ગુરુ ગોચર 2025

ગુરુ ગ્રહ ને ગુરુ અને દેવગુરુ ના નામથી ઓળખવામાં આવે છે.આને વૈદિક જ્યોતિષ માં સૌથી વધારે શુભ ગ્રહ ની માન્યતા મળેલી છે.એવી માન્યતા છે કેગુરુ ગોચર 2025પોતાની પાંચમી,સાતમી અને નવમી દ્રષ્ટિ થી જે ભાવ ને જોશે એની ઉપર એમની અમૃત જેવી નજર એ ભાવ ના ફળ માં સારો વધારો કરી શકે છે.દેવગુરુ ગુરુ શુક્ર ના આધિપત્ય વાળી વૃષભ રાશિ માં પાછળ ના વર્ષ થી ગોચર કરી રહ્યો છે.દેવગુરુ ગુરુ શુક્ર ના આધિપત્ય વાળી વૃષભ રાશિમાં પાછળ ના વર્ષ થી ગોચર કરે છે અને હવે 15 મે 2025 ના દિવસે વૃષભ રાશિ થી નીકળીને સવારે 2 વાગીને 30 મિનિટે બુધ ની સ્વામિત્વ વાળી મિથુન રાશિમાં ગોચર કરશે.

ગુરુ ગોચર 2025

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

ગુરુ નો આ ગોચર લગભગ 13 મહિના સુધી એક રાશિમાં હોવાના કારણે આ શનિ પછી બીજો મંદ ગતિ થી ચાલવાવાળો ગ્રહ છે.ગુરુ ગ્રહ ને દેવતાઓ નો ગુરુ પણ કહેવામાં આવે છે.આ કુદરતી રૂપથી શુભ ગ્રહ છે.આના સિવાય આ ધનુ રાશિ અને મીન રાશિ નો સ્વામી છે.ગુરુ કર્ક રાશિમાં પોતાની ઉચ્ચ અવસ્થા માં હોય છે છતાં મકર રાશિમાં પોતાની નીચ અવસ્થા માં માનવામાં આવે છે.એક અનુકુળ ગુરુ લોકોના જીવનમાં બાળક,સુખ,ભવન,પૈસા,સમૃદ્ધિ,સારું લગ્ન જીવન,વગેરે આપે છે અને લોકોને સમાજ માં સમ્માન આપે છે.

Click here to read in English: Jupiter Transit 2025

વર્ષ 2025 દરમિયાન દેવગુરુ ગુરુ મે મહિનામાં મિથુન રાશિમાં ગોચર કરશે.19 ઓક્ટોમ્બર 2025 ની બપોરે 12 વાગીને 57 મિનિટે ગુરુ મહારાજ મિથુન રાશિ થી નીકળીને ચંદ્રમા ના સ્વામિત્વ વાળી કર્ક રાશિમાં પ્રવેશ કરશે જેમાં એ એમની ઉચ્ચ અવસ્થા માં હોય છે અને આજ કર્ક રાશિમાં 11 નવેમ્બરે 2025 ની સાંજે 06 વાગીને 31 મિનિટે ગુરુ મહારાજ વક્રી થઇ જશે અને પછી વક્રી અવસ્થા માં 4 ડિસેમ્બર 2025 ના રાત ના સમયે 8 વાગીને 39 મિનિટ મિથુન રાશિ માં એકવાર ફરીથી પ્રવેશ કરશે.આ રીતે વર્ષ 2025 દરમિયાન દેવગુરુ ગુરુ વૃષભ રાશિ માંથી નીકળીને મિથુન રાશિ,પછી મિથુન રાશિમાંથી નીકળીને કર્ક રાશિમાં અને પછી કર્ક રાશિ માંથી નીકળીને વક્રી અવસ્થા માં મિથુન રાશિમાં પ્રવેશ કરશે.

આ દરમિયાન જયારે ગુરુ નો મિથુન રાશિમાં ગોચર હશે તો 9 જુન 2025 ની સાંજે 4 વાગીને 12 મિનિટ થી ગુરુ અસ્ત અવસ્થા માં આવશે જેને ગુરુ તારા ડૂબવું પણ કહેવામાં આવે છે અને 9 જુલાઈ 2025 ની રાતે 10 વાગીને 50 મિનિટ આ પોતાની ઉદય અવસ્થા માં આવશે જેને ગુરુ તારા ઉદય પણ કહેવામાં આવે છે.

ગુરુ ની અસ્ત થવાની અવસ્થા અનુકુળ નથી માનવામાં આવતી અને આ દરમિયાન બધાજ કામો ને કરવાની ના હોય છે કારણકે ગુરુ બધાજ કામો ને કરવાનો છે.એમના અસ્ત હોવા પાર કામો પર જેમકે લગ્ન,વગેરે શુભ કામો પર રોક લાગી જાય છે.

મિથુન રાશિમાં આવીને ગુરુ મિથુન રાશિ વાળા માટે ખાસ રૂપથી પ્રભાવશાળી ગ્રહ બની જશે અને ત્યાંથી તુલા રાશિ,પોતાની ધનુ રાશિ અને કુંભ રાશિ પર પોતાની અમૃત સમાન નજર નાખશે જેનાથી નહિ ખાલી આ રાશિ વાળા ને અપિતુ બીજી રાશિના લોકોના જીવન માં અલગ પ્રકારના શુભાશુભ પ્રભાવ જોવા મળી શકે છે.

ગુરુ મહારાજ એક શુભ ગ્રહ છે જે લોકોના જીવનમાં શુભતા લઈને આવે છે.આ અમને સામાજિક માન્યતાઓ,ધર્મ અને અધીયાત્મ સાથે જોડે છે અને અમારી અંદર ધર્મ ની વૃદ્ધિ કરાવે છે.આ અમને સાચા,ખરાબ ને પાઠ ભણાવે છે અને જણાવે છે કે જીવનમાં અમને અમારા સંસ્કારો અને સંસ્કૃતિ નું સંયોજન રાખીને જીવનમાં શાંતિ રાખવી જોઈએ કોઈપણ પ્રકાર ની સમસ્યા નો સામનો કરવા માટે અમે તૈયાર છીએ.ગુરુ ગોચર દરમિયાન આ ખાસ લેખ માં તમે એ જાણશો કે ગુરુ ગોચર 2025 ના તમારી રાશિ મુજબ તમારા જીવનમાં કઈ રીત નો પ્રભાવ પડશે,તમારા જીવનના ક્યાં ખાસ જગ્યા એ ગુરુ ગોચર ની તમારી રાશિ પ્રમાણે સારા કે ખરાબ પ્રભાવ જોવા મળી શકે છે.એની સાથેજ તમે એ પણ જાણી શકશો કે ગુરુ ગ્રહ ની અનુકુળતા મેળવા માટે તમારે આ વર્ષે ક્યાં ઉપાય કરવા જોઈએ.તો ચાલો આગળ વિસ્તાર થી જાણીએ કે ગુરુ ગોચર 2025 નો તમારી રાશિ માટે શું પ્રભાવ હશે.

મેષ રાશિફળ

મેષ રાશિ માં ગુરુ દેવ ભાગ્ય સ્થાન એટલે નવમા ભાવ અને વ્યય સ્થાન એટલે કે દ્રાદશ ભાવ નો સ્વામી છે અને મિથુન રાશિમાંગુરુ ગોચર 2025 હોવા થી તમે ધર્મ-કર્મ ના કામો માં આગળ આવીને ભાગ લેશો.ધાર્મિક યાત્રાઓ બહુ થશે.મિત્રો ની મદદ તમારી સાથે રહેશે અને એમની સાથે સારી સારી જગ્યા એ ફરવા જશો.થી આ તમારી રાશિ થી ત્રીજા ભાવમાં ગોચર કરશે.ગુરુ ના આ ગોચર ના પ્રભાવ થી તમારી અંદર આળસ માં વધારો થશે જેનાથી તમે તમારા કામને ટાળતા રેહશો અને આનાથી તમારે તમારા કાર્યક્ષેત્ર માં અને જીવનમાં બીજી જગ્યા એ રુકાવટ નો સામનો કરવો પડી શકે છે એટલા માટે તમારે આ સમસ્યાઓ થી બચવા માટે પોતાની આળસ ને ત્યાગી ને બહુ મેહનત કરવી જોઈએ.તમારા ભાઈ-બહેન સાથે તમારા સબંધ મજબુત થશે.આનાથી તમને ખુશી મહેસુસ થશે.વેવસાય માં ઉન્નતિ નો યોગ બનશે.ગુરુ મહારાજ ની નજર સાતમા,નવમા અને એકાદશ ભાવ ઉપર હોવાથી વેપારમાં ઉન્નતિ થશે,અંદર ની સમસ્યાઓ દૂર થશે.વેવસાય મોટો થઇ શકે છે અને આવક માં પણ વધારા નો યોગ બનશે.સામાજિક ડાયરા માં વધારો થશે.સમાજ માં તમારું માન-સમ્માન વધશે.પિતા સાથે સબંધ મધુર થશે.19 ઓક્ટોમ્બરે જયારે ગુરુ કર્ક રાશિમાં થોડા સમય માટે આવશે ત્યારે પરિવારમાં ખુશીઓ અને પુજા જેવા શુભ કામો કે કોઈના લગ્ન વગેરે કામો પુરો થશે.એના પછી ડિસેમ્બર ના મહિનામાં ગુરુ વક્રી અવસ્થા માં જયારે ત્રીજા ભાવમાં જશે ત્યારે ભાઈ-બહેનો સાથે સબંધ માં કડવાહટ વધી શકે છે અને કાર્યક્ષેત્ર ના સહકર્મીઓ નો સ્વભાવ તમને પરેશાન કરી શકે છે એટલે તમારે સાવધાન રેહવું પડશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે સારી ગુણવતા વાળો પીળા કલર નો પુખરાજ અથવા સુનહલા પથ્થર સોનાની વીંટી માં બનાવીને પોતાની તર્જની આંગળીમાં પહેરો.

વૃષભ રાશિફળ

વૃષભ રાશિના લોકો માટે ગુરુદેવ ને આઠમા ભાવ અને એકાદશ ભાવ નો સ્વામી માનવામાં આવે છે અને મિથુન રાશિમાં ગુરુ નો ગોચર થવાથી આ તમારી રાશિના બીજા ભાવમાં પ્રવેશ કરશે.ગુરુ ના આ ગોચર ના પ્રભાવ થી તમારી વાણી માં ગંભીરતા આવશે.લોકો તમારી વાતો ને ધ્યાન થી સાંભળશે અને એને માન-સમ્માન આપશે.લોકો તમારી પાસેથી સલાહ માંગશે.પારિવારિક જીવનમાં સુખ-સંતુષ્ટિ રહેશે પરંતુ પૈસા ભેગા કરવામાં સમસ્યાઓ આવી શકે છે.પરંતુ,તમે તમારી આવક નો થોડો ભાગ બચત કરવામાં ઉપયોગ કરી શકો છો.અહીંયા થી ગુરુ ની નજર છથા ભાવ,આઠમા ભાવ અને દસમાં ભાવ ઉપર રહેશે જેનાથી પિતૃ ના વેપારમાં ઉન્નતિ થશે.તમે તમારા પરિવાર સાથે વેપાર કરશો તો ખાસ ઉન્નતિ મળવાના યોગ બનશે.નોકરી કરતા લોકોને પણ સારા નફા ના યોગ બનશે.તમે ધર્મ-કર્મ તો કરશો,સસુરાલ પક્ષ સાથે સબંધ મજબુત થશે અને એનાથી લાભ અને એ પ્રકારની મદદ મળી શકે છે.વિરોધીઓ થી તમને કોઈ નુકશાન નહિ થાય.ઓક્ટોમ્બર ના મહિનામાં જયારે ગુરુ મહારાજ કર્ક રાશિમાં આવશે ત્યારે તમારા ત્રીજા ભાવ ને પ્રભાવિત કરશે જેનાથી ધાર્મિક યાત્રાઓ નો યોગ બનશે અને પરિવારના લોકોંની મદદ અને પ્રેમ મળશે.કાર્યક્ષેત્ર માં સ્થિતિ સારી હશે પરંતુ ડિસેમ્બર ના મહિનામાં જયારે વક્રી અવસ્થા માં 4 તારીખ ને ગુરુ ફરીથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો વાણી ની પરેશાની તમને કામો માં અસફળતા અપાવી શકે છે.પરિવારમા થોડું અસંતુલન આવી શકે છે અને પૈસા ભેગા કરવામાં માં સમસ્યા આવી શકે છે.ઘરમાં કોઈનો જન્મ થઇ શકે છે અથવા કોઈના લગ્ન પણ થઇ શકે છે.

ઉપાય : તમારે ગુરુવાર ના દિવસે પીપળ ના ઝાડ ને અડ્યા વગર પાણી ચડાવું જોઈએ.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મિથુન રાશિફળ

મિથુન રાશિ માટે ગુરુ દેવ સાતમા ભાવ અને દસમા ભાવ નો સ્વામી ગ્રહ છે.મિથુન રાશિમાં ગુરુ નો ગોચર તમારા માટે ખાસ રૂપથી પ્રભાવશાળી રહેશે કારણકે આ તમારીજ રાશિ માં ગોચર કરશે.અહીંયા હાજર દેવગુરુ ગુરુ ની નજર તમારા પાંચમા ભાવ,સાતમા ભાવ અને નવમા ભાવ ઉપર રહેશે જેનાથી બાળક સબંધિત સુખદ સમાચાર મળશે.જો તમે બાળક પ્રાપ્તિ ની ઈચ્છા રાખો છો તો તમારી આ ઈચ્છા પુરી થઇ શકે છે.વિધા અધ્યન કરવામાં સફળતા મળશે.શિક્ષા માં ગમેતેવા પરિણામ મળશે અને તમને અભ્યાસ કરવાની ઈચ્છા થશે.લગ્ન ના યોગ બનશે.જો તમારા લગ્ન નથી થયા તો તમારા લગ્ન થઇ શકે છે.શાદીશુદા લોકોના લગ્ન જીવનમાં સમસ્યાઓ ઓછી થશે અને અંદર ની સમજણ સારી થશે જેનાથી લગ્ન જીવન નું સુખ મળશે.વેપારમાં ઉત્તમ ઉન્નતિ નો યોગ બનશે.સમાજમાં મોટા લોકો અને ઈમાનદાર લોકો સાથે તમારી મુલાકાત થશે જેનાથી તમારા વેપારમાં સારો નફો અને ઉન્નતિ મળશે.ધાર્મિક કામો માં તમને સફળતા મળશે.તમારું નસીબ ઉન્નતિ કરશે અને તમારી પરેશાનીઓ માં કમી આવશે.ઓક્ટોમ્બર ના મહિનામાં ગુરુ મહારાજ બીજા ભાવમાં જઈને પૈસા સબંધિત સમસ્યાઓ ને દુર કરશે અને તમારા કામમાં વધારે સફળતા નો યોગ બનાવશે.ડિસેમ્બર ના મહિનામાં વક્રી અવસ્થા માં તમારી રાશિમાં ગુરુ નું આવવું આરોગ્ય સમસ્યા ને જન્મ આપી શકે છે છતાં લગ્ન સબંધો અને વેપારમાં ઉતાર-ચડાવ ની સ્થિતિ નો યોગ બનશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે કોઈ મંદિર માં ચણા ની દાળ નું દાન કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

કર્ક રાશિફળ

કર્ક રાશિ ના લોકો માટે ગુરુ મહારાજ છથા ભાવ અને નવમા ભાવ નો સ્વામી છે.ગુરુ ગોચર 2025 મુજબ આ તામરી રાશિ થી દ્રાદશ ભાવ માં પ્રવેશ કરશે.આ રીતે ગુરુ નું દ્રાદશ ભાવ માં જવું તમારા સારા કામમાં પૈસા ખર્ચ કરવાની પ્રવૃત્તિ ને વધારશે.તમે પુજા પાઠ,ધર્મ,અધિયાત્મિક તીર્થ યાત્રાઓ અને સારા કામો ઉપર છતાં સમાજ ના ફાયદા માં ઘણા સારા કામ કરશો અને એની ઉપર પૈસા ખર્ચ કરશો.આનાથી નહિ ખાલી તમને માનસિક સંતુષ્ટિ મળશે પરંતુ સમાજ માં પણ તમને સમ્માનિક નજર થી જોશે.ધાર્મિક યાત્રાઓ અને લાંબી યાત્રાઓ ના પ્રબળ યોગ બનશે.જો તમે દિલ થી મેહનત કરી રહ્યા છો તો તમને વિદેશ જવાનો પણ મોકો મળશે અને તમે આમાં સફળતા મેળવશો.આ દરમિયાન તમારે તમારા શરીર પર ધ્યાન આપવું પડશે.ગુરુ મહારાજ ની નજર તમારા ચોથા,છથા અને આઠમા ભાવ ઉપર રહેશે જેનાથી તમારા થોડા ખર્ચ વધશે.અને તમે ઘરના વિષય માં ખુશી મહેસુસ કરશો સસુરાલ માંથી પણ સારા સમાચાર મળશે.ઓક્ટોમ્બર માં જયારે ગુરુ મહારાજ તમારી રાશિ માં પ્રવેશ કરશે ત્યારે તમારા માટે સોના ઉપર સુહાગા નો સમય આવશે.તમને ઉત્તમ શિક્ષા,ઉત્તમ પૈસા,બાળક,લગ્ન જીવન અને વેપાર,નસીબ વગેરે માં સારા પરિણામ મળશે છતાં નસીબ તમને રાજયોગ બરાબર પરિણામ આપશે.ડિસેમ્બર માં વક્રી અવસ્થા માં ગુરુ દ્રાદશ ભાવ માં આવવાથી આરોગ્ય સમસ્યાઓ અને ખર્ચા ને વધારી શકે છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ જી ની ઉપાસના કરો.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક ગુરુ રિપોર્ટ

સિંહ રાશિફળ

સિંહ રાશિના લોકો માટે ગુરુ તમારા પાંચમા ભાવ અને આઠમા ભાવ નો સ્વામી છે.ગુરુ ગોચર 2025 મુજબ ગુરુ મહારાજ તમારી રાશિ માંથી એકાદશ ભાવમાં પ્રવેશ કરશે.આ તમારા માટે સારી સફળતા નો સમય હશે.આર્થિક ચુનોતીઓ પુરી થવા લાગશે અને પૈસા નો રસ્તો સહેલો થશે.તમારી પાસે સારી આવક આવવા લાગશે.પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ દુર થશે.ત્યાં બેઠેલા ગુરુ મહારાજ ની નજર તમારા ત્રીજા ભાવ,પાંચમા ભાવ અને સાતમા ભાવ ઉપર રહેશે જેનાથી અવીવહિત લોકો માટે લગ્ન ના યોગ બનશે.પ્રેમ સબંધો માં પ્રગધતા આવશે.બાળક ની પ્રગતિ થશે.જો તમારી બાળક પ્રાપ્તિ ની ઈચ્છા છે તો એ પણ આ સમયે પુરી થશે.શિક્ષા માં તમને ઉત્તમ સફળતા મળશે.અચાનક પૈસા ના લાભ નો યોગ બનશે.કોઈપણ સંપત્તિ જો વિરાસત માં મળે તો એ તમને મળી શકે છે.ગુપ્ત પૈસા મળી શકે છે.ભાઈ-બહેનો માટે પણ આ સમય અનુકુળ રહેશે અને એમની સાથે તમારા સબંધ મધુર રહેશે.ઓક્ટોમ્બર માં જયારે ગુરુ મહારાજ દ્રાદશ ભાવમાં કર્ક રાશિમાં ગોચર કરશે ત્યારે શારીરિક સમસ્યાઓ વધશે.તમારા ખર્ચ માં વધારો થશે અને ડિસેમ્બર માં જયારે વક્રી અવસ્થા માં એકાદશ ભાવમાં આવશે ત્યારે પૈસા ની પ્રાપ્તિ માટે તમારે કઠિન પ્રયાસ કરવા પડશે.મન ની ઈચ્છા પુર્તિ માં વિલંબ થઇ શકે છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે પોતાના માથા ઉપર હળદર અથવા કેસર નો ચાંદલો કરો.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ

કન્યા રાશિફળ

કન્યા રાશિના લોકો માટે ગુરુ ચોથા ભાવ અને સાતમા ભાવ નો સ્વામી છે.મિથુન રાશિ માં ગુરુ ગોચર 2025 દરમિયાન ગુરુ ગ્રહ તમારી રાશિ માંથી દસમાં ભાવમાં પ્રવેશ કરશે.આ દરમિયાન તમને કાર્યક્ષેત્ર માં થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.તમે વધારે આત્મવિશ્વાસ નો શિકાર પણ થઇ શકો છો જેનાથી તમારા બનતા કામ અટકી જશે.તમારે કાર્યક્ષેત્ર માં સમજદારી અને ચતુરાઈ થી કામ લેવું જોઈએ.જે કામ તમને નથી આવડતું એની જિમ્મેદારી લેતા શીખો અને એ કામને શીખી ને આગળ વધો.પારિવારિક જીમ્મેદારીઓ ને નિભાવા માટે તમારે આગળ આવવું પડશે કારણકે આ સમય તમારી જિમ્મેદારી નિભાવા નો સમય હશે.અહીંયા થી ગુરુ મહારાજ તમારા બીજા,ચોથા અને છથા ભાવને જોશે.જેનાથી પૈસા ભેગા કરવા માટે તમારી મેહનત વધશે.પારિવારિક સબંધ ને મીઠા બનાવા માટે તમે તમારી તરફ થી કોઈ કામ બાકી નહિ રાખો.માતા-પિતા ના આરોગ્ય માં સારો સુધારો જોવા મળશે.પરિવારના લોકોમાં આપસી પ્રેમ અને સ્નેહ ની ભાવના રહેશે.વિરોધીઓ થી તમને કોઈ પરેશાની નહિ થાય.ઓક્ટોમ્બર મહિનામાં ગુરુ મહારાજ તમારા એકાદશ ભાવમાં પ્રવેશ કરશે તો તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે.વૈવાહિક સબંધો માં પ્રગાઢતા આવશે અને પ્રેમ સબંધ મીઠા બનશે.બાળક નું સુખ મળશે.વક્રી અવસ્થા માં ડિસેમ્બર માં ગુરુ મહારાજ એકવાર ફરીથી દસમા ભાવમાં આવશે તો આ દરમિયાન તમને કાર્યક્ષેત્ર માં બહુ સાવધાની રાખવાની જરૂરત પડશે.

ઉપાય : તમારે ગુરુવાર ના દિવસે દેશી ઘી કોઈપણ મંદિર માં દેવું જોઈએ.

તુલા રાશિફળ

ગુરુ ગોચર ની વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે ગુરુ તમારા માટે ત્રીજા ભાવ અને છથા ભાવ નો સ્વામી છે અને ચાલુ ગોચર કાળ માં તમારા નવમા ભાવમાં પ્રવેશ કરશે.નવમા ભાવમાં ગુરુ નો ગોચર તમારી ધાર્મિક માન્યતાઓ ને વધારશે.તમે ધર્મ-કર્મ ના કામ માં આગળ આવીને ભાગ લેશો.ધાર્મિક અને તીર્થ યાત્રાઓ કરશો.તમને સંઘર્ષ કર્યા પછી અને વધારે મેહનત કર્યા પછીજ સફળતા મળશે અને ત્યારેજ તમારું કામ થશે.જેટલી વધારે તમારી મેહનત હશે એટલા સારા પરિણામ તમને મળશે.ભાઈ-બહેન ની મદદ પછી તમારા કામમાં તેજી આવશે.અહીંયા હાજર ગુરુ મહારાજ તમારી રાશિ ઉપર એટલે તમારા પેહલા,ટ્રીન અને પાંચમા ભાવ ઉપર નજર નાખશે જેનાથી તમને શિક્ષા અને ઉચ્ચ શિક્ષા માં સારા પરિણામ મળશે.બાળક નું સુખ મળી શકે છે.બાળક પ્રાપ્તિ નો યોગ બની શકે છે.ધર્મ-કર્મ માં સફળતા મળશે અને પરિવારના લોકો સાથે સબંધ શાંતિપુર્ણ રહેશે.ઓક્ટોમ્બર માં ગુરુ નું દસમા ભાવમાં જવાથી કાર્યક્ષેત્ર માં થોડી અલગ સ્થિતિ બનશે.વધારે આત્મવિશ્વાસ ના શિકાર થી બચો.વક્રી અવસ્થા માં ગુરુ ડિસેમ્બર માં તમારા નવમા ભાવમાં પ્રવેશ કરશે ત્યારે કામમાં રુકાવટ આવી શકે છે અને પિતાજી ને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે.

ઉપાય : તમારે ગુરુવાર નું વ્રત રાખવું જોઈએ.

વૃશ્ચિક રાશિફળ

વૃશ્ચિક રાશિના લોકો માટે ગુરુ બીજા અને પાંચમા ભાવ નો સ્વામી છે.ગુરુ ગોચર 2025 તમારા માટે આઠમા ભાવમાં ગોચર થવા જઈ રહ્યો છે.આ ગોચર ને વધારે અનુકુળ નથી માનવામાં આવતો એટલે તમારે સાવધાની રાખવી પડશે.તમારે કાર્યક્ષેત્ર માં થોડી મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે.બનેલા કામ અટકી શકે છે.ભલે તમે ધાર્મિક કામો માં સારો અનુભવ મહેસુસ કરો અને તમને સારા અધિયાત્મિક અનુભવ હોય પરંતુ પૈસા સબંધિત વિષય માં તમારે પરેશાની ઉઠાવી પડી શકે છે.પૈસા નું નુકશાન થઇ શકે છે.આરોગ્ય માં ગિરાવટ તમને પરેશાની આપી શકે છે.અહીંયા હાજર ગુરુ મહારાજ તમારા દ્રાદશ ભાવ,બીજા ભાવ અને ચોથા ભાવ ઉપર નજર નાખશે જેનાથી સસુરાલ માં શુભ સમાચાર જોવા મળી શકે છે.તમારા ખર્ચ માં વધારો થશે વિદેશ યાત્રા નો યોગ બની શકે છે.અચાનક ક્યારેક-ક્યારેક પૈસા ની પ્રાપ્તિ થઇ શકે છે.આના કરતા વધારે પરિવાર માં સસુરાલ ના લોકોની દખલગીરી વધી શકે છે.ઓક્ટોમ્બર માં ગુરુ મહારાજ નું નવમા ભાવમાં ગોચર થી બધાજ કામોમાં સફળતા મળશે.નસીબ મજબુત થશે અને તમે સફળતા મેળવશો.નોકરીમાં બદલાવ થઇ શકે છે અને બીજી નોકરી સારી ઉન્નતિ સાથે મળી શકે છે.વક્રી અવસ્થા માં ગુરુ મહારાજ ડિસેમ્બર માં એકવાર ફરીથી આઠમા ભાવમાં પ્રવેશ કરશે એ દરમિયાન પૈસા અને આરોગ્ય નું ખાસ ધ્યાન રાખવું પડશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે શ્રી રામ રક્ષા સ્ત્રોત નો પાઠ જરૂર કરો.

ધનુ રાશિફળ

ધનુ રાશિના લોકો માટે ગુરુ મહારાજ બહુ મહત્વપુર્ણ છે કારણકે આ તમારી રાશિના સ્વામી હોવાની સાથે સાથે તમારા ચોથા ભાવ એટલે કે તમારા સુખ ભાવ નો સ્વામી છે અને ગુરુ નો ગોચર તમારી રાશિ માંથી સાતમા ભાવમાં થશે.આ ગોચર તમારા લગ્ન જીવન માટે મધુરતા નો સમય લઈને આવશે.તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે અનબન ઓછો થશે અને પ્રેમ વધશે.એકબીજા માટે જિમ્મેદારી નિભાવા નો ભાવ અને સમર્પણ ની ભાવના વધશે.જો તમે કોઈ વેપાર કરો છો તો એમાં પણ તમને સારી સફળતા મળી શકે છે.જમીન સાથે જોડાયેલી કોઈ જુની ઈચ્છા પુરી થઇ શકે છે.તમે સંપત્તિ અર્જિત કરી શકો છો.અહીંયા થી ગુરુ મહારાજ તમારા એકાદશ ભાવ,પેહલાભાવ અને બીજા ભાવ ને જોશે જેનાથી યાત્રાઓ માં લાભ થશે તમારી આવક માં વધારો અને તેજી જોવા મળી શકે છે.તમારી નિર્ણય લેવાની આવડત સારી હશે જેનાથી તમને ફાયદો થશે.ઓક્ટોમ્બર માં જયારે ગુરુ મહારાજ આઠમા ભાવમાં જશે ત્યારે તમને અધિયાત્મિક અનુભવ થઇ શકે છે.સસુરાલ પક્ષ તરફ થી કોઈ સારા સમાચાર મળી શકે છે.વક્રી અવસ્થા માં ગુરુ મહારાજ ડિસેમ્બર માં સાતમા ભાવમાં ફરીથી આવી જશે ત્યારે લગ્ન સબંધ માં આપસી શાંતિ ની કમી તમને પરેશાન કરી શકે છે અને વેપાર માં પણ ધ્યાન દેવાની જરૂરત પડશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ચાલુ કરીને ગુરુ મહારાજ ના બીજ મંત્ર નો જાપ કરો.

મકર રાશિફળ

મકર રાશિના લોકો માટે ગુરુ મહારાજ ત્રીજા ભાવ અને દ્રાદશ ભાવ નો સ્વામી છે અને ગુરુ ગોચર 2025 તમારી રાશિ માંથી છથા ભાવમાં હશે.આ ગોચર તમને ખાસ રૂપે સાવધાન રેહવાની સુચના આપે છે કારણકે આ ગોચર દરમિયાન જયારે એકબાજુ તમને તમારી નોકરીના સારા પરિણામ મળશે ત્યાં તમારે આરોગ્ય સમસ્યા નો સામનો કરવો પડશે.પેટ અને એસીડીટી,અપચ,પાચન તંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓ અને વસા જનિત સમસ્યાઓ કે કોલોસ્ટ્રોલ નું વધવું જેવી પરેશાની નું કારણ બની શકે છે.આ દરમિયાન ખર્ચ માં પણ વધારો થશે.તમે તમારી આળસ ને છોડશો ત્યારેજ તમને સફળતા મળશે.વિરોધી માથું ઉપાડવાની કોશિશ કરી શકે છે પરંતુ ઓક્ટોમ્બર માં જયારે ગુરુ મહારાજ સાતમા ભાવમાં પ્રવેશ કરશે એ બધા ની ઉપર તમે વિજય મેળવશો.આર્થિક સમૃદ્ધિ થશે.જીવનસાથી નો સહયોગ મળશે.તમારી નિર્ણય લેવાની આવડત પણ પ્રબળ હશે અને તમારો વેવસાય પણ ઉન્નતિ કરશે.નોકરીમાં પણ ઉન્નતિ ના પ્રબળ યોગ બનશે.એના પછી વક્રી અવસ્થા માં ગુરુ ના ડિસેમ્બર મહિનામાં ફરીથી છથા ભાવમાં આવવાથી આરોગ્ય સમસ્યાઓ પર ધ્યાન દેવાની જરૂરત પડશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગોળ અને ચણા ની દાળ થી કેળા ના ઝાડ ની પુજા કરો.

કુંભ રાશિફળ

કુંભ રાશિના લોકો માટે ગુરુ મહારાજ બીજા અને અગિયારમા ભાવ નો સ્વામી છે.ગુરુ ગોચર 2025 તમારી રાશિ માંથી પાંચમા ભાવમાં જઈ રહ્યો છે.આ ગોચર તમને પૈસા નો પ્રબળ યોગ આપશે.તમારી આર્થિક સમૃદ્ધિ થશે.યોજનાઓ માં સફળતા મળશે.મનપસંદ ઈચ્છા થશે.તમારી આવક માં બહુ વધારે નફો થવાનો યોગ બનશે.જો તમે નોકરીમાં બદલાવ કરવા માંગો છો તો તમને આ દરમિયાન મળી જશે અને એક સારી નોકરી પણ મળી જશે જેમાં તમને સારો પગાર અને તરક્કી મળશે.અહીંયા થી ગુરુ મહારાજ તમારા નવમા,એકાદશ અને પેહલા ભાવ ને જોશે અને તમારી અંદર સારા સંસ્કારો માં વધારો કરશે.તમારા બાળક પણ સંસ્કારી બનશે.શિક્ષા માં તમને ઉત્તમ સફળતા મળશે.ઉચ્ચ શિક્ષા માં પણ તમને સફળતા મળશે.તમે પૈસા કમાવા માટે તત્પર રેહશો.બાળક સાથે જોડાયેલી શુભ સૂચના તમને મળશે.તમારી આરોગ્ય સમસ્યા માં કમી આવશે.નિર્ણય લેવાની આવડત પ્રબળ થશે.ઓક્ટોમ્બર ના મહિનામાં ગુરુ મહારાજ છથા ભાવમાં આવશે ત્યારે આરોગ્ય સમસ્યાઓ વધી શકે છે અને તમારા ખર્ચ માં પણ તેજી આવશે.એના પછી જયારે ગુરુ મહારાજ વક્રી અવસ્થા માં પાંચમા ભાવમાં ડિસેમ્બર ના મહિનામાં આવશે,ત્યારે તમને પ્રેમ સબંધો માં આવનારી સમસ્યાઓ માટે જાગરૂક રેહવું જોઈએ અને આર્થિક ચુનોતીઓ છતાં આરોગ્ય સમસ્યાઓ પ્રત્ય ધ્યાન દેવાની જરૂરત પડશે.આ દરમિયાન નોકરીમાં ઉતાર-ચડાવ આવી શકે છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત નો પાઠ કરો.

મીન રાશિફળ

ગુરુ ગોચર તમારા માટે ખાસ રૂપે મહત્વપુર્ણ રહેશે કારણકે ગુરુ મહારાજ તમારી રાશિના સ્વામી હોવાની સાથે સાથે તમારા કર્મ ભાવ એટલે દસમા ભાવ નો સ્વામી પણ છે અનેગુરુ ગોચર 2025 તમારી રાશિ માંથી ચોથા ભાવમાં થવાનો છે.ગુરુના આ ગોચર થી જ્યાં એકબાજુ થોડા ઉતાર-ચડાવ જોવા મળશે અને આપસી શાંતિ ની કમી જોવા મળશે.ત્યાં તમે તમારા કાર્યક્ષેત્ર માં સારી સફળતા અર્જિત કરી શકશો.તમે બહુ મેહનત કરશો.પુરા ધ્યાન થી પોતાના કામને કરશો જેનાથી તમારા પ્રદશન માં સુધારો આવવાનો યોગ બનશે.ગુરુ અહીંયા બેસીને તમારા આઠમા ભાવ,દસમા ભાવ અને દ્રાદશ ભાવ માં જોશે જેનાથી ખર્ચા માં વધારો થશે.પરંતુ ખર્ચ સારા કામમાં થશે.તમારી આવક માં વધારો કરશે અને સસુરાલ પક્ષમાંટે પણ સારો સમય રહેશે.આ લોકોને આ દરમિયાન થોડા સારા પરિણામ મળી શકે છે.તમે કામકાજ માટે એક શહેર થી બીજા શહેર માં જઈ શકો છો અને કામકાજ માટે યાત્રા ના યોગ પણ બનશે.ઓક્ટોમ્બર ના મહિનામાં ગુરુ મહારાજ જયારે પાંચમા ભાવમાં ગોચર કરશે ત્યારે એ સમય બાળક અને આર્થિક સમૃદ્ધિ માટે સારો રહેશે.પ્રેમ સબંધો માં પણ સફળતા નો સમય રહેશે.એના પછી વક્રી થઈને જયારે ગુરુ મહારાજ એક્વાર ફરીથી ચોથા ભાવમાં ડિસેમ્બર માં પ્રવેશ કરશે ત્યારે પારિવારિક સમસ્યાઓ વધી શકે છે.પરિવારના લોકોની વચ્ચે અસંતુલન સમસ્યા નું મોટું કારણ બની શકે છે.અને તમારે કાર્યક્ષેત્ર માં બહુ મેહનત કરવી પડશે,ત્યારેજ તમને સફળતા મળશે.

ઉપાય : તમારે ગુરુવાર ના દિવસે ગુરુ મહારાજ ના બીજ મંત્ર નો જાપ કરવો જોઈએ.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે ગુરુ ગોચર 2025 તમારા જીવનમાં ખુશીઓ અને પ્રગતિ લાવે અને તમે જીવનમાં ક્યારેય નિરાશ ન થાઓ. અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. ગુરુ ગોચર ક્યારે થશે?

15 મે 2025 ના દિવસે વૃષભ રાશિ માંથી નીકળીને સવારે 2 વાગીને 30 મિનિટે બુદ્ધના સ્વામિત્વ વાળી મિથુન રાશિ માં ગોચર કરશે.

2. ગુરુ એક રાશિ માં કેટલા દિવસ સુધી રહે છે?

ગુરુ ગ્રહ એક રાશિ માં અંદાજે 13 મહિના સુધી રહે છે.જો ગુરુ વક્રી અવસ્થા માં છે તો આ સમય વધારે વધી શકે છે.

3. ગુરુ ગ્રહ ની રાશિઓ કઈ છે?

ગુરુ ગ્રહ ધનુ અને મીન રાશિ નો સ્વામી છે.

4. ગુરુ ક્યાં ભાવ માં શુભ ફળ આપે છે?

ગુરુ ની પેહલા,બીજા,પાંચમા અને સાતમા ભાવમાં સ્થિતિ શુભતા,આશાવાદ,પૈસા,રચનાત્મક અને શાંતિપુર્ણ સબંધ લાવે છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 399/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer