જ્યેષ્ઠ મહિનો 2024

Author: Sanghani Jasmin | Updated Fri, 17 May 2024 03:09 PM IST

હિન્દી કેલેન્ડર નો ત્રીજો મહિનો જ્યેષ્ઠ નો મહિનો છે.ગ્રેગોરિયન કેલેન્ડર માં આ મે અને જુન માં પડે છે.જ્યેષ્ઠ મહિનો 2024 ને જેઠ મહિનો પણ કહેવામાં આવે છે,જેનો મતલબ થાય છે મોટો.આ મહિનામાં ગરમી પોતાના ચરમે હોય છે અને સુરજ ની કિરણ લોકોનો પરસેવો છોડાવે છે.આ મહિનામાં સુર્યદેવ પોતાના રુદ્ર રૂપમાં હોય છે એટલા માટે આ મહિનો સૌથી વધારે ગરમ હોવાના કારણે આ સૌથી વધારે મુશ્કિલ હોય છે.સનાતન ધર્મ માં જ્યેષ્ઠ મહિનામાં પાણી ના બચાવ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે એટલે આ મહિનામાં પાણી નું બહુ વધારે મહત્વ બતાવામાં આવ્યું છે.જ્યેષ્ઠ મહિનામાં ગંગા દશેરા અને નિર્જલા એકાદશી જેવા વ્રત રાખવામાં આવે છ અને આ વ્રત સૃષ્ટિ માં પાણી ને બચાવાનો સંદેશ આપે છે.ગંગા દશેરા માં પવિત્ર નદી ની પુજા-અર્ચના અને નિર્જલા એકાદશી માં પાણી પીધા વગર રાખવામાં આવે છે.


ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા ની સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

શાસ્ત્રો માંજ્યેષ્ઠ મહિનો 2024નું ખાસ ધાર્મિક મહત્વ બતાવામાં આવ્યું છે.ધાર્મિક માન્યતાઓ મુજબ,જ્યેષ્ઠ મહિનામાં હનુમાનજી,સુર્યદેવ અને વરુણા દેવ ની ખાસ પુજા કરવામાં આવે છે.જણાવી દઈએ કે વરુણ પાણી નો દેવતા છે,સુર્ય દેવ અગ્નિ નો અને હનુમાનજી ને કલયુગ ના દેવતા માનવામાં આવે છે.આ પવિત્ર મહિનામાં પુજા-પાઠ અને ડઝન-ધર્મ કરવાથી ઘણા પ્રકારના દોષ થી મુક્તિ મળે છે.

એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખ માં જ્યેષ્ઠ મહિના સાથે જોડાયેલી તમામ રોચક જાણકારી તમને વિસ્તાર થી આપીશું,જેમકે આ મહિના દરમિયાન કઈ કઈ તીજ-તૈહવાર આવે છે?આ મહિનામાં ક્યાં પ્રકારના ઉપાય લાભકારી હશે? આ મહિનાનું ધાર્મિક મહત્વ શું છે?અને આ મહિનામાં લોકોએ કઈ વાત નું ખાસ ધ્યાન આપવું જોઈએ અને કઈ વસ્તુઓ નું દાન કરવું જોઈએ અને શું કરવું જોઈએ?અહીંયા આવીજ જાણકારી અમે તમને આપીશું એટલે આ લેખને છેલ્લે સુધી જરૂર વાંચો.

આ પણ વાંચો : રાશિફળ 2024

જ્યેષ્ઠ મહિનો: તારીખ

જ્યેષ્ઠ મહિના નો આરંભ બુધવાર 22 મે 2024 થી થશે અને આનો અંત 21 જુન 2024 શુક્રવાર ના દિવસે થશે.જ્યેષ્ઠ મહિનો ભગવાન વિષ્ણુ નો સૌથી પ્રિય મહિનો છે.આના પછી અષાઢ મહિનો ચાલુ થઇ જશે.આ મહિનામાં ભગવાન વિષ્ણુ ની પુજા નું ખાસ મહત્વ બતાવામાં આવ્યું છે.ધાર્મિક માન્યતા છે કે આ મહિનામાં બધાજ દેવી દેવતાઓ ની પુજા કરવાથી દરેક સમસ્યાઓ થી છુટકારો મળે છે અને વ્યક્તિને સુખ-સમૃદ્ધિ મળે છે.

જ્યેષ્ઠ મહિનાનું મહત્વ

સનાતન ધર્મ માં જ્યેષ્ઠ મહિનો 2024 બહુ વધારે મહત્વપુર્ણ અને ખાસ બતાવામાં આવ્યો છે અને આ મહિનામાં ઘણા વ્રત અને તૈહવાર પડે છે.આ મહિનામાં પાણી નું ખાસ મહત્વ હોય છે એટલે આ પવિત્ર મહિનામાં પાણી સંરક્ષણ અને ઝાડ ને પાણી આપવાથી ઘણા કષ્ટ દૂર થાય છે.એની સાથે પિતૃ પ્રસન્ન થાય છે.જુની વાર્તાઓ મુજબ,જ્યેષ્ઠ મહિનામાં ભગવાન વિષ્ણુ અને એના પગ માંથી નીકળવાવાળી માં ગંગા ની પુજા કરવામાં આવે છે.આની સાથે જ્યેષ્ઠ મહિનામાં જેટલા મંગળવાર આવે છે,એ બધા નું ખાસ મહત્વ છે અને આ મંગળવારે હનુમાનજી નું વ્રત કરવું જોઈએ.કહેવામાં આવે છે કે આ મહિનામાં પાડવાવાળા બધાજ વ્રત અને તૈહવાર વ્યક્તિ ને બહુ વધારે લાભ આપે છે.

આના સિવાય,કહેવામાં આવે છે કે જ્યેષ્ઠ ના મહિનામાં માં ગંગા નું પૃથ્વી પર અવતરણ થયો હતો અને આ દિવસ ને ગંગા દશેરા ના નામે ઓળખવામાં આવે છે.આના સિવાય,જ્યેષ્ઠ મહિનામાં જ ભગવાન શનિદેવ નો પણ જન્મ થયો હતો.આ બધાના કારણે જ્યેષ્ઠ મહિનાનું ખાસ મહત્વ કહેવામાં આવ્યું છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

જ્યેષ્ઠ મહિનામાં આવનારા મુખ્ય વ્રત-તૈહવાર

જ્યેષ્ઠ મહિનો એટલે કે 22 મે 2024 થી 21 જુન 2024 દરમિયાન સનાતન ધર્મ માં ઘણા મુખ્ય વ્રત-તૈહવારો આવવાના છે,જે આ રીતે છે:

તારીખ દિવસ વ્રત ને તૈહવાર
23 મે 2024 શુક્રવાર અપરા એકાદશી
24 મે 2024 શનિવાર પ્રદોષ વ્રત (કૃષ્ણ)
25 મે 2024 રવિવાર માસિક શિવરાત્રી
27 મે 2024 મંગળવાર જ્યેષ્ઠ અમાવાસ્ય
06 જુન 2024 શુક્રવાર નિર્જલા એકાદશી
08 જુન 2024 રવિવાર પ્રદોષ વ્રત (શુક્લ)
11 જુન 2024 બુધવાર જ્યેષ્ઠ પુર્ણિમા વ્રત
14 જુન 2024 શનિવાર સંકષ્ટિ ચતુર્થી
15 જુન 2024 રવિવાર મિથુન સંક્રાંતિ
21 જુન 2024 શનિવાર યોગીની એકાદશી

વર્ષ 2024 માં હિન્દુ ધર્મ ના બધાજ પર્વો કે તૈહવારો ની સાચી તારીખો જાણવા માટે ક્લિક કરો : હિન્દુ કેલેન્ડર 2024

