રાહુ ગોચર 2025

રાહુને વૈદિક જ્યોતિષ માં રહસ્યમય ગ્રહ ના રૂપમાં જોવા માં આવે છે.આ કુટનીતિ અને રાજનીતિ દેવાવાળો ગ્રહ છે.રાહુ ગોચર 2025જો ધાર્મિક માન્યતાઓ ને જોવામાં આવે તો આ સ્વર્ભાનુ દૈત્ય નો બાળક છે જેને ભગવાન વિષ્ણુ ના મોહિની અવતારે પોતાના સુદર્શન ચક્ર થી કાપી નાખ્યું હતું પરંતુ અમૃત પાન ના કારણે એનું માથું અને શરીર અમર થઇ ગયું.માથા ને રાહુ અને શરીર ને કેતુ કેહવા લાગ્યા.ખગોળ વિજ્ઞાન મુજબ રાહુ અને કેતુ કોઈ ગ્રહ નહિ હોઈ ને માત્રા કાંતણ બિંદુ છે જે સૂર્ય અને ચંદ્રમા ના પરિક્રમા મુજબ બને છે જયારે વૈદિક જ્યોતિષ માં આને છાયા ગ્રહ કહેવામાં આવે છે પરંતુ આટલું હોવા છતાં રાહુ ગ્રહ નું મહત્વ ઓછું નહિ થઇ જાય પરંતુ કુંડળી માં રાહુ ની સ્થિતિ ને હંમેશા જોવામાં આવે છે.રાહુ મહારાજ પાછળના ઘણા સમય થી ગુરુના સ્વામિત્વ વાળી મીન રાશિમાં ગોચર કરી રહ્યા હતા અને હવે 18 મે 2025 ની રાતે 17:08 વાગે આ શનિ ના સ્વામિત્વ વાળી કુંભ રાશિમાં પ્રવેશ કરવાનો છે.રાહુ નો ગોચર સામાન્ય રીતે 18 મહિના માટે એક રાશિમાં રહે છે.આ પોતાના ગોચર નો પ્રભાવ શીઘ્રતા થી જોવાય છે.

 રાહુ ગોચર 2025

અલગ અલગ માન્યતાઓ મુજબ ઘણા જ્યોતિષ વૃષભ રાશિ તો ઘણા જ્યોતિષ મિથુન રાશિ માં રાહુ ને ઉચ્ચ નો માને છે તો વૃશ્ચિક અને ધનુ ને રાહુ ની નીચ રાશિ માનવામાં આવે છે.રાહુ અને કેતુ જો કેન્દ્ર અને ત્રિકોણ ના સ્વામી ની સાથે સારી સ્થિતિ માં કેન્દ્ર અને ત્રિકોણ ના ભાવમાં હોય તો રાજયોગ કારક બને છે અને એની દશા વ્યકતિને ગરીબ થી રાજા બનાવી દયે છે પરંતુ રાહુ જીવનમાં ક્યારેક ના ક્યારેક ગ્રહણ લાગવેજ છે એટલે રાહુ ની દશા બહુ મહત્વપુર્ણ હોય છે.રાહુ ને બયાહૂ પણ કહેવામાં આવે છે એટલે કે ઘણી વાર રાહુ ની દશા આવવાથી લોકોના લગ્ન થઇ જાય છે.પછી ભલે એ બેમેલ લગ્ન કેમ નો હોય.રાહુને નિરંકુશ પ્રવૃત્તિ નો ગ્રહ માનવામાં આવે છે.આનું ખાલી માથું છે શરીર નહિ એટલે આ વિચારવાનું કામ કરે છે અને રાહુ સાથે પ્રભાવિત લોકોની બુદ્ધિ બહુ તેજ હોય છે.આ લોકો દરેક સમસ્યાઓનો હલ કાઢવામાં સફળ થાય છે પરંતુ આ લોકો કામ કરવાનો પ્રયાસ બહુ કરે છે.જો ગ્રહોની સ્થિતિ અનુકુળ નહિ હોય તો ખાલી વિચારતા રહે છે.રાહુ ની કુશળ હાજરી લોકોને એક સારો કુટનિતિયજ્ઞ બનાવે છે.રાહુ જુગાર,સટ્ટો,લોટરી,વગેરે કામોમાં પણ સફળતા આપે છે તો આ લોકોને સારી સ્થિતિ માં જ્ઞાન મેળવા ના રસ્તા માં લઇ જાય છે.ચાલુ સમય માં આઇટી નો યુગ છે,એમાં પણ રાહુ નો પ્રભાવ સૌથી વધારે જોવા મળે છે.

રાહુ ની ખાસયિત એ છે કે એ સદેવ વક્રી ગતિ કરે છે.આ પ્રકારે કોઈ રાશિમાં આગળ વધવાની જગ્યા એ પાછળ ની રાશિ માં જાય છે જેમકે મીન રાશિમાં રાહુ નો ગોચર થઇ રહ્યો હતો તો અત્યારે આ મેષ રાશિ માં જઈને કુંભ રાશિમાં ગોચર કરશે.ઘણા પ્રખ્યાત જ્યોતિષ રાહુ ની આ નજર ને નથી માનતા જયારે ઘણા પ્રખ્યાત જ્યોતિષ રાહુની પાંચમી,સાતમી અને નવમી નજર ને મહત્વ આપે છે.પરંતુ એવી માન્યતા છે કે રાહુ જે ભાવ માં હોય છે એ ભાવ ના ફળ ને ખેંચી લ્યે છે.

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

રાહુ ગોચર ની તો સામાન્ય રીતે રાહુ નો ગોચર ત્રીજા ભાવ,છથા ભાવ અને એકાદશ ભાવમાં સૌથી વધારે ઉપયોગી માનવામાં આવે છે છતાં પણ અલગ અલગ ગ્રહ સ્થિતિઓ અને કુંડળી ના ભાવના આધારે રાહુના શુભાશુભ પ્રભાવ જોવા મળી શકે છે.રાહુ ગોચર 2025(Rahu Gochar 2025) ના આ ખાસ લેખ માં તમે એ જાણશો કે રાહુ નો કુંભ રાશિ માં ગોચર 2025 તમારી રાશિ પ્રમાણે તમારા જીવન ઉપર કઈ રીતના પ્રભાવ નાખવાવાળો સાબિત થશે.તમારા જીવનના ક્યાં ક્ષેત્ર માં રાહુ દ્વારા સારા પરિણામો ની પ્રાપ્તિ થશે અને કઈ જગ્યા એ તમારે સંઘર્ષ કરવો પડશે.એની સાથે તમને જણાવીશું કે તમને રાહુ ગ્રહ ની અનુકુળતા પ્રાપ્ત કરવા માટે ક્યાં ઉપાય કરવા જોઈએ તો ચાલો આગળ વિસ્તાર થી જાણીએ કે રાહુ ગોચર2025 (Rahu Gochar 2025) નો તમારી રાશિ માટે શું પ્રભાવ રહેશે.

Click here to read in English: Rahu Transit 2025

મેષ રાશિફળ

રાહુ ગોચર 2025 મુજબ મેષ રાશિ ના લોકોના જીવનમાં રાહુ નો ગોચર કુંભ રાશિ માં એકાદશ ભાવમાં થશે.આ તમારી રાશિ માટે બહુ અનુકુળ ગોચર સાબિત થઇ શકે છે કારણકે એકાદશ ભાવમાં રાહુ ને સૌથી વધારે અનુકુળ માનવામાં આવે છે.અહીંયા હાજર રાહુ તમારી મનપસંદ ઈચ્છાઓ ને પુરી કરવા માટે મદદરૂપ બનશે.તમારા દિલ ની જે ઈચ્છાઓ હશે.એ પુરી થશે અને જે લાંબા સમય થી અટકેલી યોજનાઓ હતી,એ હવે સારી રીતે ચાલવા લાગશે જેનાથી તમને આત્મવિશ્વાસ મળશે.તમારી આર્થિક સ્થિતિ માં પણ સુધારો થશે કારણકે અહીંયા હાજર થઈને રાહુ મહારાજ તમારી આવકમાં વધારો કરશે.તમને તમારા સામાજિક દાયરા ને વધારવાનો મોકો મળશે.તમારા ઘણા બધા મિત્રો બનશે.નવા લોકો સાથે મળવાનો અને એમની સાથે સમય પસાર કરવામાં બહુ મજા આવશે.પારિવારિક જીવન કરતા વધારે મહત્વ તમે તમારા સામાજિક દાયરા ને આપશો અને એટલે પરિવાર કરતા વધારે સમય ઘર થી બહાર પસાર કરી શકો છો.આ દરમિયાન પ્રેમ સબંધો માટે પણ સારો સમય રહેશે.તમે તમારા પ્રિયતમ ને ખુશ કરવા માટે ઘણું બધું કરવાની કોશિશ કરશો.વેવસાયિક લોકોને રાહુ ના આ ગોચર થી સકારાત્મક પરિણામ મળી શકે છે અને તમારી આર્થિક સ્થિતિ મજબુત થઇ શકે છે.તમારે શેર માર્કેટ માં રોકાણ કરતા પેહલા ઘણી વાર વિચાર કરવો જોઈએ.કાર્યક્ષેત્ર માં સફળતા મળવાનો યોગ બનશે અને તમને ઉન્નતિ અને પગાર વધારો પણ મળી શકે છે.

ઉપાય : તમારે બુધવાર ના રાત ના સમયે કાળા તિલ નું દાન કોઈ મંદિર માં જઈને કરવું જોઈએ.

વૃષભ રાશિફળ

વૃષભ રાશિના લોકો માટે રાહુ નો ગોચર દસમા ભાવમાં થવાનો છે.એમતો દસમા ભાવમાં હાજર થઈને રાહુ સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે તો પણ તમને તમારા કાર્યક્ષેત્ર માં થોડી સાવધાનીઓ રાખવાની જરૂરત પડશે.અહીંયા હાજરી આપીને રાહુ તમને શોર્ટકટ અપનાવા વાળો બનાવશે.તમે બધાજ કામ ને શોર્ટકટ માં કરવાનું પસંદ કરશો જેનાથી કામમાં ભુલ થવાની સંભાવના વધી શકે છે અને તમારે જલ્દબાજી માં કામ કરવાથી બચવું પડશે.તમારા કામને બીજાને આપવાથી બચવું જોઈએ નહીતો કાર્યસ્થળ માં પરેશાનીઓ આવી શકે છે.તમારો આત્મવિશ્વાસ સારો રહેશે.પરંતુ એક સારી વાત એ રહેશે કે તમે જે પણ કામ હાથ માં લેશો,એને પુરુ કરશો અને બહુ જલ્દી કરશો.તમારી આજુબાજુ ના લોકો જોતા રહી જશે કે તમારી કામ કરવાની ગતિ આટલી વધારે કેમ છે.જે કામ બીજા માટે અઘરું હશે એને તમે ચુટકી વગાડવાની સાથેજ પુરુ કરી લેશો પરંતુ તમારા પારિવારિક જીવનમાં થોડી સમસ્યાઓ બની રહી શકે છે.તમે પારિવારિક જીવનને સમય પણ ઓછો આપશો.આનાથી પરિવારવાળા ને તમારાથી શિકાયત પણ રહેશે.માતા-પિતા ને આરોગ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે.આ દરમિયાન ભાડા ના મકાન માં તમને સુખ મળશે.કાર્યસ્થળ માં તમારે દિલ ની જગ્યા એ મગજ લગાડીને કામ કરવા ઉપર પણ ધ્યાન આપવું પડશે.

ઉપાય : તમારે રાહુ મહારાજ ના બીજ મંત્ર નો જાપ કરવો જોઈએ.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પૂરો હિસાબ-કિતાબ

મિથુન રાશિફળ

મિથુન રાશિ માટે રાહુ નો ગોચર નવમા ભાવમાં થવા જઈ રહ્યો છે.આ ગોચર ના પ્રભાવ થી તમારી લાંબી લાંબી યાત્રાઓ નો યોગ બનશે.તમે આ ગોચરકાળ માં ઘણા સ્થાનો ની યાત્રા કરશે જેમાં થોડા તીર્થસ્થાન પણ હશે.તમે પવિત્ર નદીઓ જેમકે ગંગા,વગેરે માં નાહશો.રાહુ તમને થોડો નિરંકુશ બનાવશે અને તમે ધાર્મિક માન્યતાઓ કે રીતિ-રિવાજ થી અલગ થઈને પોતાની એક અલગ ઓળખાણ બનાવાનો પ્રયાસ કરશો અને આ બધીજ વાતો ને ઓછી માનશો.તમારા પિતાજી ની થોડી આરોગ્ય સમસ્યાઓ આ ગોચર દરમિયાન પરેશાન કરી શકે છે એટલે તમારે એમના આરોગ્ય નું ધ્યાન રાખવું પડશે અને જરૂરત હોવાથી ડોક્ટર ની સારવાર લઈને એનો ઈલાજ કરાવો પડશે.તમારે સંશોધન નો સાચા ઉપયોગ ઉપર ધ્યાન આપવું પડશે અને મિતવ્યતીત નો સહારો લેવો પડશે નહીતો તમે આર્થિક રૂપથી ઉતાર-ચડાવ મહેસુસ કરશો જે પછી તમને પરેશાની આપી શકે છે.રાહુના ગોચર ના પરિણામ સ્વરૂપ તમારે કાર્યક્ષેત્ર માં પણ ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.તમારી કોઈ એવા સ્થાન ઉપર ટ્રાન્સફર થઇ શકે છે જે તમે પસંદ નહિ કરતા હોવ,આવી સ્થિતિ માં ધૈર્ય સાથે આગળ વધો.

ઉપાય : રાહુના શુભ પરિણામ મેળવા માટે તમારે નાગકેસર નો છોડ લગાવો જોઈએ.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

કર્ક રાશિફળ

કર્ક રાશિ ના લોકો માટે રાહુ ગોચર 2025 ની વાત કરીએ તો આ તમારી રાશિ થી આઠમાં ભાવમાં થવા જઈ રહ્યો છે.આઠમા ભાવમાં રાહુ નો ગોચર ઘણા મામલો માં અનુકુળ નથી હોતો પરંતુ ઘણા મામલો માં અચાનક સારા પરિણામ આપી શકે છે એટલે તમારે પરિસ્થિતિઓ નું આંકલન કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ.અહીંયા હાજર થઈને રાહુ તમને આરોગ્ય સમસ્યા આપી શકે છે.તમને કોઈ પ્રકારનું સંક્રમણ થઇ શકે છે કે સારું ખાવા-પીવા નું નહિ કરવાથી આરોગ્ય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે એટલા માટે તમારે યોગ્ય અને અનુભવી ડોક્ટર ની મદદ લેવી જોઈએ એટલે સમય રહેતા તમે કોઈ મોટી બીમારી માં નહિ આવો.અહીંયા હાજર રાહુ સસુરાલ પક્ષ માં હસ્તસેપ તરફ ઇસારો કરી રહ્યો છે.તમે સસુરાલ ના કામમાં વધારે ભાગ લેશો.આ સમયગાળા માં રાહુ તમને શેર માર્કેટ માં રોકાણ કરવાથી બચવાની સલાહ આપે છે નહીતો,તમારે પૈસા ના નુકશાન નો સામનો કરવો પડી શકે છે પરંતુ આ રાહુ ના કારણે તમારે અપ્રત્યેક્ષ પૈસા નો લાભ પણ થઇ શકે છે.અચાનક કોઈ સંપત્તિ,કોઈ વિરાસત,તમને મળી શકે છે.કોઈની ગુપ્ત મિલકત તમને મળી શકે છે.અથવા કોઈના કોઈ વિચાર્યા વગર તમારી પાસે પૈસા આવવાનો યોગ બની શકે છે.રાહુના આ ગોચર દરમિયાન તમારે ધર્મ કર્મ થી પગલું પાછળ નહિ ભરવું જોઈએ.

ઉપાય : તમારે ભગવાન શંકર નો રુદ્રાભિષેક કરવો જોઈએ.

મેળવો તામરી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

સિંહ રાશિફળ

સિંહ રાશિના લોકો માટે રાહુ ગોચર 2025 તમારી રાશિ થી સાતમા ભાવમાં થવા જઈ રહ્યો છે.સાતમા ભાવમાં રાહુ નો ગોચર તમારા માટે મિશ્રણ પરિણામ લઈને આવશે.તમારે તમારા સબંધ ને એટલે કે તમારા લગ્ન જીવન ને સંભાળવું પડશે કારણકે આ દરમિયાન તમે અને તમારા જીવનસાથી ની વચ્ચે ઘણા પ્રકારની ગલતફેમીઓ ઉભી થઇ શકે છે જેની કિંમત તમારે તમારા સબંધ માં તણાવ થી ચૂકવી પડી શકે છે.તમારે તમારા જીવનસાથી સાથે સાચું બોલવું જોઈએ અને કોઈપણ વાત છુપાવી નહિ જોઈએ.જો તમારી બંને ની વચ્ચે કોઈપણ પ્રકાર નો મતભેદ ચાલી રહ્યો છે તો અંદર અંદર બેસીને એને દુર કરવાની કોશિશ કરો છતાં બહાર ની કોઈ ત્રીજા વ્યક્તિની મદદ આ કામમાં નહિ લો નહીતો પરેશાની આવી શકે છે.રાહુ ના આ ગોચર દરમિયાન તમારે તમારા વેપાર માં ખાસ ધ્યાન દેવાની જરૂરત છે.કોઈપણ અનૈતિક કે એવું કામ નહિ કરો જે કાનુની રૂપથી ખોટું હોય જેના માટે પછી તમારે અફસોસ કરવો પડે.આ દરમિયાન તમે વેપાર ને લઈને થોડી નવી યોજનાઓ તૈયાર કરશો પરંતુ એનો અમલ કરવો બહુ જરૂરી હશે,નહીતો સમસ્યા થઇ શકે છે.તમને વિદેશી માધ્યમ અને વિદેશી વેપાર થી લોકો પાસેથી મદદ મળી શકે છે.

ઉપાય : તમારે શનિવાર ના દિવસે કાળા તિલ નું દાન કરવું જોઈએ.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ

કન્યા રાશિફળ

કન્યા રાશિના લોકો માટે રાહુ ગોચર 2025 તમારી રાશિ થી છથા ભાવમાં થશે.સામાન્ય રીતે છથા ભાવમાં રાહુ નો ગોચર અનુકુળ માનવામાં આવે છે.તમારા માટે પણ આની અનુકુળ હોવાની સંભાવના વધારે દેખાય છે.રાહુના આ ગોચર ના પ્રભાવ થી જીવનમાં આવી રહેલી સમસ્યાઓ ઓછી થશે.તમે દરેક સમસ્યા નો હલ કાઢવામાં સફળ રેહશો.તમને આરોગ્ય સમસ્યા પણ થશે અને તમે બીમાર પડી શકો છોપરંતુ જેવી રીતે આરોગ્ય સમસ્યા આવશે,એવી રીતે ચાલી પણ જશે.તમે ચુનોતીઓ નો હલ કાઢવામાં સફળ રેહશો.નોકરી કરતા લોકોના કાર્યક્ષેત્ર માં તમારા ખાસ અને મનપસંદ મિત્રો થી સાવધાન રેહવું જોઈએ કારણકે તમે તો એને તમારા સમજશો પરંતુ એ તમારી પાછળ તમને ધોખો આપી શકે છે અને તમારી જડ ખોદવાની કોશિશ કરી શકે છે એટલા માટે તમારે હંમેશા સાવધાન રેહવું જોઈએ.જો કોર્ટ માં કોઈ મામલો ચાલી રહ્યો છે તો એ તમારા પક્ષ માં આવી જશે.આર્થિક ઉન્નતિ નો યોગ બનશે.ખર્ચા માં કમી આવશે અને તમે પૈસા મેળવી શકશો.પેહલા કરવામાં આવેલા રોકાણ નો લાભ પણ તમને મળશે.

ઉપાય : તમારે રાહુ મહારાજ ના બીજ મંત્ર નો જાપ કરવો જોઈએ.

તુલા રાશિફળ

રાહુ ગોચર 2025 ની વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે રાહુ નો ગોચર પાંચમા ભાવમાં થવા જઈ રહ્યો છે.પાંચમા ભાવમાં ગોચર તમને થોડા સારા પરિણામ આપી શકે છે.તમારી બુદ્ધિ નો વિકાસ થશે.તમારી યાદશક્તિ તેજ થશે.તમે શિક્ષા માં સારું પ્રદશન કરવામાં સફળ થશો કારણકે તમે જે કઈ પણ જોશો અને સમજશો અને વાંચશો એ તમને તરત જ સમજ માં આવી જશે અને યાદ પણ રાખી શકશો.પરંતુ વારંવાર તમારી એકાગ્રતા માં કમી આવશે.આ ગોચર પ્રેમ સબંધો માં પ્રગાઢતા લઈને આવશે.તમારી અને તમારા પ્રિયતમ ની વચ્ચે સબંધ મજબુત થશે પરંતુ તમારે એની સાથે ખોટું બોલવાથી બચવું જોઈએ.આ દરમિયાન તમારું મન શેર માર્કેટ તરફ પણ જઈ શકે છે અને તમે એમાં રોકાણ કરીને પણ લાભ કરી શકો છો.સટ્ટો,જુગાર,લોટરી,વગેરે વસ્તુઓ થી બચીને રેહવું જોઈએ.પૈસા કમાવા માટે નવી રીત શોધવાની કોશિશ કરશો તમે.જે કામ કઠિન હશે,એને તમે આસાનીથી કરી લેશો.તમને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ પરેશાન કરી શકે છે એટલે તમારે તમારા આરોગ્ય ઉપર ખાસ ધ્યાન દેવું જોઈએ.મનમાં ઘણી વાર થોડા વિચાર પણ આવી શકે છે,એવામાં કોઈનું ખોટું કરવાનો વિચાર નહિ કરો.

ઉપાય : તમારે રાહુના ખરાબ પ્રભાવ ને દુર કરવા માટે માં ચંડી જી ની ઉપાસના કરવી જોઈએ.

વૃશ્ચિક રાશિફળ

વૃશ્ચિક રાશિના લોકો માટે રાહુ નો ગોચર ચોથા ભાવમાં થવાનો છે.આ તમારા માટે વધારે અનુકુળ નથી કહેવામાં આવતો કારણકે આ ગોચર ના પ્રભાવ થી પારિવારિક જીવનમાં અસંતુલન આવી શકે છે.પરિવારમાં આપસી શાંતિ ની કમી અને પ્રેમ ની ભાવના ની વાત થઇ શકે છે જેનાથી તમારી પરિજનો સાથે દૂરી વધી શકે છે એટલે તમારે તમારા પરિવાર ને સંભાળવું જોઈએ.આ દરમિયાન જો તમે ભાડા ના મકાન માં રહો છો તો તમને ઘણી હદ સુધી ખુશી મળી શકે છે પરંતુ પોતાના મકાન વાળા લોકો એ પરિવારના લોકો થી ઘણી હદ સુધી દુર જવું પડી શકે છે કે તમારી કાર્યક્ષેત્ર માં વ્યસ્તતા ના કારણે ઘરમાં સુખ મળવામાં કમી આવી શકે છે.તમે અહીંયા અહીંયા ના કામો માં બહુ વ્યસ્ત રેહશો.આઇટી સાથે જોડાયેલા કામો તમને લાભ આપશે.તમે કોઈ જગ્યા એ થી કમિશન લેવાનું કામ કરી શકો છો.આ ગોચર ના પ્રભાવ થી છાતી માં સંક્રમણ કે સમસ્યાઓ પરેશાન કરી શકે છે.રાહુના આ ગોચર ના પ્રભાવ થી તમારો પરિવારમાં હદ કરતા વધારે દખલ કરવાથી બચવું જોઈએ અને બધા મુજબ કામ કરવા જોઈએ.

ઉપાય : તમારે કાળા કુતરા ને ભોજન દાન કરવું જોઈએ.

ધનુ રાશિફળ

ધનુ રાશિના લોકો માટે રાહુ મહારાજ ત્રીજા ભાવમાં ગોચર કરવાનો છે.તમારા માટે આ રાહુ ગોચર 2025 બહુ મહત્વપુર્ણ રહેશે કારણકે ત્રીજા ભાવમાં હાજર થઈને રાહુ મહારાજ તમારા માટે સફળતા નો રસ્તો ખોલશે.નાની-નાની યાત્રાઓ થતી રહેશે અને તમે આ ગોચરકાળ દરમિયાન વ્યસ્ત રેહશો.મિત્રો નો સહયોગ વધશે અને એમની સાથે વારંવાર સમય પસાર કરવાનો મોકો મળશે.તમે મિત્રો ના થઈને રહી જશો એટલે પરિવાર અને તમારા પોતાના સબંધ કરતા વધારે મિત્રો સાથે સમય પસાર કરવો અને એમની મદદ કરવાનું તમને વધારે પસંદ આવશે,તમે એની ઉપર પૈસા ખર્ચ પણ કરી શકશો.રાહુના પ્રભાવ થી તમારા ભાઈ-બહેનો ને કોઈ સમસ્યા થઇ શકે છે પરંતુ તમે એની મદદ કરવાની કોશિશ પણ કરશો.તમારો સાહસ અને પરાક્રમ વધશે.તમે જોખમ ઉઠાવાનો પ્રયાસ કરશો.વેપારમાં જોખમ ઉઠાવાથી તમને લાભ મળશે.તમે તમારી કોઈ રુચિ ને આગળ વધારી શકો છો.આ ગોચર ના પ્રભાવ થી તમારી કોમ્યુનિકેશન સ્કિલ મજબુત થશે જેનો તમને કાર્યક્ષેત્ર માં સારો લાભ મળી શકે છે.તમારા ઘણા સહકર્મી તમારા માટે ગલતફેમી ઉભી કરવાનું કામ કરી શકે છે.

ઉપાય : તમારે રવિવાર ના દિવસે ગાય માતા ને ઘઉં નો લોટ ખવડાવો.

મકર રાશિફળ

મકર રાશિના લોકો માટે રાહુ નો ગોચર તમારી રાશિ થી બીજા ભાવમાં થવા જઈ રહ્યો છે.અહીંયા હાજર થઈને રાહુ તમારી વાણી ઉપર પ્રભાવ નાખશે.તમે ઘણી બધી એવી વાત કરશો જે લોકોને પ્રભાવિત કરશે અને એ લોકો તમારી વાતો માં આવી જશે.આનો તમને એ લાભ થશે કે તમે તમારું કામ કાઢવામાં સફળ થઇ જશો.તમે એવી એવી વાતો કરાવશો જે લોકોને બહુ પસંદ આવશે.પ્યારી અને મીઠી વાતો થી તમે લોકોના દિલ જીતવામાં સફળ થશો.તમારે ગુસ્સા માં આવીને કોઈને કડવું કે ખરાબ બોલવાથી બચવું જોઈએ કારણકે જો તમે કોઈને ખરાબ બોલશો તો એ સાચું થઇ જશે.આનાથી તમને દુઃખ થશે અને એને પણ પરેશાની થશે.રાહુના આ ગોચર દરમિયાન તમારે તમારા ખાવા-પીવા ઉપર ખાસ દેવાની જરૂરત છે કારણકે તમને ભોજન ને લગતી સમસ્યાઓ અને શારીરિક સમસ્યાઓ થઇ શકે છે.પૈસા ભેગા કરવામાં થોડી પરેશાની થશે પરંતુ વધારે પ્રયાસ પછી તમે પૈસા ભેગા કરવામાં સફળ થઇ જશો.વર્ષ ની શુરુઆત માં મંગળ ની આથમી નજર રાહુ ઉપર હોવાથી તમારે આરોગ્ય નું ધ્યાન રાખવું પડશે.

ઉપાય : તમારે રાહુ નો શુભ પ્રભાવ મેળવા માટે ગોમેદ રત્ન નું દાન કરવું જોઈએ.

કુંભ રાશિફળ

કુંભ રાશિના લોકો માટે રાહુ નો આ ગોચર ખાસ રૂપથી પ્રભાવશાળી રહેશે કારણકે રાહુ ગોચર 2025 મુજબ રાહુ તમારીજ રાશિમાં પ્રવેશ કરશે એટલે કે તમને પેહલા ભાવમાં રાહુનો ગોચર થશે.આ તમારી વિચારવાની અને સમજવાની શક્તિ ને ખાસ રૂપે પ્રભાવિત કરશે.તમારી નિર્ણય લેવાની આવડત પણ બદલશે.તમે બહુ જલ્દી કોઈપણ નિર્ણય લઇ લેશો.ઘણી વાર સાચા અને ખોટા નો વિચાર કર્યા વગર તમે નિર્ણય લેશો જે પછી ખોટો પણ સાબિત થઇ શકે છે કારણકે રાહુનો પ્રભાવ તમારા મસ્તક અને તમારા વિચાર ઉપર પડશે.તમે બધાજ કામમાં જલ્દબાજી કરશો જેનાથી એ કામોમાં ગડબડી થવાની આશંકા પણ બનેલી રહેશે.તમારે સાચા અને ખોટા નો સોચ-વિચાર કરીને તોલમોલ કરીનેજ બોલવું જોઈએ,ત્યારેજ તમને સારા પરિણામ મળી શકશે.આરોગ્ય સમસ્યા પ્રત્ય ઉદાસનીતા તમને બીમારી નો શિકાર બનાવી શકે છે.રાહુના ગોચર ના પ્રભાવ થી ખાલી તમારા માટે વિચારવાથી સ્વાર્થી નહિ થઈને તમે તમારા જીવનસાથી વિશે સોચો અને એમની સાથે તમારા સબંધ સારા કરવાનો પ્રયાસ કરો.વેવસાયિક લોકોને પોતાના સબંધો ઉપર ટકી રેહવાની જરૂરત છે.ખોટું બોલીને વેવસાય નહિ કરો.પોતાના કામને વધારે સારું કરવા માટે એમાં ઘણા નવા લોકોને ઉમેરો.એનાથી તમને ફાયદો થશે.કોઈની વાતોમાં આવીને નિર્ણય નહિ લો,થોડો તમારો મગજ પણ લગાવો અને થોડો કોઈ વિશ્વાસુ અનુભવી વ્યક્તિની સલાહ પણ લો.

ઉપાય : તમારે ભગવાન શંકર ને સફેદ ચંદન ચડાવું જોઈએ.

મીન રાશિફળ

રાહુ ગોચર 2025 તમારા માટે ખાસ રૂપથી મહત્વપુર્ણ રહેશે કારણકે રાહુ મહારાજ તમારી રાશિ માંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે એટલે કે આ તમારી રાશિ માંથી દ્રાદશ ભાવમાં પ્રવેશ કરશે.આના ઘણા સારા અને ઘણા ખરાબ પ્રભાવ જોવા મળી શકે છે.એકબાજુ જ્યાં તમે બીમારી ની ચપેટ માં આવી શકો છો અને તમને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે જેનાથી તમારે હોસ્પિટલ પણ જવું પડી શકે છે તો ત્યાં તમારા ખર્ચા માં અચાનક રૂપથી વધારો થાય છે.તમે સાચા અને ખોટા ની ઓળખ વગર ખર્ચ કરશો જેનાથી પૈસા ના નુકશાન થવાની સંભાવના પણ બની રહેશે.તમે ખોટા કામોમાં પૈસા બગાડશો જેનાથી આર્થિક સ્થિતિ બગડી શકે છે પરંતુ સારી વાત એ છે કે આ દરમિયાન તમને વિદેશ યાત્રા કરવાનો મોકો પણ મળી શકે છે.જો તમે આ દિશા માં પ્રયાસ કરી રહ્યા છો તો તમારા પ્રયાસ ને વધારો,રાહુના આ ગોચરકાળ માં તમારો વિદેશ જવાનો યોગ મળી શકે છે.તમારે કાર્યક્ષેત્ર માં ભાગ દોડ નો સામનો કરવો પડી શકે છે અને પોતાના લોકોથી ઘણા સમય માટે દૂરી બનાવી પડી શકે છે જે તમને શુરુઆત માં ખરાબ લાગશે,પછી તમને એની આદત પડી જશે.તમારા પરિવારના લોકોને સાથ આપવો જોઈએ.

ઉપાય : રાહુ મહારાજ ની કૃપા મેળવા માટે શનિવાર ના દિવસે કાચા કોલસો ને પાણી પ્રવાહ કરવો જોઈએ.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે રાહુ ગોચર 2025 તમારા જીવનમાં ખુશીઓ અને પ્રગતિ લાવે અને તમે જીવનમાં ક્યારેય નિરાશ ન થાઓ. અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. ક્યારે થશે રાહુ ગોચર?

18 મે 2025 ની રાતે રાહુ શનિ ના સ્વામિત્વ વાળી કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.

2. રાહુ ગ્રહ ક્યાં સુધી એક રાશિ માં રહે છે?

રાહુ નો ગોચર સામાન્ય રીતે 18 મહિના માટે એક રાશિમાં રહે છે.

3. રાહુ માટે સારી રાશિ કઈ છે?

રાહુ કન્યા,કુંભ અને ત્રીજા,છથા અને અગિયારમો ભાવ પણ મજબુત માનવામાં આવે છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 399/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer