સુર્ય ગ્રહણ 2025
સુર્ય ગ્રહણ 2025 માં એસ્ટ્રોસેજ એઆઈ સમય સમય ઉપર પોતાના વાચકો ને જ્યોતિષ ની દુનિયા માં થવાવાળા બદલાવો વિશે જાણકારી આપતું રહે છે.આજ ના આ ખાસ લેખ માં અમે વર્ષ 2025 ના પેહલા સુર્ય ગ્રહણ વિશે વિસ્તાર થી વાત કરીશું.જણાવી દઈએ કે આ વર્ષ નું પહેલું સુર્ય ગ્રહણ 29 માર્ચ 2025 ના દિવસે લાગવા જઈ રહ્યું છે અને આ દિવસે જ્યોતિષ ની દુનિયા માં વર્ષ નું સૌથી પહેલું સુર્ય ગ્રહણ 29 માર્ચ ના દિવસે લાગવાનું છે અને આ દિવસે જ્યોતિષ ની દુનિયામાં સૌથી મહત્વપુર્ણ ગોચર માનવામાં આવતા શનિ મીન રાશિમાં ગોચર પણ થવા જઈ રહ્યો છે.જો તમે પણ જાણવા માંગો છો કે સુર્ય ગ્રહણ 2025 વિશે બધુજ,લેખ ને છેલ્લે સુધી વાંચવા નું ચાલુ રાખો.

हिंदी में पढ़े : राशिफल २०२५
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ ઉપર વાત અને જાણો પોતાના બાળકો ના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
સુર્ય ગ્રહણ ને મહત્વપુર્ણ જ્યોતિષય અને ખગોળીય ઘટના ના રૂપમાં ઓળખવામાં આવે છે.જયારે સુર્ય,પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવી જાય છે ત્યારે આ ઘટના ને સુર્ય ગ્રહણ કહેવામાં આવે છે.જેમકે આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી પોતાના અક્ષ ઉપર ફરતી રહીને સુર્ય ની પરિક્રમા કરે છે.આ ક્રમ માં,ચંદ્રમા પૃથ્વી ના ઉપગ્રહ હોવાના કારણે પૃથ્વી ની પરિક્રમા કરે છે.અમે બધા જાણીએ છીએ કે ધરતી ઉપર જીવન ખાલી સુર્ય દેવ ની રોશની થી સંભવ છે અને સુર્ય નો પ્રકાશ જ પૃથ્વી કે ચંદ્રમા ઉપર પડે છે.પૃથ્વી અને ચંદ્રમા પોતાના પરિક્રમા પથ ઉપર ચાલે છે અને એવા માં,ક્યારેક-ક્યારેક ચંદ્રમા પૃથ્વી ની એટલી નજીક ચાલ્યો જાય છે કે આ સ્થિતિ ને સુર્ય ગ્રહણ કહેવામાં આવે છે અને આ પુર્ણ કે આંશિક હોય શકે છે.
Read in English : Horoscope 2025
જ્યોતિષ ની નજર માં
જ્યોતિષ માં સુર્ય ગ્રહણ ને એક ખાસ ઘટના માનવામાં આવે છે.આ એક એવો સમયગાળો છે જયારે સુર્ય,પૃથ્વી અને ચંદ્રમા એક સીધી રેખામાં આવી જાય છે.એવા માં,પૃથ્વી કે સુર્ય ની વચ્ચે ચંદ્રમા આવીને થોડા સમય માટે સુર્ય ના પ્રકાશ ને ધરતી સુધી પોંહચવાથી રોકી દેય છે અને આ ઘટના ને પરિવર્તનકારી માનવામાં આવે છે.માન્યતા છે કે સુર્ય ગ્રહણ સંસાર માં નવી શુરુઆત લઈને આવે છે અને આનો પ્રભાવ કોઈ વ્યક્તિના જીવનમાં મોટા બદલાવ લઈને આવવામાં સક્ષમ હોય છે.સુર્ય ગ્રહણ સંકેત આપે છે કે તમે જીવનમાં જે કઈ મેળવા માંગો છો એને મેળવા માટે ધ્યાન કેન્દ્રિત કરો કારણકે તમારી સામે નવા મોકા આવી શકે છે.જણાવી દઈએ કે સુર્ય ગ્રહણ નો પ્રભાવ મનુષ્ય જીવન અને સંસાર ઉપર ઘણા મહિના સુધી રહે છે અને એની સાથે,આના પ્રભાવો ને મહેસુસ કરવામાં આવી શકે છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
સુર્ય ગ્રહણ : દૃશ્યતા અને સમય
વર્ષ નું પહેલું સુર્ય ગ્રહણ જે 29 માર્ચ 2025 ના દિવસે લાગી રહ્યું છે એ આંશિક સુર્ય ગ્રહણ હશે.
તારીખ | દિવસ અને તારીખ | સુર્ય ગ્રહણ ચાલુ થવાનો સમય | સુર્ય ગ્રહણ પુરુ થવાનો સમય | ક્યાં-ક્યાં દેખાશે |
ચૈત્ર મહિનો કૃષ્ણ પક્ષ અમાવસ્યા તારીખ |
29 માર્ચ 2025, શનિવાર |
બપોરે 02 વાગીને 21 મિનિટ થી |
સાંજે 06 ને 14 મિનિટે |
બર્મુડા, બાર્બાડોસ, ડેનમાર્ક, ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, ઉત્તરી બ્રાઝિલ, ફિનલેન્ડ, જર્મની, ફ્રાન્સ, હંગેરી, આયર્લેન્ડ, મોરોક્કો, ગ્રીનલેન્ડ, પૂર્વી કેનેડા, લિથુઆનિયા, હોલેન્ડ, પોર્ટુગલ, ઉત્તરી રશિયા, સ્પેન, સુરીનામ, સ્વીડન, પોલેન્ડ, પોર્ટુગલ, નોર્વે, યુક્રેન, સ્વિત્ઝ અને યુ.એસ. (ભારતમાં નહિ દેખાય) |
નોંધ : જયારે વાત આવે છે વર્ષ 2025 માં લાગવાવાળા સુર્ય ગ્રહણ ની,તો ઉપર ટેબલ માં દેવામાં આવેલા સુર્ય ગ્રહણ નો સમય ભારતીય સમય મુજબ છે
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
સુર્ય ગ્રહણ : દુનિયા ઉપર પ્રભાવ
- જે લોકોની કુંડળીમાં સૂર્ય ભગવાનની સ્થિતિ નબળી હોય છે તેમની ઉર્જાનો અભાવ હોય છે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન, નકારાત્મક ઉર્જા તેમને પાછલા દિવસો કરતાં વધુ અસર કરી શકે છે કારણ કે આ સમયગાળા દરમિયાન, સૂર્ય અને રાહુ એક સાથે મીન રાશિમાં સ્થિત છે.
- મીન રાશિમાં ગુરુ ગ્રહ સૂર્ય અને રાહુ ગ્રહનો સંયોગ વતનીઓમાં જીવનશક્તિનો અભાવ અને પાચન સંબંધી સમસ્યાઓ સૂચવે છે.
- શનિ મહારાજ 27 નક્ષત્રોમાં ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના સ્વામી હોવાથી, આ સમયગાળા દરમિયાન લોકોને સંધિવા, સાંધા અને હાડકાં સંબંધિત સમસ્યાઓ વિશે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.
- તેમના પુત્ર શનિદેવના નક્ષત્રમાં સૂર્ય મહારાજની હાજરીથી દેશવાસીઓને માનસિક સમસ્યાઓ થઈ શકે છે.
- જો કે, સૂર્યગ્રહણ 2025 ની અસરો ફક્ત તે જ સ્થળોએ જોઈ અને અનુભવી શકાય છે જ્યાં સૂર્યગ્રહણ દેખાશે, ત્યાં આગામી 3 થી 5 વર્ષ સુધી બાકીના વિશ્વ પર ધીમી પરંતુ લાંબા ગાળાની અસર થઈ શકે છે.
- વિશ્વના કેટલાક દેશોમાં અગ્નિ અને વાયુને લગતી આપત્તિઓ અને દુર્ઘટનાઓ થઈ શકે છે કારણ કે વર્ષ 2025નો સ્વામી મંગળ છે અને આવી સ્થિતિમાં માર્ચમાં થનારું સૂર્યગ્રહણ સમસ્યાઓમાં વધારો જ કરશે.
- વિશ્વભરના કેટલાક વિસ્તારોમાં આતંકવાદી હુમલાઓ અને મહિલાઓ અને બાળકો સામેની હિંસામાં અચાનક વધારો જોવા મળી શકે છે.
- વિશ્વના કેટલાક દેશોમાં સરકાર પતન કે સરકાર બદલાવા જેવા દ્રશ્યો સામે આવી શકે છે.
- સૂર્યગ્રહણને કારણે ભારતમાં શિયાળાની ઋતુ વચ્ચે-વચ્ચે આવી શકે છે.
- આ સમયગાળા દરમિયાન, સોનાના ભાવમાં વધારો થઈ શકે છે જ્યારે પિત્તળના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
સુર્ય ગ્રહણ : આ રાશિઓ ઉપર પડશે નકારાત્મક પ્રભાવ
મેષ રાશિ
મેષ રાશિ ની અંદર જન્મ લેવાવાળા વ્યક્તિ ને સુર્ય ગ્રહણ સૌથી વધારે પ્રભાવિત કરશે.એના સિવાય,આ લોકોને નિરાશા,મૂડ સ્વિંગ,માથા નો દુખાવો,ઉલ્ટી અને માઈગ્રેન જેવી સમસ્યા પરેશાન કરી શકે છે.સુર્ય ગ્રહણ 2025 ના પ્રભાવ થી તમારા ઘર-પરિવાર નો માહોલ અશાંત રહી શકે છે જેના કારણે તમે બેચેન જોવા મળી શકો છો.ગ્રહણ પેહલા,ગ્રહણ દરમિયાન અને ગ્રહણ પછી આ રાશિના વિદ્યાર્થી ને પોતાના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં કઠિનાઈ આવી શકે છે.એની સાથે,આ લોકોની પોતાની માતા સાથે વિવાદ કે મતભેદ થવાની આશંકા છે.એના પરિણામસ્વરૂપ,તમારા માટે ધ્યાન કરવું સૌથી વધારે શ્રેષ્ઠ રહેશે.જે લોકોની કુંડળી માં સુર્ય મહારાજ ની સ્થિતિ કમજોર છે એના માટે આ સમય પ્રતિયોગી પરીક્ષા ને પાર કરવા સેહલું નથી.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
તુલા રાશિ
તુલા રાશિ વાળા ની કુંડળી માં સુર્ય દેવ તમારા અગિયારમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા છથા ભાવમાં રાહુ ની સાથે બેસીને યુતિ નું નિર્માણ કરી રહ્યું છે જે એક બીમારી નો ભાવ છે.તમને જણાવી દઈએ કે કુંડળી નો છથો ભાવ સરકાર ને પણ દર્શાવે છે અને એવા માં,સરકારી નોકરી કરવાવાળા લોકોને પુછતાછ કે પછી બોસ ની સાથે થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.આ સમયગાળા માં તમારા સામાજિક જીવનમાં,પરિવારના સદસ્ય કે સહકર્મીઓ ની સાથે થોડા મતભેદ થી પરેશાન થવું પડી શકે છે જેના કારણે તમે બીજા ની સામે કઠોર કે પછી એને નિયંત્રણ કરવાવાળા બની શકો છો.એવા માં,તમારા વ્યક્તિગત પ્રગતિ ના રસ્તા માં સમસ્યાઓ ઉભી થઇ શકે છે જેના કારણે તમે રચનાત્મક રૂપથી વિચારવા અને કામો ને સારી રીતે કરી શકો છો.સુર્ય ગ્રહણ નો સમય પોતાના શબ્દો,કામો અને પોતાને જાણવા સમજવા નો સમય હશે.
નવા વર્ષ માં કારકિર્દી ની કોઈપણ દુવિધા કોંગીએસ્ટ્રો રિપોર્ટ થી દુર કરો
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ વાળા ને સુર્ય ગ્રહણ 2025 ના સમય માં બહુ સતર્ક રેહવું પડશે કારણકે આ દરમિયાન તમારે અજ્ઞાત દુશ્મનો,રોગ,ઉધાર કે પછી ચોરી વગેરે નો ડર રહી શકે છે.સુર્ય તમારા દસમા ભાવ નો સ્વામી છે અને એવા માં,તમારે નિશ્ચિત રૂપથી કિસ્મત નો સાથ નહિ મળવાની આશંકા છે.આ લોકોની ઉધારી માં લગાતાર વધારો થઇ રહ્યો છે જેના કારણે તમે આર્થિક સમસ્યા થી પરેશાન જોવા મળી રહ્યા છો.કારકિર્દી માં સહકર્મીઓ અને વિરોધીઓ તમારી પરેશાની વધારવાનું કામ કરી શકે છે.ખાલી આટલુંજ નહિ,વૃશ્ચિક રાશિ વાળા ની સુર્ય ગ્રહણ 2025 દરમિયાન પોતાના પિતા,ટીચર કે મેન્ટર ની સાથે બહેસ થવાની આશંકા છે એટલે તમને સાવધાની રાખવાની સલાહ દેવામાં આવે છે.
સુર્ય ગ્રહણ ના અશુભ પ્રભાવો થી બચવા માટે ના ઉપાય
- સુર્ય ગ્રહણ 2025 ચાલુ થતા પેહલા અને પછી શરીર અને આત્મા ની શુદ્ધિ માટે સ્નાન કરો.
- દેવી શક્તિ ના આગમન માટે ગાયત્રી મંત્ર કે આદિત્ય હૃદય સ્ત્રોત નો જાપ કરો.
- આ સમયગાળા માં મંદિર માં કે કોઈ બ્રાહ્મણ ને ગોળ,ઘઉં,તાંબું અને ઘી નું દાન કરો.
- દેવી દુર્ગા ના મંદિર માં ભાત નું દાન કરો.
- લોકો સાત્વિક આહાર ના રૂપમાં ફળ,મેવા,બીજ અને ડેરી થી બનેલી વસ્તુઓ નું સેવન કરો.
- માંસ-દારૂ ના સેવન થી બચો.
- તમે ધ્યાન નો અભ્યાસ કરો, ખાસ કરીને મંત્ર જાપ ના માધ્યમ થી.
- તમે “ઓમ કે “સોહમ” મંત્ર નો જાપ કરો.
- પરિવાર માંથી નકારાત્મક ઉર્જા ને દુર કરવા માટે કોલસા સળગાવો.
- ઘર ના શુદ્ધિકરણ માટે સિંગિંગ વાટકી,ચમચી કે શાંતિ દેવાવાળા સંગીત નો પ્રયોગ કરો.
- તમે રેકી જેવી હીલિંગ સારવાર પદ્ધતિ ઉપર વિચાર કરી શકો છો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. સુર્ય ગ્રહણ ક્યારે લાગે છે?
જયારે સુર્ય અને પૃથ્વી ની વચ્ચે ચંદ્રમા આવે છે અને આ રીતે,આ ત્રણ ગ્રહો એક રેખામાં આવે છે.એવા માં,પૃથ્વી ઉપર સુર્ય નો પ્રકાશ નથી આવી શકતો અને આનેજ સુર્ય ગ્રહણ કહે છે.
2. 29 માર્ચ 2025 ના દિવસે કઈ જ્યોતિષય ઘટના થવા જઈ રહી છે?
શનિ મીન રાશિમાં ગોચર 29 માર્ચ 2025 ના દિવસે થશે.
3. સુર્ય ગ્રહણ ક્યાં પક્ષ માં લાગવા જઈ રહ્યું છે?
કૃષ્ણ પક્ષ
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Tarot Weekly Horoscope (27 April – 03 May): 3 Fortunate Zodiac Signs!
- Numerology Weekly Horoscope (27 April – 03 May): 3 Lucky Moolanks!
- May Numerology Monthly Horoscope 2025: A Detailed Prediction
- Akshaya Tritiya 2025: Choose High-Quality Gemstones Over Gold-Silver!
- Shukraditya Rajyoga 2025: 3 Zodiac Signs Destined For Success & Prosperity!
- Sagittarius Personality Traits: Check The Hidden Truths & Predictions!
- Weekly Horoscope From April 28 to May 04, 2025: Success And Promotions
- Vaishakh Amavasya 2025: Do This Remedy & Get Rid Of Pitra Dosha
- Numerology Weekly Horoscope From 27 April To 03 May, 2025
- Tarot Weekly Horoscope (27th April-3rd May): Unlocking Your Destiny With Tarot!
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025