કેતુ ગોચર 2025

કેતુ ને રાહુ નો બીજો ભાગ માનવામાં આવે છે.ધાર્મિક માન્યતાઓ મુજબકેતુ ગોચર 2025આ સ્વર્ભાનુ દૈત્ય નું ધડ છે અને રાહુ એનું માથું છે.સમુદ્ર મંથન દરમિયાન જયારે સ્વર્ભાનુ નામનો દાનવ ને દેવતાઓ ની વચ્ચે બેસીને અમૃત પાન કરવાનો પ્રયન્ત કર્યો ત્યારે ભગવાન વિષ્ણુ જી એ મોહિની અવતાર ધારણ કરીને સુર્ય અને ચંદ્ર ના કેહવા પ્રમાણે એને ઓળખી લીધો અને પોતાના સુદર્શન ચક્ર થી એનું માથું કાપી નાખ્યું પરંતુ અમૃત ના થોડા ટીપા એના મોઢા માં પડવાથી એ અમર થઇ ગયો.આ રીતે માથા ને રાહુ અને શરીર ને કેતુ કહેવામાં આવ્યુઓ.સુર્ય અને ચંદ્ર ના મોહિની અવતાર થી સ્વર્ભાનુ ની શિકાયત એટલે રાહુ અને કેતુ ક્રમશ સુર્ય અને ચંદ્ર ને ગ્રસિત કરે છે અને આજ કારણે સુર્ય અને ચંદ્ર ગ્રહણ થાય છે.આવું ધાર્મિક માન્યતાઓ મુજબ કહેવામાં આવ્યું છે.ખરેખર રાહુ અને કેતુ સુર્ય અને ચંદ્ર ના બિંદુ છે.જે ખગોળીય નજર થી કોઈ ગ્રહ નહિ અપિતુ માત્ર બિંદુ છે.

કેતુ ગોચર 2025

વૈદિક જ્યોતિષ માં રાહુ અને કેતુ ને છાયા ગ્રહ કહેવામાં આવ્યો છે પરંતુ વર્તમાન સમય માં આ છાયા ગ્રહ નું પણ વધારે મહત્વ છે અને એટલે જયારે પણ અમે કોઈપણ કુંડળી નું વિશ્લેષણ કરીએ ત્યારે નવગ્રહો માં રાહુ અને કેતુ નું પણ સ્થાન મળેલું છે.

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

…કેતુ ગ્રહ પાછળ ના લાંબા સમય થી કન્યા રાશિ માં ગોચર કરી રહ્યા હતો જેનો સ્વામી બુધ હતો,હવે આ 18 મે 2025 ને સાયંકાળ 17:08 વાગે આ સુર્ય ના સ્વામિત્વ વાળો સિંહ રાશિ માં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.સામાન્ય રીતે રાહુ અને કેતુ નો ગોચર એક રાશિ થી બીજી રાશિ માં લગભગ 18 મહિના ના અંતરાલ પર થાય છે.આવામાં આનો પ્રભાવ લોકોના જીવન પર પરિલક્ષિત થતો રહે છે.

વૈદિક જ્યોતિષ માં રાહુ-કેતુ ને કોઈ રાશિ પ્રદાન નથી કરવામાં આવી એટલે આ કોઈ રાશિ નો સ્વામી નથી હોતો અપિતુ જે રાશિ માં બેસે છે,એનો સ્વામી અને એની સાથે હાજર ગ્રહના પ્રભાવ ના કારણે આને ફળ મળે છે.ઘણા જ્યોતિષ વૃશ્ચિક રાશિ માં અને ઘણા જ્યોતિષ ધનુ રાશિ માં કેતુ ને ઉચ્ચ માને છે અને એનાથી ઉલટું અથવા મિથુન રાશિ માં કેતુ ગ્રહ ને નીચ ની રાશિ માનવામાં આવે છે.

Click here to read in English: Ketu Transit 2025

કેતુ એક રહસ્યમય ગ્રહ છે અને આ અજ્ઞાત વસ્તુઓ ને શોધવામાં અમારી મદદ કરે છે.આ ગુરુ ના પ્રભાવ માં હોય તો લોકો વધારે ધાર્મિક અને જો મંગળ ના પ્રભાવ માં હોય તો વધારે ક્રૂર બની શકે છે.જો આ જ કેતુ સારી સ્થિતિ માં હોય તો અને મંગળ ની સારી સ્થિતિ હોય તો લોકો એક શલ્ય સારવાર પણ બની શકે છે.આ લોકોના અજ્ઞાત ને શોધવામાં શક્તિ આપે છે.કેતુ ગ્રહ ના પ્રભાવ થી લોકો પરોવૈજ્ઞાનિક પણ બની શકે છે.

કેતુ પણ હંમેશા વક્રી ગતિ કરતો રહે છે.આજ કારણ છે કે જ્યાં અધિકાંશ ગ્રહ ગોચર પછી આગળ ની રાશિ માં પ્રવેશ કરે છે અને કન્યા પછી હવે એનો ગોચર સિંહ રાશિ માં થવા જઈ રહ્યો છે.એવું માનવામાં આવે છે કે કેતુ જે રાશિ માં બેસે છે,એ રાશિના સ્વામી ગ્રહ ની જેમ ફળ આપે છે.આનાથી ઉલટું જે ગ્રહ નો નજર કેતુ ઉપર હોય છે અને જે ગ્રહો કેતુ સાથે યુતિ કરે છે,એમનો પ્રભાવ પણ કેતુ ના ફળ માં જોવા મળે છે.એનાથી ઉલટું કેતુ ને કુંજવત પણ માનવામાં આવે છે.

કેતુ ગોચર ની વાત કરીએ તો 18 મે 2025 થી કેતુ સિંહ રાશિ માં ગોચર કરશે અને એને આખું વર્ષ સિંહ રાશિ માંજ કેતુ નો ગોચર બનેલો રહેશે.કેતુ ગ્રહ ને મુખ્ય રૂપથી ત્રીજા,છથા અને અગિયારમા ભાવ માં સારા ફળ આપવાવાળો માનવામાં આવે છે.જો દ્રાદશ ભાવમાં ગુરુ ની રાશિઓ માં કેતુ ની હાજરી હોય તો આ લોકો માટે મોક્ષ આપવાવાળો ગ્રહ બને છે.ચાલો જાણીએ વર્ષ 2025 દરમિયાન કેતુ ગોચર ને તમારા માટે શું પ્રભાવ મળશે એટલે કે કેતુ નો સિંહ રાશિ માં ગોચર 2025 તમારી રહી પ્રમાણે તમારા માટે કેવા ફળ આપશે,તમારે ક્યાં ક્ષેત્રો માં સંઘર્ષ કરવાની સ્થિતિ બનશે અને કઈ જગ્યા એ તમારા માટે ઉમ્મીદ નો રસ્તો ખુલશે.એની સાથેજ અમે તમને એ પણ જણાવીશું કે તમારે કેતુ ગ્રહ ની અનુકુળતા મેળવા માટે ક્યાં ઉપાયો કરવા જોઈએ,તો ચાલો હવે આગળ વધીએ અને વિસ્તાર થી જાણીએ કે કેતુ ગોચર 2025નો તમારી રાશિ ઉપર શું પ્રભાવ રહેશે.

મેષ રાશિફળ

કેતુ ગોચર મુજબ મેષ રાશિ ના લોકોના જીવનમાં કેતુ નો ગોચર તમારી રાશિ થી પાંચમા ભાવ માં થવા જઈ રહ્યો છે.આ ભાવ ને પ્રેમ ભાવ પણ કહેવામાં આવે છે અને શિક્ષા અને બાળક નો ભાવ પણ.આવી સ્થિતિ માંકેતુ ગોચર 2025 કરવો તમારા માટે અનુકુળ નથી કહેવામાં આવતો.આવી સ્થિતિ માં જ્યાં એક બાજુ વિદ્યાર્થીઓ માટે એક સારી સ્થિતિ હશે,તમને અજ્ઞાત ને જાણવાની ઈચ્છા થશે.તમે ઘણા એવા વિષય વાંચવા તરફ જાગરૂક થશો કે જે સામાન્ય વિષય કરતા ઉપર હશે.જેમકે જુની ભૌગોળિક સ્થિતિઓ,જ્યોતિષ,અધીયાત્મ વગેરે માં તમારી રુચિ વધશે.તમે તંત્ર-મંત્ર તરફ પણ રુચિ રાખી શકો છો.અહીંયા હાજર કેતુ ના કારણે તમારા પ્રેમ સંબંધ માં ટકરાવ આવી શકે છે.આ દરમિયાન તમારી અને તમારા પ્રિયતમ વચ્ચે ભાવનાઓ ની લેણદેણ માં કમી આવશે અને ગલતફેમીઓ વધી શકે છે.તમને ધોખો પણ મળી શકે છે એટલે તમારે સાવધાન રેહવું જોઈએ.બાળક ને લગતી થોડી ચિંતાઓ વધી શકે છે એટલે આ દરમિયાન તમારે તમારા બાળક ના આરોગ્ય નું ધ્યાન રાખવું પડશે.

ઉપાય : તમારે મંગળવાર ના દિવસે કોઈ મંદિર માં ત્રિકોણ ઝંડો લગાડવો જોઈએ.

વૃષભ રાશિફળ

વૃષભ રાશિના લોકો માટે કેતુ નો ગોચર તમારી રાશિ થી ચોથા સ્થાને હશે.કેતુ ને વીરિક્ત નો કારક ગ્રહ કહે છે એટલે આ જે ભાવ માં બેસે છે,એ ભાવના ફળ માં કમી કરી દયે છે.આજ કારણ છે કે જયારે કેતુ તમારા ચોથા ભાવમાં ગોચર કરશે ત્યારે પારિવારિક જીવનમાં ઘણી સમસ્યાઓ વધશે.પરિવારના લોકોમાં આકરણ તણાવ અને ગલતફેમી વધવાથી પરિવાર નો માહોલ કલેસપુર્ણ રહી શકે છે.તમને પરિવારમાં શાંતિ નો અભાવ મહેસુસ થશે એટલે ઘર માં મન ઓછું લાગશે અને તમે વધારે સમય બહાર પસાર કરવાનો પસંદ કરશો.તમને માતાજી ની આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે.આ દરમિયાન તમને ફેફડા કે છાતી નું સંક્રમણ થઇ શકે છે.આવી સ્થિતિ માં તમને આરોગ્ય તરફ અને તમારી આજુબાજુ ની સ્થિતિઓ અને પરિવારના સબંધ ને ધ્યાનમાં રાખવાની કોશિશ કરવી જોઈએ જેનાથી તમે અનુકુળતા મેળવી શકો અને આપસી સબંધો ને જાળવી શકો.

ઉપાય : તમારે કેતુ મહારાજ ના બીજ મંત્ર નો જાપ કરવો જોઈએ.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવન ના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મિથુન રાશિફળ

મિથુન રાશિ માટે કેતુ નો ગોચર તમારી રાશિ થી ત્રીજા ભાવમાં હશે.સામાન્ય રીતે ત્રીજા ભાવમાંકેતુ ગોચર 2025 કરવું અનુકુળ માનવામાં આવે છે.આવી સ્થિતિ માં તમારા સાહસ અને પરાક્રમ માં વધારો થશે.તમે દરેક કામને ઈમાનદારી અને પુરી મેહનત સાથે કરશો.ધાર્મિક વિધિઓ માં તમારી મનની ઈચ્છા જાગરૂક રહેશે.તમે તમારા મિત્રો,સબંધીઓ અને ભાઈ-બહેનો સાથે ધાર્મિક યાત્રાઓ કરવા ઉપર જોર આપશો અને નાની નાની યાત્રાઓ કરશો.તમારું મન એક રમણીય સ્થળ ઉપર વધારે લાગવાની સંભાવના છે.આ દરમિયાન તમારા મનમાં ઘણા સારા વિચાર પણ આવશે.કાર્યક્ષેત્ર માં પણ તમારું મન લાગશે અને તમારા સહકર્મીઓ તમને મદદ કરશે.આ દરમિયાન ભાઈ-બહેનો ને થોડી શારીરિક સમસ્યાઓ પરેશાન કરી શકે છે એટલે જો જરૂરત હોય તો તમારે આ દરમિયાન એમની મદદ કરવી જોઈએ.આ ગોચર ના પ્રભાવ થી તમે કોઈ સંપત્તિ ખરીદવામાં સફળ થઇ શકો છો.તમે વેપાર સબંધિત જોખમ ઉપાડવા માટે પણ તૈયાર રેહશો.

ઉપાય : કેતુ નું શુભ પરિણામ મેળવા માટે તમારે કેતુ ને ભોજન આપવું જોઈએ.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

કર્ક રાશિફળ

કર્ક રાશિ ના લોકો માટે કેતુ ગોચર 2025 ની વાત કરીએ તો આ તમારી રાશિ થી બીજા ભાવ માં ગોચર કરવાનો છે.બીજો ભાવ તમારા પૈસા,વાણી અને કુટુંબ નો ભાવ હોય છે.આવામાં કેતુ નો આ ભાવમાં ગોચર કરવાથી ઉતાર ચડાવ થી ભરેલું જીવન દેવાવાળો રહેશે.તમે ઘણી એવી વાત કરશો કે એના સારા મતલબ ને લેશો કે ખરાબ.એ સામેવાળા ઉપર નિર્ભર કરે છે કે એ સારો મતલબ લેશે કે ખરાબ.આવામાં ઘણા લોકો તમારી વાતો ને ખરાબ માની શકે છે.આ દરમિયાન તમને પૈસા ભેગા કરવામાં થોડી સમસ્યાઓ થઇ શકે છે અને તમે પરિવાર થી અલગ થવા ની કોશિશ કરશો.તમને લાગશે કે અહીંયા ચારો તરફ અનુકુળ સ્થિતિઓ નથી એટલે તમે બધા થી દુર ભાગવાની કોશિશ કરશો એટલે પરિવારના સબંધ ખરાબ થઇ શકે છે અથવા લોકો તમને ઓછા પસંદ કરશે પરંતુ તમે દિલ થી ખરાબ નહિ હોવ.તમારે તમારી પરિસ્થિતિઓ ને સંભાળવા ઉપર ધ્યાન આપવું પડશે.આ ગોચર દરમિયાન તમારા મોઢા માં ફોડકા અને દાંત ની સમસ્યા થઇ શકે છે.આ દરમિયાન તમારા જીવનસાથી ને પણ આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે એટલે એમનું પણ ધ્યાન રાખો.

ઉપાય : તમારે ભગવાન શ્રી ગણેશજી ને દુર્વાકાર ચડાવા જોઈએ,

મેળવો તામરી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

સિંહ રાશિફળ

સિંહ રાશિના લોકો માટે કેતુ ગોચર 2025 તમારી રાશિ માટે બહુ મહત્વપુર્ણ સાબિત થવાનું છે કારણકે આ તામરીજ રાશિમાં એટલે તમારા પેહલા ભાવમાં થવા જઈ રહ્યો છે એટલે આનો તમારા જીવન ઉપર ખાસ પ્રભાવ પડશે.પેહલા ભાવમાં કેતુ નો ગોચર આરોગ્ય સમસ્યાઓ ને વધારવાવાળો સાબિત થઇ શકે છે એટલા માટે તમારે આ ગોચર દરમિયાન પોતાની આરોગ્ય સમસ્યા પ્રત્ય સાવધાની રાખવી જોઈએ.નાની નાની સમસ્યાઓ કે સંક્ર્મણ માટે તમારે ડોક્ટર ની મદદ લેવી જોઈએ.આ દરમિયાન તમારા મનમાં વીરિક્ત નો ભાવ જાગશે.તમે તમારા આસપાસ ના જીવન થી થોડા પરેશાન થઇ શકો છો.લગ્ન જીવનમાં પણ સમસ્યાઓ વધી શકે છે કારણકે તમારા વિચાર અલગ હશે અને તમારા જીવનસાથી ને એ સમજ માં નહિ આવે.એમને લાગશે કે તમે એનાથી કંઈક છુપાવી રહ્યા છો એની અસર તમારા લગ્ન જીવન ઉપર પડશે અને તણાવ ની સ્થિતિ બનશે.એના કરતા વધારે વેવસાયિક સબંધો માટે પણ આ ગોચર ને અનુકુળ નથી કહેવામાં આવતો.તમારે તમારા વેવસાયિક કામો માટે કોઈ અનુભવી વ્યક્તિ ની સલાહ લેવી જોઈએ.એનાથી તમને લાભ થશે.તમારી નિર્ણય લેવાની આવડત પ્રભાવિત થઇ શકે છે.મનમાં ધાર્મિક વિચારો વધશે.

ઉપાય : તમારે મંગળવાર ના દિવસે નાના બાળક ને ગોળ અને ચણા નો પ્રસાદ વેચવો જોઈએ.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાહ્યોગ રિપોર્ટ

કન્યા રાશિફળ

કન્યા રાશિના લોકો માટે કેતુ ગોચર 2025 તમારી રાશિ થી દ્રાદશ ભાવમાં થવા જઈ રહ્યો કે.આ ગોચર તમારા માટે વધારે અનુકુળ રેહવાની સંભાવના નથી એટલે તમારે થોડી સાવધાની રાખવાની જરૂરત પડશે.અચાનક તમારી પાસે ખર્ચા આવી જશે.અને તમારા ખર્ચ માં વધારો થશે.એ ખર્ચા એવા હશે જેની જરૂરત હશે અને તમારે મજબુરી માં કરવોજ પડશે અને તમને એ સમજમાં નહિ આવે કે આને નિયંત્રણ માં કેવી રીતે લાવવા.આ દરમિયાન તમારી આરોગ્ય સમસ્યા પણ તમને પરેશાન કરી શકે છે.તાવ,માથા નો દુખાવો,કોઈ પ્રકારનું સંક્રમણ તમને પરેશાની આપી શકે છે એટલે તમારા આરોગ્ય ને લઈને જરાક પણ લાપરવાહી નહિ કરો.કેતુ ગ્રહના આ ગોચર ના કારણે તમારા મનમાં અધિયાત્મિક વિચારો માં વધારો થઇ શકે છે અને તમે ધ્યાન,સાધના,વગેરે માં વધારે સમય લગાડી શકો છો.કાર્યક્ષેત્ર ને લઈને થોડી ઉદાસી મહેસુસ કરી શકો છો.તીર્થ યાત્રા કરવાનો મોકો મળી શકે છે.

ઉપાય : તમારે કેતુ મહારાજ ના બીજ મંત્ર નો જાપ કરવો જોઈએ.

તુલા રાશિફળ

કેતુ ગોચર ની વાત કરીએ તો તુલા રાશિના લોકો માટેકેતુ ગોચર 2025 માં તમારા એકાદશ ભાવમાં હશે.એકાદશ ભાવમાં થવાવાળો કેતુ નો ગોચર સામાન્ય રીતે શુભ ફળ આપવાવાળો માનવામાં આવે છે એટલે એવી સંભાવના છે કે આ તમારા માટે લાભદાયક રહેશે.આનાથી તમારી આવકમાં વધારા ના યોગ બનશે.તમે તમારી ઈચ્છાઓ ને સીમિત દાયરા માં રાખીને એને પુરુ કરવા ઉપર ધ્યાન આપશો અને એમાં તમને સફળતા પણ મળશે.પ્રેમ સબંધો માટે આ ગોચર અનુકુળ રેહવાની સંભાવના નથી એટલા માટે તમારે બહુ સાવધાન રેહવું પડશે કારણકે નાની મોટી વાતો માં તમે તમારા પ્રિયતમ સાથે ઝગડા ની સ્થિતિ ઉભી કરી શકો છો જે તમારા સબંધ માટે સારી વાત નથી.તમને તમારા વરિષ્ઠ અધિકારી નો સહયોગ મળશે.કાર્યક્ષેત્ર માં તમારું પ્રભુત્વ વધશે.તમે તમારા મોટા ભાઈ-બહેનો સાથે થોડા અસહજ મહેસુસ કરી શકો છો.એમની આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે એટલે તમને કંઈક નવું કરવાનો મોકો મળશે.

ઉપાય : તમારે લહસુનિયો પથ્થર પેહરવો જોઈએ.

વૃશ્ચિક રાશિફળ

વૃશ્ચિક રાશિના લોકો માટેકેતુ ગોચર 2025 તમારી રાશિ થી દસમા સ્થાન ઉપર રહેશે.આ ગોચર તમારા માટે મિશ્રણ પરિણામ લઈને આવશે.જ્યાં એક બાજુ તમારા પારિવારિક જીવનમાં તણાવ અને ટકરાવ ની સ્થિતિ બનશે.આપસી શાંતિ માં કમી થશે.લોકોની વચ્ચે આપસી પ્રેમ ની ખુશી હશે અને સંતુલન વધશે.ત્યાં તમારા પિતાજી ને થોડી આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે જેનાથી તમને પણ ચિંતા લાગી રહેશે.તમારે એમના આરોગ્ય નું ધ્યાન રાખવું જોઈએ.નોકરી કરતા લોકો માટે કેતુ ની સ્થિતિ બહુ સંતુલિત રહેશે .તમે તમારા કામ થી કામ મતલબ રાખશો તો બધુજ ઠીક રહેશે પરંતુ ઘણીવાર એવું થશે કે તમને તમારું મનપસંદ કામ નહિ મળવાથી કાર્યક્ષેત્ર માં તમને મન નહિ લાગે અને આજ કારણ થી કાર્યક્ષેત્ર માં તમારી સ્થિતિ બગડી શકે છે અને નોકરીમાં સ્થિતિ તણાવ વાળી થવાના યોગ બની શકે છે એટલે તમારે બહુ ચતુરાઈ અને સમજદારી થી તમારું કામ કરવું પડશે એટલે તમે કોઈપણ પ્રકારની પરેશાની માં નહિ આવો.

ઉપાય : તમારે કૂતરા ને ખાવાનું ખવડાવું જોઈએ.

ધનુ રાશિફળ

ધનુ રાશિના લોકો માટે કેતુ મહારાજ નવમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે જે ભાગ્ય અને ધર્મ નો ભાવ હોય છે અને કાળ પુરુષ ની કુંડળી માં ગુરુ આ ભાવ નો સ્વામી હોય છે.આ સ્થિતિ અને કેતુ નો આ રીતનો ગોચર તમારા જીવનમાં ધાર્મિક સ્થળો ની યાત્રા નો યોગ લઈને આવશે.તમે લાંબી-લાંબી તીર્થ યાત્રાઓ કરશો.તમારું મન ધાર્મિક જગ્યા ઉપર વધારે લાગશે.તમે સાધના,ધ્યાન,મેડિટેશન અને પ્રાણાયામ જેવી ગતિવિધિઓ ને અપનાવાની કોશિશ કરશો.તમે ધાર્મિક સ્થળો ની સાથે સાથે ધાર્મિક જગ્યા તરફ વધારે અગ્રસર થઇ શકો છો.તમને પુજા પાઠ પસંદ આવશે અને આના સિવાય તમે ઘણીવાર એકલા રહેવાનું પસંદ કરશો.પરંતુ આ સ્થિતિ સારી નથી.એકલા રહેવાથી તમને થોડી ઉદાસી આવી શકે છે જેને દુર કરવા માટે તમારે પરિવારના લોકોના સાથ ની જરૂરત છે કાર્યક્ષેત્ર માં ઉતાર-ચડાવ ની સ્થિતિ બની શકે છે અને આ દરમિયાન તમારો કાર્યક્ષેત્ર માંથી ફેરબદલી થવાનો યોગ પણ બની શકે છે.

ઉપાય : તમારે કેતુ ના ખરાબ પ્રભાવ ને દુર કરવા માટે શ્રી ગણેશજી ભગવાનજી ની ઉપાસના કરવી જોઈએ.

મકર રાશિફળ

મકર રાશિના લોકો માટે કેતુ ગોચર તમારી રાશિ થી આઠમા ભાવમાં થશે.આઠમો ભાવ અજ્ઞાત ભાવ હોય છે.એવામાં રહસ્યમયકેતુ ગોચર 2025 નું આઠમા ભાવમાં જવું તમારા માટે ઉતાર-ચડાવ થી ભરેલા પરિણામ લઈને આવશે.આ દરમિયાન તમને અચાનક પૈસા ના લાભ પણ થઇ શકે છે અને શારીરિક સમસ્યાઓ પણ પરેશાન કરી શકે છે.કેતુ ના આ ગોચર દરમિયાન તમને પિત્ત જનિત સમસ્યા અને ગુપ્ત સમસ્યાઓ પરેશાન કરી શકે છે.શરીર માં પિત્તત્વ ની પ્રકૃતિ વધવાથી થોડી સમસ્યાઓ થઇ શકે છે.કેતુ ગ્રહના આ ગોચર ના પ્રભાવ થી તમારું મન અધીયાત્મ,ધર્મ,સાધના,માં વધારે લાગશે.તમારું જ્ઞાન જ્યોતિષ માં વધારે લાગી શકે છે અને તમે જ્યોતિષ શીખવા માટે પણ પ્રયાસરથ રહી શકો છો.આ સમય આત્મચિંતન માટે ઉપયોગી રહેશે પરંતુ ભૌતિક સુખ સુવિધાઓમાં કમી આવશે.આ દરમિયાન તમારી સાથે સાથે તમારા જીવનસાથી ને પણ પરેશાની નો સામનો કરવો પડી શકે છે.તમારે તમારા ખાવા-પીવા ઉપર ધ્યાન આપવું જોઈએ અને પારિવારિક ગતિવિધિ માં નિયમિત રીતે દખલ કરવી જોઈએ.એવી પણ સંભાવના છે કે આ દરમિયાન સસુરાલ પક્ષ ના લોકોને તમારી મદદ ની જરૂરત પડશે.

ઉપાય : તમારે કેતુ નો શુભ પ્રભાવ મેળવા માટે લહસુનિયા પથ્થર નું દાન કરવું જોઈએ.

કુંભ રાશિફળ

કુંભ રાશિના લોકો માટે કેતુ નો આ ગોચર સાતમા ભાવમાં થવા જઈ રહ્યો છે જે લાંબી ભાગીદારી અને લગ્ન નો ભાવ પણ છે.આ સ્થિતિ માં કેતુ નો આ ગોચર તમારા દાંપત્ય જીવન માટે અનુકુળ રેહવાની સંભાવના નથી.તમારે બહુ સાવધાનીઓ રાખવી પડશે કારણકે આ ગોચર દરમિયાન તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે ઘણીવાર કહાસુની,તણાવ,ટકરાવ અને આપસી ટકરાવ થઇ શકે છે.તમારા જીવનસાથી ઉપર તમને થોડો શક થઇ શકે છે કારણકે તમને લાગશે કે ઘણી વાત તમારા થી એ છુપાવી રહ્યા છે અને એમને લાગશે કે એ સમજવા નથી માંગતા.આ વિરોધાભાસ તમારી વચ્ચે દૂરીઓ વધારી શકે છે એટલા માટે તમારે સંતુલિત રૂપથી જીવનચર્યા નું પાલન કરવું જોઈએ અને પોતાના જીવનસાથી ની પણ સમજવો જોઈએ.વેવસાય કરતા લોકો માટે પણ આ ગોચર અનુકુળ નથી.એવામાં પોતાની ગતિવિધિઓ ને નિયંત્રણ રૂપથી રાખીને પોતાના વેવસાય ના કામકાજ ને આગળ વધારો અને કોઈ અનુભવી ખાસ વ્યક્તિ ની સલાહ લઈને કામ કરવાથી તમને લાભ થઇ શકે છે.આ ગોચર દરમિયાન તમારા જીવનસાથી વધારે પુજા પાઠ કરવાવાળા બની શકે છે.

ઉપાય : તમારે મંગળવાર ના દિવસે કાળા-સફેદ તિલ નું દાન કરવું જોઈએ.

મીન રાશિફળ

કેતુ ગોચર તમારા માટે છથા ભાવમાં થવા જઈ રહ્યો છે.કેતુ ગોચર 2025સામાન્ય રીતે છથા ભાવમાં કેતુ નો ગોચર અનુકુળ પરિણામ દેવાવાળો હોય છે,છતાં પણ તમારે ઘણી વાતો નું ધ્યાન રાખવુંજ પડશે.એકબાજુ કેતુ ના આ ગોચર ના પ્રભાવ થી શારીરિક સમસ્યાઓ તમને તમારી ચપેટ માં લઇ શકે છે અને એને શોધવું પણ સેહલું નહિ હોય એટલે એક કરતા વધારે ડોક્ટર ની સલાહ ની જરૂરત પડી શકે છે કારણકે શુરુઆત માં રોગ પકડ માં નહિ આવે.આવી સ્થિતિ માં તમારે થોડું સાવધાન રેહવું જોઈએ.કેતુ ના આ ગોચર ના પ્રભાવ થી તમારા ખર્ચા માં વધારો થશે.તમે ઘણા એવા ખર્ચ કરશો જે તમારી આવક કરતા વધારે હોય શકે છે એટલે તમારે સંતુલિત રેહવું પડશે.નોકરી કરતા લોકો માટે આ ગોચર સારો રહેશે.તમને તમારા કાર્યક્ષેત્ર માં સફળતા મળશે અને વેપાર કરતા લોકોને નવા સ્ત્રોત મળવાની સંભાવના છે.જીવનસાથી ને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે.તમારે તમારા સબંધ ને સંભાળવો પડશે.કેતુ નો આ ગોચર તમારા કામમાં સંઘર્ષ અને રુકાવટ પછી સફળતા અપાવશે.

ઉપાય : કેતુ મહારાજ ની કૃપા મેળવા માટે તમારે કંબલ નું દાન કરવું જોઈએ.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે કેતુ ગોચર 2025 તમારા જીવનમાં સુખ અને પ્રગતિ લાવે અને તમે જીવનમાં ક્યારેય નિરાશ ન થાઓ. અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. 2025 માં કેતુ ગોચર ક્યારે થશે?

કેતુ ગોચર ની વાત કરીએ તો 18 મે 2025 થી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે અને આ આખું વર્ષ કેતુ ગોચર સિંહ રાશિમાંજ રહેશે.

2. વર્ષ 2025 માં કેતુ નો ગોચર કઈ રાશિમાં થશે?

વર્ષ 2025 માં કેતુ નો ગોચર સિંહ રાશિમાં થશે.

3. કેતુ જનિત સમસ્યાઓ કઈ છે?

કેતુ કમજોર હોવાથી વ્યક્તિને હાડકા,પગ,પેસાબ,કુતરા નું ખાવું,કાન,શુગર,હર્નિયા,ગુપ્તાંગ,અને આકસ્મિક સમસ્યાઓ થઇ શકે છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 399/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer