો મળશે.તમારી ઉપર કામનું દબાણ વધી શકે છે એટલે તમારે વધારે મેહનત કરવી પડશે.તમારે વધારે મેહનત કરવી પડશે અને વધારે પ્રયાસ પછીજ તમને સફળતા મળશે.અહીંયા બેઠેલા શનિ મહારાજ દ્રાદશ ભાવ,ચોથા ભાવ અને સાતમા ભાવ ને પુર્ણ દ્રષ્ટિથી જોશે જેનાથી ખર્ચ માં થોડી કમી આવશે પરંતુ પારિવારિક જીવનમાં ઉતાર-ચડાવ બનેલો રહેશે.તમને જુલાઈ થી નવેમ્બર ની વચ્ચે પરિવારના વૃદ્ધ સભ્યો ખાસ કરીને માતા-પિતા ના આરોગ્ય નું ધ્યાન રાખવું પડશે કારણકે આ દરમિયાન એ લોકો બીમાર પડી શકે છે.તમારે તમારા જીવનસાથી કરતા પણ વધારે નિયમ પ્રમાણે ચાલવું તમારા આરોગ્ય માટે સારું રહેશે આ ગોચર તમારી ઈચ્છાઓ પુરી કરશે અને નસીબ ની કૃપાથી તમારા બધાજ કામ પુરા થશે જેનાથી તમારા જીવનમાં સફળતા આવશે.આ ગોચર તમારી કારકિર્દી માં સફળતા લઈને આવશે.

ઉપાય : શનિવાર ના દિવસે અપંગ લોકોને ભોજન દાન કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

કર્ક રાશિફળ

શનિ ગોચર મુજબ કર્ક રાશિ ના લોકો માટે શનિ મહારાજ સાતમા અને આઠમા ભાવ નો સ્વામી છે અને ચાલુ ગોચર માં આ તમારા નવમા ભાવમાં પ્રવેશ કરશે જેનાથી કર્ક રાશિના લોકો માટે ચાલી રહેલી પનોતી પુરી થઇ જશે અને તમારા કામમાં આવી રહેલી રુકાવટ પણ ધીરે-ધીરે દુર થવા લાગી છે.વેપાર માટે કરવામાં આવેલી યાત્રાઓ તમારા માટે લાભકારી રહેશે.જીવનસાથી સાથે તમારા સબંધ સામાન્ય થવા લાગશે.તમે એકબીજા સાથે લાંબી યાત્રાઓ કરશો.હરવા-ફરવાથી અને એકબીજા સાથે વધારે સમય પસાર કરવાથી તમારો સબંધ પરિપક્વ અને પેહલા કરતા વધારે મીઠો થઇ જશે.અંદર ની ગલતફેમી દુર થશે અને લાંબા સમય થી જે પૈસા અટકેલા હતા એ પણ પાછા આવવા લાગશે.જુલાઈ થી નવેમ્બર ની વચ્ચે તમારે સાવધાન રેહવું જોઈએ.આરોગ્ય સમસ્યા તમને પરેશાન કરી શકે છે.એના પછીનો સમય અનુકુળ રહેશે.અહીંયા બેઠેલો શનિ દેવ એકાદશ ભાવ,બીજો ભાવ અને છથા ભાવથી અચાનક પૈસા નો લાભ થશે.આવક માં વધારો થશે.ઈચ્છાઓ પુરી થશે અને જીવનમાં અચાનક પૈસા નો લાભ થશે.શેર માર્કેટ માં કરવામાં આવેલા રોકાણ થી પણ તમને આ દરમિયાન પૈસા નો લાભ થઇ શકે છે.પિતાજી ને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે એટલે એનું ધ્યાન રાખો.

ઉપાય : શનિવાર ના દિવસે સાબુત કાળી અડદ ની દાળ નું દાન કરો.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

સિંહ રાશિફળ

સિંહ રાશિના લોકો માટે શનિ છથા અને સાતમા ભાવ નો સ્વામી થઈને ચાલુ સમય માં તમારા આઠમા ભાવમાં પ્રવેશ કરશે જેનાથી સિંહ રાશિના લોકો માટે કંટક શનિ ની ઢૈયા ચાલુ થઇ જશે.આ શનિ ગોચર 2025 દરમિયાન તમારે તમારા આરોગ્ય ઉપર ખાસ ધ્યાન દેવાની જરૂરત પડશે કારણકે આ સમય કોઈ લાંબી બીમારી નો હોઈ શકે છે.તમારે નાનામાં નાની બીમારી ને પણ નજરઅંદાજ કરવાથી બચવું પડશે જેનાથી તમે કોઈ મોટી બીમારી ની ચપેટ માં આવવાથી બચી શકો.આ દરમિયાન તમે તમારી ઉધારી ચુકાવમાં સફળ થઇ શકશો.તમે પુરી મેહનત કરશો કે આ સમયે તમારી ઉપર જેટલી ઉધારી છે એ ભરાઈ જાય.બીમારી સામે લડવા માટે તમને શક્તિ મળશે.કોર્ટ કચેરી ના વિષય માં સફળતા મળશે પરંતુ તમારે પૈસા બહુ વધારે ખર્ચ કરવા પડશે.ખર્ચ માં વધારો થશે.સસુરાલ વાળા લોકો સાથે તમારી મુલાકાત વારંવાર થશે અને કોઈ ખાસ મુદ્દા ઉપર એમની સાથે વાતચીત થઇ શકે છે.અહીંયા બિરાજમાન થઈને શનિ મહારાજ તમારા દસમા,બીજા અને પાંચમા ભાવમાં દેખાશે જેનાથી કાર્યક્ષેત્ર માં ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે પરંતુ તમે શાંત રહીને વધારે મેહનત કરશો તો કાર્યક્ષેત્ર માં સફળતા મળશે.જુલાઈ થી નવેમ્બર ની વચ્ચે કાર્યક્ષેત્ર માં ઉતાર-ચડાવ રહી શકે છે.એનું ધ્યાન રાખો અને આરોગ્ય નું પણ ધ્યાન રાખો.એના પછી નો સમય સફળતા આપશે.

ઉપાય : શનિવાર ના દિવસે મહારાજ દશરથ કૃત નીલ શનિ સ્ત્રોત નો પાઠ કરો.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ

કન્યા રાશિફળ

કન્યા રાશિના લોકો માટે શનિ પાંચમા ભાવ અને છથા ભાવ નો સ્વામી છે અને ચાલુ શનિ ગોચર 2025 તમારા સાતમા ભાવમાં થવા જઈ રહ્યો છે જે લાંબી ભાગીદારી નો ભાવ છે.આ દરમિયાન તમારા પ્રેમ લગ્ન થવાનો યોગ બની શકે છે.જો તમે કોઈને પ્રેમ કરો છો તો તમારો પ્રેમ સફળ થઇ શકે છે અને તમારો પ્રેમ લગ્ન માં ફરી શકે છે.આ સમયે તમે લગ્ન અથવા વેપાર માટે અથવા કોઈ જરૂરી કામ માટે બેંક લોન વગેરે લેશો તો એમાં તમને સફળતા મળી શકે છે.આ દરમિયાન વેવસાયિક ભાગીદારી થી પોતાના સબંધો ને સુધારવા ઉપર ધ્યાન આપો.અહીંયા થી શનિ દેવ તમારા નવમા ભાવ,પેહલા ભાવ અને ચોથા ભાવમાં જોવા મળશે જેનાથી લાંબી યાત્રાઓ ને યોગ બનશે.યાત્રાઓ થકાવટ ભરી હોઈ શકે છે પરંતુ તમારા મનને શુકુન પણ આપી શકે છે.પરિવારના લોકોમાં શાંતિ ની કમી જુલાઈ થી નવેમ્બર ની વચ્ચે જોવા મળી શકે છે જેનાથી ઘર નું વાતાવરણ કમજોર દેખાશે એટલે આ દરમિયાન તમારે ધીરજપુર્વક કામ કરવું પડશે.આ ગોચર લાંબા રોકાણ અને વિદેશ વેપાર માટે સારો સમય છે.લગ્ન સબંધ માં ઉતાર-ચડાવ ની સ્થિતિ તમને પરેશાન કરી શકે છે એટલે તમારા સબંધો માં સાચા અને ઈમાનદાર રહો એટલે તમારું લગ્ન જીવન સુખી બનેલું રહે.

ઉપાય : તમારે શનિવાર ના દિવસે છાયા દાન કરવું જોઈએ.

તુલા રાશિફળ

શનિ ગોચર ની વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે શનિ ચોથા અને પાંચમા ભાવ નો સ્વામી છે એ થઈને યોગકારક ગ્રહ છે અને તમારા છથા ભાવમાં ગોચર કરશે.છથો ભાવ શનિ ના ગોચર માટે અનુકુળ ભાવ માનવામાં આવે છે.એવામાં વિરોધીઓ ને તમે હરાવશો.કાર્યક્ષેત્ર માં તમારો દબદબો વધશે.તમે નોકરી માં બહુ મેહનત કરશો અને તમને એનું પુરુ ફળ મળશે.કાર્યક્ષેત્ર માં તમારી સ્થિતિ મજબુત હશે અને વિરોધી મોઢા માંથી ખાસે.તમારે તમારી આળસ ને છોડવી પડશે નહીતો બીમારી પણ આવી શકે છે.જુલાઈ થી નવેમ્બર ની વચ્ચે ખાસ કરીને કોઈ બીમારી થી સાવધાન રહો.અહીંયા હાજર શનિ આઠમા ભાવ,દ્રાદશ ભાવ અને ત્રીજા ભાવ ને જોશે જે તમારી સમસ્યાઓ ને પુરી કરશે.બીમારીઓ ને ઓછી કરશે અને તમને આગળ જવાનો રસ્તો આપશે.સંઘર્ષ થીજ તમને સફળતા મળશે એટલે તમારે બહુ મેહનત કરવી જોઈએ.જે વિદ્યાર્થીઓ પરીક્ષા ની તૈયારીઓ કરી રહ્યા છે એમને પણ ખાસ સફળતા મળી શકે છે.પરંતુ આ શનિ બતાવે છે કે વધારે મેહનતજ તમને સફળતા આપશે.જુલાઈ થી નવેમ્બર ની વચ્ચે આરોગ્ય નું ખાસ ધ્યાન રાખો,એના પછી નો સમય અનુકુળ રહેશે.

ઉપાય : શનિવાર ના દિવસે અડદ ની દાળ ના વડા રાય ના તેલ માં બનાવીને ગરીબો ને વેંચો.

વૃશ્ચિક રાશિફળ

વૃશ્ચિક રાશિના લોકો માટે શનિ મહારાજ ત્રીજા અને ચોથા ભાવ ના સ્વામી થઈને શનિ ગોચર 2025 દરમિયાન તમારા પાંચમા ભાવમાં આવશે અને અહીંયા થી તમારા સાતમા ભાવ,એકાદશ ભાવ અને બીજા ભાવ ને જોશે.શનિ ના પ્રભાવ થી પ્રેમ સબંધો માં પ્રગાઢતા આવશે.તમે તમારા સાથી ની વધારે નજીક જશો.એમની સાથે તમારા સબંધ મજબુત થશે.તમે તમારા સબંધ ને સાચી રીતે જીવશો અને પોતાના સબંધ માટે ઘણું બધું કરવા માંગશો.જો તમે પ્રયાસ કરશો તો તમને તમારા મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવાનો પણ મોકો મળશે.તમે આ દરમિયાન નોકરી બદલવા માં સફળ થઇ શકો છો પરંતુ ભુલ થી પણ જુલાઈ થી લઈને નવેમ્બર ની વચ્ચે નોકરી નહિ બદલો નહીતો તમારે નોકરી માંથી હાથ ધોવા પડી શકે છે.એના પછી નો સમય અનુકુળ રહેશે.બાળક ને લઈને ઘણી ચિંતાઓ રહેશે પરંતુ તમારા બાળક તરક્કી કરશે.તમારી આવક માં વધારો થઇ શકે છે.વેપાર કરતા લોકોને પોતાની આવક માં વધારા માટે થોડા રોકાણ ની નીતિ અપનાવી પડશે.શેર બાઝાર માં રોકાણ કરવાથી તમને લાભ મળી શકે છે.તમે પૈસા ભેગા કરવાની પ્રવૃત્તિ માં જેટલો વધારે પ્રયાસ કરશો,એટલી તમને આર્થિક સફળતા મળશે.

ઉપાય : શનિવાર ના દિવસે આઠ વાર શ્રી હનુમાન ચાલીસા નો પાઠ કરો.

ધનુ રાશિફળ

ધનુ રાશિના લોકો માટે શનિ મહારાજ બીજા અને ત્રીજા ભાવ નો સ્વામી છે અને શનિ ગોચર 2025 ધનુ રાશિના લોકોના ચોથા ભાવમાં હશે.અહીંયા હાજર થઈને શનિ મહારાજ છથા ભાવ,દસમા ભાવ અને પેહલા ભાવમાં દેખાશે.શનિ મહારાજ ના આ ગોચર ના પ્રભાવ થી ધનુ રાશિના લોકોની ઢૈયા એટલે પનોતી ચાલુ થશે.પરિવાર થી દુરી વધી શકે છે.ઘર બદલવાનો યોગ બની શકે છે.કામકાજ માટે કે બીજા કોઈ કારણ થી તમારે તમારું અત્યાર નું ઘર બદલવું પડી શકે છે.પરિવારમાં શાંતિ ની કમી હોવાના કારણે થોડી પરેશાનીઓ ઉભી થઇ શકે છે.તમારી માતાજી નું આરોગ્ય ખરાબ થઇ શકે છે એટલા માટે તમારે ધ્યાન દેવું પડશે.સારી વાત એ છે કે કચેરી ના કામકાજ માં તમને સફળતા મળી શકે છે.કામકાજ માં બહુ વધારે મેહનત કરવાથી જ સફળતા નો યોગ બનશે.તમારે તમારા આરોગ્ય ઉપર પણ ધ્યાન આપવું પડશે.જો તમે અનુશાસન પુર્વક જીવન જીવશો તો આ ગોચર સફળતા આપશે.જુલાઈ થી નવેમ્બર ની વચ્ચે છાતી માં સંક્રમણ અને માતાજી ના આરોગ્ય ને વધારે ધ્યાન દેવાની જરૂરત પડશે.એના પછી નો સમય અનુકુળ હોય શકે છે.

ઉપાય : શનિવાર ના દિવસે કાળા તિલ નું દાન કરો.

મકર રાશિફળ

મકર રાશિ નો સ્વામી શનિ દેવ તમારા બીજા ભાવ નો સ્વામી પણ છે અને શનિ ગોચર 2025 તમારી રાશિ થી ત્રીજા ભાવમાં થવાનો છે.આની સાથે તમારી સાડાસાતી પુરી થઇ જશે.ત્રીજા ભાવમાં થવાવાળો શનિ નો ગોચર સામાન્ય રીતે અનુકુળ પ્રભાવ આપે છે.અહીંયા હાજર શનિ મહારાજ પાંચમા,નવમા અને દ્રાદશ ભાવ ને જોશે જેનાથી નાની નાની યાત્રાઓ નો યોગ બનશે.આ વર્ષે તમે જરૂરી યાત્રા કરશો.વિદેશ યાત્રા નો યોગ પણ બની શકે છે અને એક જગ્યા એ થી બીજી જગ્યા એ કે શહેર માંથી બીજા શહેર પણ જઈ શકો છો.ધર્મ-કર્મ ના વિષય માં પણ તમારી રુચિ જાગશે.ભાઈ-બહેન ને આરોગ્ય સમસ્યા થઇ શકે છે પરંતુ તમારો એની સાથે સબંધ મીઠો બનશે.તમારા બાળક પ્રગતિ કરશે.તમારા મિત્રો ની સંખ્યા માં વધારો થશે.તમે તમારી ચતુરાઈ અને બુદ્ધિમાની થી ઘણા કામમાં સફળતા મેળવી શકો છો.જુલાઈ થી નવેમ્બર ની વચ્ચે પેટ ને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે.એના પછી નો સમય ઠીક થાક રહેશે.તમે જેટલી ભાગદોડ કરશો અને જેટલી મેહનત કરશો તમને એટલીજ સફળતા મળશે.વેપાર કરતા લોકોએ જોખમ ઉઠાવા માટે તૈયાર રેહવું જોઈએ.

ઉપાય : શનિવાર નું વ્રત રાખવું તમારા માટે લાભદાયક રહેશે.

કુંભ રાશિફળ

કુંભ રાશિ નો સ્વામી શનિ મહારાજ તમારા દ્રાદશ ભાવ નો પણ સ્વામી છે અને ચાલુ સમય માં તમારા બીજા ભાવમાં પ્રવેશ કરશે જેનાથી તમારી રાશિના લોકો માટે સાડાસાતી ના છેલ્લા ચરણ ની શુરુઆત થશે.અહીંયા હાજર શનિ તમારા ચોથા ભાવ,આઠમા ભાવ અને એકાદશ ભાવ ઉપર નજર નાખશે.પૈસા ભેગા કરવાનું તમને જ્ઞાન આપશે.શનિ તમને કઠોર શિક્ષા આપશે કે કેવી રીતે પૈસા ને ભેગા કરી શકાય.તમને કઠિન પ્રયાસ થીજ પૈસા ભેગા કરવાની આવડત મળશે.જો તમે વિદેશ માં કામ કરો છો,કોઈ ઇન્ટરનૅશનલ કંપની માં કામ કરો છો,કે વિદેશ માં વેપાર કરો છો,તો તમારા માટે આ ગોચર સારી સફળતા લઈને આવશે અને તમારા પૈસા ભેગા પણ થશે.પરિવાર માં ઉતાર-ચડાવ ની સ્થિતિ રહેશે.પરિવાર ના લોકો અંદર અંદર સહમતી આપી શકે છે.ખરાબ વાણી બોલવાથી બચવું પડશે.જીવનસાથી ને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે.આવક માં વધારો થવાના યોગ પણ કઠિન મેહનત પછી બનશે.જુલાઈ થી નવેમ્બર ની વચ્ચે પરિવારમાં કંઈક અસંતુલન થઇ શકે છે અને પૈસા ભેગા કરવામાં પણ સમસ્યા આવશે પરંતુ તમે બહુ મેહનત દ્વારા પોતાની ઈચ્છાઓ ને પુરી કરી શકો છો અને પૈસા નો લાભ પણ મેળવી શકશો.

ઉપાય : શનિવાર ના દિવસે શ્રી શનિ ચાલીસા નો પાઠ જરૂર કરો.

મીન રાશિફળ

શનિ ગોચર મીન રાશિના લોકો માટે ખાસ રૂપથી પ્રભાવશાળી રહેશે કારણકે શનિ મહારાજ તમારીજ રાશિમાં રહેવાનો છે.શનિ ગોચર 2025 માંશનિ મહારાજ તમારા એકાદશ અને દ્રાદશ ભાવ નો સ્વામી થઈને તમારી રાશિમાં હાજર રહેશે.અહીંયા થી તમારા ત્રીજા,સાતમા અને દ્રાદશ ભાવ ને જોશે.ભાઈ-બહેનો ને પ્રેમ કરશે.એનાથી તમને સ્નેહ અને મધુરતા મળશે.લગ્ન જીવનમાં ઉતાર-ચડાવ ની સ્થિતિ રહેશે.જીવનસાથી ને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે.તમારા એની સાથે સબંધ બગડી શકે છે એટલા માટે તમારે ધ્યાન આપવું પડશે.વેવસાયિક સબંધો માટે આ એક સારો સમય છે.તમે થોડા નવા લોકો સાથે વેવસાયિક સબંધ બનાવી શકો છો.એનાથી વેપાર ને લાભ થશે.વેપાર માટે લાંબા ગાળા ની યોજના બનાવી તમારા માટે કારગર સાબિત થશે.નોકરી કરતા લોકોએ પણ પોતાની સમજદારી થી કામ કરવું અને કઠિન મેહનત થી કામ કરવાથી તમને લાભ મળશે પરંતુ માનસિક તણાવ બનેલો રહેશે.જુલાઈ થી નવેમ્બર ની વચ્ચે માનસિક તણાવ ની સાથે શારીરિક સમસ્યાઓ વધી શકે છે અને લગ્ન સબંધો માં ઉતાર-ચડાવ વધી જશે.આ દરમિયાન તમારે ખાસ સાવધાની રાખવી પડશે.

ઉપાય : તમારે શનિવાર ના દિવસે છાયા દાન કરવું લાભદાયક રહેશે.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે શનિ ગોચર 2025 તમારા જીવનમાં ખુશીઓ અને પ્રગતિ લાવે અને તમે જીવનમાં ક્યારેય નિરાશ ન થાઓ. અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. 2025 માં શનિ નો ગોચર ક્યારે થશે?

શનિ 29 માર્ચ 2025 ની રાતે22:07 વાગે મીન રાશિ માં પ્રવેશ કરી જશે.

2. શનિ ગોચર થી કઈ રાશિઓ ને રાહત મળશે?

મકર રાશિના લોકોને આ ગોચર થી રાહત મળશે.

3. કઈ રાશિઓ ની શનિ ની પનોતી ચાલી રહી છે?

ધનુ અને સિંહ રાશિ ની પનોતી ચાલુ થશે અને વૃશ્ચિક અને કર્ક રાશિ ની પનોતી પુરી થઇ જશે.

Talk to Astrologer Chat with Astrologer