જ્યેષ્ઠ મહિનામાં જન્મ લેવાવાળા લોકોના ગુણ

જ્યેષ્ઠ ના મહિનામાં ઘણા લોકોનો જન્મ દિવસ આવે છે.આ લેખ માં અમે તમને જણાવીશું કે જ્યેષ્ઠ મહિનો 2024 માં જન્મેલા લોકોનો સ્વભાવ કેવો હોય છે અને એની અંદર કઈ ખુબીઓ હોય છે.જ્યોતિષ શાસ્ત્રો માં ઘણી ખાસ તારીખો અને મહિનામાં જન્મેલા લોકોને અલગ-અલગ ખુબીઓ અને ખાસિયત બતાવામાં આવી છે.વ્યક્તિ જે મહિનામાં જન્મ લ્યે છે એના આધારે એના સ્વભાવ વિશે બતાવામાં આવે છે.જ્યોતિષ શાસ્ત્ર ની માને તો અમારા જન્મ નો મહિનો અમારા જીવન પર સકારાત્મક કે નકારાત્મક રૂપથી પ્રભાવ પડે છે.જ્યેષ્ઠ મહિનામાં જે લોકોનો જન્મ થાય છે,એમનામાં થોડી ખાસ પ્રકારની ખુબીઓ અને કમીઓ જોવા મળે છે.તો ચાલો વિસ્તાર થી જાણીએ આના વિશે.

જ્યેષ્ઠ મહિનામાં જન્મ લેવાવાળા લોકો બહુ જ્ઞાની હોય છે અને આમનો ઝુકાવ અધિયાત્મિક ગતિવિધિઓ તરફ વધારે હોય છે.જેના કારણે આ લોકો ધર્મ-કર્મ ના કામમાં બહુ લિન રહે છે.આ લોકોને તીર્થસ્થળ પર ફરવાનું પસંદ હોય છે.આ લોકો પોતાના જીવનસાથી નો બહુ ખ્યાલ રાખે છે અને બહુ વધારે પ્રેમ પણ કરે છે.જ્યેષ્ઠ મહિનામાં જન્મેલા થોડા લોકોને વિદેશ માં રેહવું પડે છે.એની સાથે,આ લોકોને વિદેશ થી લાભ પણ થાય છે.આ લોકો વધારે પડતા પોતાના ઘર થી દુર રહેવામાં મજબૂર હોય છે.આ લોકો પોતાના મનમાં કોઈપણ પ્રકારનો વેર નથી રાખતા.આ લોકો પાસે બહુ પૈસા હોય છે.આ લોકોની ઉંમર પણ લાંબી હોય છે અને આ લોકો પોતાની બુદ્ધિ ને સારા કામમાં લગાવાનું પસંદ કરે છે.

જ્યોતિષ શાસ્ત્રો મુજબ,આવા લોકો વ્યક્તિગત રૂપે બહુ ભાગ્યશાળી હોય છે.આ લોકો નોકરી કરે કે વેપાર બંને જગ્યા એ સફળતા મેળવે છે કારણકે આ લોકો બહુ વધારે ફુર્તિલા હોય છે અને બધાજ કામને સમય ઉપર પુરુ કરવાની ઈચ્છા રાખે છે.આ મહિનામાં જન્મ લેવાવાળી છોકરીઓ ફેશન માં આગળ હોય છે અને આમને ફેશન નું વધારે જ્ઞાન હોય છે એટલા માટે આ ફેશન સાથે જોડાયેલા વેપાર માં સફળ થાય છે.આ મહિનામાં જન્મ લેવાવાળી છોકરીઓ ની કલ્પના શક્તિ બહુ વધારે મજબુત હોય છે.આમનો સ્વભાવ જોશીલો હોય છે અને આ આકર્ષણ નું કેન્દ્ર હોય છે.આ મહિનામાં જન્મ લેવાવાળા લોકો ની બુદ્ધિ બહુ તેજ હોય છે.આ લોકો અઘરા માં અઘરું કામ પણ પોતાની બુદ્ધિ ના કારણે આસાનીથી કરી લ્યે છે.

આ લોકોના પ્રેમ જીવન ની વાત કરીએ તો આ લોકો બહુ રોમેન્ટિક હોય છે અને પાર્ટનર સાથે મધુર સબંધ સ્થાપિત કરવામાં સક્ષમ હોય છે.આ મહિનામાં આ લોકો પોતાના સબંધ ને બહુ સંભાળીને રાખે છે અને બીજા ની દખલ પસંદ નથી કરતા.આ નાની-નાની વાતો ને નજરઅંદાજ કરે છે અને વાતો થી પોતાનો સબંધ ખરાબ નથી કરતા.આ લોકોનો સ્વભાવ બહુ મજાકવાળો હોય છે એટલે આ લોકોના સબંધ માં ખુશાલી રહે છે.આ લોકો પોતાના પાર્ટનર માટે કઈ પણ કરવા માટે તૈયાર રહે છે.આ મહિનામાં જન્મ લેવાવાળા લોકોના થોડા નકારાત્મક પહેલું પણ છે.જેમકે આ લોકો બહુ જિદ્દી હોય છે અને આ લોકો ને બહુ જલ્દી ગુસ્સો આવે છે.જેના કારણે આ લોકોએ જીવનમાં ઘણા પ્રકારના ઉત્તર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.આ લોકો જેટલા દયાળુ હોય છે એટલુંજ આ લોકોનું ખોટું પણ લાગે છે.આ લોકો જીવનમાં બીજા ની ઉપર જલ્દી ભરોસો કરી લ્યે છે એટલે આ લોકોને ઘણીવાર ધોખો પણ મળે છે.

જ્યેષ્ઠ મહિનામાં પાણી નું દાન કરવાનું મહત્વ

જ્યેષ્ઠ મહિનામાં પાણી ના દાન નું ખાસ મહત્વ છે.આપણે બધા પાણી વગર જીવન નો વિચાર પણ નહિ કરી શકીએ.પાણી નું દાન કરવું હંમેશા સારું માનવામાં આવે છે પરંતુ જ્યેષ્ઠ મહિનો 2024 માં પાણી નું દાન કરવું સૌથી સારું માનવામાં આવ્યું છે.આ મહિનામાં તમે પક્ષીઓ માટે ઘર ની છત ઉપર કે બગીચા માં પાણી ભરી ને રાખી શકો છો.પશુ-પક્ષી પણ પ્રકૃતિ ની અનમોલ દેણ છે અને સાથે સાથે પશુ-પક્ષીઓ ને જ્યોતિષ ની દ્રષ્ટિએ પાણી આપવું બહુ સારું માનવામાં આવે છે.ખરેખર સનાતન ધર્મમાં દરેક દેવી દેવતા નું એક વાહન હોય છે અને આ વાહન પશુકે પક્ષી હોય છે.એવા માં,જ્યેષ્ઠ મહિનામાં પશુ-પક્ષી ને પાણી આપવું બહુ પુર્ણય નું કામ હોય છે.આનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને એમની ખાસ કૃપા મળે છે.આના સિવાય,જ્યેષ્ઠ મહિનામાં જરૂરતમંદ લોકોને પાણી,ગોળ,સત્તુ,તિલ,વગેરે નું દાન કરવાથી પણ ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય છે.એની સાથે,પિતૃ દોષ અને બધાજ પાપ માંથી છુટકારો મળે છે.

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

જ્યેષ્ઠ મહિનામાં શું કરો

જ્યેષ્ઠ મહિનામાં શું નહિ કરવું જોઈએ

વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય? આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ

જ્યેષ્ઠ મહિનામાં જરૂર કરો આ ખાસ ઉપાય

આ મહિનામાં થોડા ખાસ ઉપાય છે એ જરૂર કરવા જોઈએ.માન્યતા છે કે આનાથી માં લક્ષ્મી ના આર્શિવાદ મળે છે અને પૈસા ની કમી નથી રહેતી.તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

નકારાત્મક ઉર્જા થી બચવા માટે

જ્યેષ્ઠ મહિના દરમિયાન દરેક સવારે સુર્યોદય પેહલા ઉઠીને સ્નાન વગેરે કરીને હનુમાનજી ના મંદિરે જઈને એને તુલસી ના પાંદડા ની માળા પેહરાવો.એની સાથે,હલવા-પુરી અથવા કોઈ બીજી મીઠાઈ નો પ્રસાદ ચડાવો.એમના રૂપની સામે બેસી જાવ,તો પણ શ્રી હનુમાન ચાલીસા,બજરંગબાણ અને શ્રી સુંદરકાંડ નો વિધિ-વિધાન પુર્વક પાઠ કરો.

મંગળ દોષ થી મુક્તિ મેળવા માટે

જે લોકોની કુંડળી માં મંગળ દોષ હોય છે,એમને જ્યેષ્ઠ ના મહિનામાં મંગળ દોષ થી મુક્તિ મેળવા સબંધિત વસ્તુઓ જેમકે-તાંબા,ગોળ વગેરે નું દાન કરવું જોઈએ.

નોકરીમાં પ્રમોશન માટે

જ્યેષ્ઠ મહિનામાં સુર્ય દેવ નો પ્રકાશ બહુ તેજ હોય છે.એવા માં,આને આખો મહિનો સુર્યદેવ ને અર્ધ્ય દેવાથી વ્યક્તિના માન-સમ્માન માં વધારો થાય છે અને નોકરીમાં પ્રમોશન પણ મળે છે.

બધીજ પરેશાનીઓ માંથી છુટકારો મેળવા

ગુરુ દોષો થી છુટકારો મેળવા માટે જ્યેષ્ઠ મહિનો 2024 માં પશુ-પક્ષીઓ માટે પાણી ની વેવસ્થા જરૂર કરો.આનાથી તમારા જીવનમાં ચાલી રહેલા ઉતાર-ચડાવ માંથી છુટકારો મેળવી શકાય છે અને તમને ક્યારેય પૈસા ની કમી નહિ થાય.

સુખ સમૃદ્ધિ માટે

જ્યેષ્ઠ મહિના દરમિયાન દરરોજ સવારે જલ્દી ઉઠીને અને સ્નાન પછી તાંબા ના લોટા થી પાણી આપવું જોઈએ.એની સાથે,ઓમ સૂર્યાય નમઃ મંત્ર નો જાપ કરવો જોઈએ.ધ્યાન રાખો પાણી ચડાવતી વખતે સુર્ય ને સીધું ના જોવો.લોટા માંથી જે પાણી ની ધાર પડે છે એમાંથી સુર્ય દેવના દર્શન કરવા જોઈએ.આવું કરવાથી સુખ-સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે.

શું વર્ષ 2024 માં તમારા જીવનમાં થશે પ્રેમ ની દસ્તક? પ્રેમ રાશિફળ 2024 આપશે જવાબ

જ્યેષ્ઠ મહિનામાં રાશિ મુજબ આ વસ્તુઓ નું કરો દાન

આ ખાસ મહિનામાં રાશિ મુજબ ઉપાય કરવાથી લોકોને ડબલ ફળ મળે છે.એની સાથે,ધન-દોલત માં વૃદ્ધિ ના યોગ બને છે.

મેષ રાશિ

મેષ રાશિ વાળા લોકોને જ્યેષ્ઠ મહિના દરમિયાન શુક્રવાર ના દિવસે લાલ કપડાં માં એક મુઠ્ઠી અળસી,હળદર ની ગાંઠ ની સાથે બાંધીને તિજોરીમાં રાખી દેવી જોઈએ.માન્યતા છે કે આનાથી જ્યેષ્ઠ મહિનો 2024 પૈસા ની પ્રાપ્તિ ની રસ્તો સહેલો થઇ જાય છે.ધ્યાન રાખો કે દરેક શુક્રવારે અળસી ના બીજ બદલી દો.

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા જ્યેષ્ઠ મહિના દરમિયાન શંખપુષ્પી છોડ ની જડ ને ગંગાજળ થી ધોઈને એની ઉપર કેસર નો ચાંદલો કરો.એના પછી તિજોરીમાં કે જ્યાં પૈસા રાખીએ ત્યાં રાખી દો.આવું કરવાથી વેપારીઓ બેગુના રફ્તાર થી આગળ વધશે અને આર્થિક સ્થિરતા માં સુધારો જોવા મળશે.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકોને જ્યેષ્ઠ મહિનામાં પાણીમાં શેરડી નો રસ ભેળવીને સ્નાન કેવું જોઈએ.પછી પીપળ ના ઝાડ માં કાચું દુધ અને પાણી ચડાવું જોઈએ.જ્યેષ્ઠ મહિનો 2024 માં આનાથી સૌભાગ્ય ની પ્રાપ્તિ થાય છે.આના સિવાય,બાળક ની બુદ્ધિ ની આવડત માં વધારો થાય છે.જો બાળક ને બોલવામાં પરેશાની છે,તો એમના અવાજમાં નિખાર આવે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો જ્યેષ્ઠ મહિના માં ઘર માં સત્યનારાયણ ની પુજા કરવી જોઈએ અને પછી હવન કરીને પરિવાર ની ખુશી માટે પ્રાર્થના કરવી જોઈએ.આનાથી બીમારી થી રાહત મળશે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે.

સિંહ રાશિ

સિંહ રાશિ વાળા લોકો જ્યેષ્ઠ મહિનાની રાતે પાણી માં કેસર ભેળવીને માં લક્ષ્મી નો અભિષેક કરો.માન્યતા છે કે આનાથી ખરાબ કામ સારા થઇ જશે અને દુશમન તમારી ઉપર હાવી નહિ થાય.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકોને આ દિવસે ઈલાયચી ને પાણી માં નાખીને સ્નાન કરવું જોઈએ આ કામ તમારે માટે શુભ રહેશે.આના સિવાય,રાતે દેવી લક્ષ્મી ને સમોસા અને નારિયેળ નો પ્રસાદ ચડાવો.આનાથી કર્જ ની સમસ્યા દુર થાય છે.

તુલા રાશિ

તુલા રાશિ વાળા લોકોને આ દિવસે ઘરમાં ખીર નો પ્રસાદ દેવી લક્ષ્મી ને ચડાવો જોઈએ અને પછી સાત છોકરીઓ માં એને વેચી દેવો જોઈએ.એની સાથે,આ ઉપાય થી આવક માં વૃદ્ધિ નો યોગ બને છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોને આ દરમિયાન વિષ્ણુ સહસ્ત્રનામ કે પછી રાતે માતા લક્ષ્મી ચાલીસા નો પાઠ કરવો જોઈએ.આનાથી યશ,કીર્તિ અને ઐશ્વર્ય ની પ્રાપ્તિ થાય છે.

ધનુ રાશિ

ધનુ રાશિના લોકો આ મહિના દરમિયાન કાચી દોરી ને હળદર માં રંગીને બરગડ ના પેટ ઉપર લપેટો.11 વાર પરિક્રમા કરો અને આ મંત્ર નો જાપ કરો- બ્રાહ્મણ સહિન્તા દેવી સાવિત્રી લોકમાતરમ્ । સત્યવ્રતં ચ સાવિત્રિમં યમં ચાવાહમ્યહમ્.આનાથી લગ્ન જીવનમાં ખુશી આવશે અને સુયોગ્ય વર મળશે.

મકર રાશિ

મકર રાશિ વાળા ને ગ્રહો ની પીડા થી રાહત મેળવા માટે આ મહિના દરમિયાન છત્રી,ખડાઉં,લોખંડ,અડદ ની દાળ નું દાન કરવું જોઈએ.એની સાથે,કાળા કુતરા ને રોટલી ખવડાવો.આવું કરવાથી શનિ ની મહાદશા થી બચી શકાય છે.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકોને આ દિવસે કાળા તિલ ને પાણી માં નાખીને સ્નાન કરવું જોઈએ.આનાથી માનસિક,શારીરિક,અને આર્થિક સંકટ દુર થાય છે.

મીન રાશિ

મીન રાશિ વાળા લોકોને જ્યેષ્ઠ મહિનો 2024 માં કેરી ના ફળ નું દાન કરવું જોઈએ.એની સાથે,રસ્તા માં જતા લોકોને પાણી પીવડાવું જોઈએ.આનાથી વાસ્તુ દોષ થી મુક્તિ મળે છે અને ઘર માં સુખ-શાંતિ કે સકારાત્મક ઉર્જા નો વાસ થાય છે.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer