ધન તેરસ 2021 - ધનવંતરીની તારીખ, પૂજા સમય અને મહત્વ - (Dhanteras 2021 in Gujarati)
"ભારત તહેવારો ના દેશ છે."
આ કથન દરેક વર્ષ શિયાળા ની શરૂઆત ના સાથે વાસ્તવમાં બલદતા જાવામાં આવે છે. શિયાળાની શરૂઆત સાથે, વિવિધતાથી ભરપૂર આપણો દેશ ભારત જશ્ન માં ડૂબી જાય છે કારણ કે તહેવારો ની એક લાંબી લિસ્ટ આ મોસમ માં આપણા રાહ જોઈ રહી છે. બજારની ઉલ્લાસ, ઝગમગાટ, ખરીદારી, મીઠાઈઓ, કપડાં, મેળાઓ અને જશ્ન, ભરત આવી રીતે શિયાળામાં આખા વશ્વમાં જોવામાં આવે છે અને તે બધા એક ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર એટલે કે ધનતેરસથી શરૂ થાય છે. આ તહેવાર પછી જ દેશભરમાં લગભગ 5 દિવસની દીપાવલી ની શરૂઆત થાય છે.
આજે અમે તમને આ લેખમાં ધનતેરસ સાથે જોડાયેલી દરેક મહત્વપૂર્ણ માહિતી આપવાના છીએ. આ લેખ દ્વારા તમને ધનતેરસનું મહત્વ, વિશેષ યોગ, તિથિ, પૂજા વિધિ, શુભ મુહુર્ત વગેરે વિશેની માહિતી મળશે. ઉપરાંત, આ લેખમાં, અમે તમને ધનતેરસના દિવસે તમારી રાશિ અનુસાર કઈ વસ્તુઓ ખરીદવી તમારા માટે શુભ રહેશે તેની માહિતી આપવા જઈ રહ્યા છીએ. ચાલો પહેલા જાણીએ કે વર્ષ 2021 માં ધનતેરસ ક્યારે છે.
જીવન માં પરેશાની ચાલી રહી છે! સમાધાન જાણવા માટે પ્રશ્ન પૂછો
વર્ષ 2021 માં ધન તેરસ ક્યારે છે?
દર વર્ષે ધનતેરસનો તહેવાર હિંદુ પંચાંગ મુજબ કાર્તિક માસ ના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે એટલે કે વર્ષ 2021માં ધનતેરસનો તહેવાર 02 નવેમ્બર, મંગળવારના રોજ ઉજવવામાં આવશે.
ધન તેરસ મુહુર્ત : સાંજે 06:18 વાગ્યે થી રાતે 08:11 સુધી
અવધિ : 01 કલાક 52 મિનિટ
પ્રદોષ કાળ : સાંજે 05:35 થી રાતે 08:11 સુધી
વૃષભ કાલ : સાજે 06:18 થી રોતે 08:14 સુધી
આવો હવે અમે તમને આ ધનતેરસમાં બનવા વાળા ખાસ યોગો વિશે માહિતી આપીએ, જેમાં ધનતેરસના દિવસે ખરીદી કરવાથી તમને ફાયદો થશે.
આ ધનતેરસ જ્યોતિષી દૃષ્ટિ થી પણ વિશેષ છે
આ વર્ષે એટલે કે વર્ષ 2021 માં ધનતેરસના દિવસે બે વિશેષ યોગ બની રહ્યા છે જે આ તહેવાર ની શુભતામાં વધુ વધારો કરી રહ્યા છે. આ બે યોગ છે ત્રિપુષ્કર યોગ અને લાભ અમૃત યોગ.
ત્રિપુષ્કર યોગ : આ વિશેષ યોગને 'ત્રિપુષ્કર યોગ' કહેવામાં આવે છે. ત્રિપુષ્કર યોગ બારમાં તિથિ અને મંગળ ના સંયોગ થી બને છે. વર્ષ 2021 ની ધનતેરસ મંગળવારે પડી રહી છે પરંતુ મંગળવારે બારમી તિથિ 11.30 વાગ્યે પૂરી થશે. આ જ કારણ છે કે 02 નવેમ્બરે સવારે 11.30 વાગ્યા સુધી 'ત્રિપુષ્કર યોગ' ના નિર્માણ થઈ રહ્યો છે.
લાભ અમૃત યોગ : આ દિવસે 'લાભ અમૃત યોગ' નો પણ નિર્માણ થઈ રહ્યો છે. જો સવારે 10:30 વાગ્યે થી બપોરે 1:30 વાગ્યે સુધી રહેશે. લાભ અમૃત યોગમાં ખરીદી કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આવી સ્થિતિમાં, ધનતેરસના દિવસે, તમે આ બે યોગોના સમયગાળાની વચ્ચે ખરીદી કરીને લાભ મેળવી શકો છો. ચાલો હવે તમને જણાવીએ કે ધનતેરસનું શું મહત્વ છે.
કરિયર વિશે પરેશાન છો! તો હવે ઓર્ડર કરો કોગ્નિએસ્ટ્રો રિપોર્ટ
ધનતેરસ નું મહત્વ
સનાતન ધર્મમાં ધનતેરસને એક મહત્વનો તહેવાર માનવામાં આવે છે. આ તહેવારની કડી સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે. માન્યતાઓ અનુસાર જ્યારે અમૃતની પ્રાપ્તિ માટે દેવતાઓ અને અસુરો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું, ત્યારે આ સમુદ્ર મંથનથી ભગવાન ધન્વંતરિનો જન્મ હાથમાં અમૃતનો કલશ લઈને થયો હતો. ભગવાન ધન્વંતરિને દેવતાઓના ડોક્ટર પણ કહેવામાં આવે છે. અને આ વિશેષ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ભગવાન ધનવંતરી ધનતેરસના તહેવારને સંપૂર્ણ શ્રદ્ધા અને નિયમો સાથે ઉજવનારા ભક્તોને માત્ર ધન, ઐશ્વર્ય, સુખ અને સમૃદ્ધિ જ નથી આપતા, પરંતુ ભક્તોને સ્વાસ્થ્યનું વરદાન પણ આપે છે. આ દિવસે ભગવાન ધનવંતરીનો જન્મ અમૃત કલશ સાથે થયો હતો તેથી આ દિવસે વાસણો ખરીદવાની પણ પરંપરા છે. માન્યતાઓ અનુસાર આ દિવસે વાસણો ખરીદવાથી ધનમાં 13 ગણો વધારો થાય છે. જો કે, આ દિવસે સોનું, ચાંદી અને અન્ય વસ્તુઓ ખરીદવાની પણ પરંપરા છે. ભગવાન ધન્વંતરીની સાથે આ દિવસે ભગવાન કુબેર, માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાનો પણ નિયમ છે.
આ ઉપરાંત ધનતેરસના દિવસે મૃત્યુના દેવતા યમને દીવો દાન કરવાની પણ પરંપરા છે. માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન યમને દીવો દાન કરવાથી ભક્તોનું અકાળ મૃત્યુ થતું નથી. પદ્મ પુરાણમાં આપેલા એક શ્લોક મુજબ ~
યમદીપં બહિર્દદ્યાદપમૃત્યુર્વિનશ્યતિ।।
બીજા શબ્દમાં કહીએ તો :
કાર્તિક મહીના ના કૃષ્ણ પક્ષ ની ત્રિયોદશી ના દિવસે ભગવાન યમ ને દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થાય છે.
જો કે, દેશના ઘણા ભાગોમાં દીપદાન નરક ચતુર્દશી ના દિવસે પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, ધનતેરસનો પવિત્ર તહેવાર ભક્તોને સંપત્તિ સાથે સ્વાસ્થ્ય પ્રદાન કરે છે પરંતુ તેમને અકાળ મૃત્યુના ભયથી પણ મુક્ત કરે છે. આ જ કારણ છે કે સનાતન ધર્મમાં ધનતેરસનું ઘણું મહત્વ છે. ચાલો હવે તમને ધનતેરસની પૂજા વિધિ વિશે માહિતી આપીએ.
ધનતેરસ પૂજા વિધિ
સૌથી પહેલા ધનતેરસના દિવસે સાંજે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી શુભ મુહુર્ત માં ઉત્તર ની દિશામાં ભગવાન ધનવંતરિ અને ભગવાન કુબેર ના સાથે માં લક્ષ્મી અને ભગવાશ ગણેશ ની મૂર્તીની સ્થાપ્ના કરો. આ પછી ભગવાનની સામે દીવો પ્રગટાવો. તેમને તિલક કરીને ફૂલ અને ફળ અર્પણ કરો. આ દિવસે ભગવાન ધન્વંતરીને પ્રસન્ન કરવા માટે તેમને સફેદ રંગની મીઠાઈઓ ચઢાવો. બીજી તરફ ભગવાન કુબેરને પીળો રંગ પસંદ છે. આવી સ્થિતિમાં, તમારે તેમને પીળા રંગની મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ. ભગવાન કુબેરને પ્રસન્ન કરવા માટે, તેમનું ધ્યાન કરતી વખતે 'ઓમ હ્રીં કુબેરાય નમઃ' નો જાપ કરો. આ પછી ભગવાન ધન્વંતરીનું સ્મરણ કરીને ધન્વંતરી સ્તોત્રનો પાઠ કરો. ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા પણ વિધિનુસાર કરો.
ધનતેરસના દિવસે દીવાનું દાન કરવાની પણ પરંપરા છે. આવી સ્થિતિમાં, ચાલો હવે તમને દીપ દાનની વિધિ જણાવીએ.
તમારી કુંડળીમાં કોઈ દેષ છે? જાણવા માટે હવે ખરીદો એસ્ટ્રોસેજ બૃહત્ કુંડળી
આ વિધિ થી ધનતેરસ ના દિવસે દીવો દાન કરો
ધનતેરસના દિવસે યમદેવતાને દીવો દાન કરવો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ કામ હંમેશા પ્રદોષ કાળમાં કરવું જોઈએ. આ દિવસે પ્રદોષ કાળમાં સૌથી પહેલા ઘઉંના લોટમાંથી મોટો દીવો કરવો. આ પછી, કપાસની બે બાતી એકબીજા પર એવી રીતે રાખો કે દીવો ચારમુખી દેખાય, એટલે કે બંને કપાસની બાતીના ચારે છેડા બહારની તરફ હોય. પછી આ દીવામાં તલનું તેલ ભર્યા પછી તેમાં થોડા કાળા તલ નાખો. રોલી, ફૂલ અને અક્ષતથી દીપકની પૂજા કરો અને તેને પ્રગટાવો. આ પછી તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર ઘઉં અથવા ઘીલનો નાનો ઢગલો કરો. આ પછી, દક્ષિણ દિશા તરફ જોઈને, આ દીપકને તે થાંભલા પર સ્થાપિત કરો. દક્ષિણ તરફ વળો અને ભગવાન યમનું સ્મરણ કરતી વખતે 'ઓમ યમદેવાય નમઃ' મંત્રનો જાપ કરો અને ભગવાન યમને પ્રણામ કરો.
ચાલો હવે અમે તમને એ પણ જણાવી દઈએ કે તમારી રાશિ પ્રમાણે આ ધનતેરસના દિવસે તમારા માટે શું ખરીદવું શુભ રહેશે.
ધનતેરસના દિવસે રાશિ અનુસાર ખરીદો આ વસ્તુઓ
મેષ : મેષ રાશિના લોકોનો સ્વામી ગ્રહ મંગળ છે. આ ધનતેરસ પર તમારે પિતળ અથવા તેનાથી બનેલી કોઈપણ વસ્તુ ખરીદવી જોઈએ. આનાથી તમને સ્વાસ્થ્ય લાભ મળશે. ઉપરાંત, તમે કોઈપણ પ્રકારના પૈસાની ખોટથી સુરક્ષિત રહી શકશો.
વૃષભ : વૃષભ રાશિ ના જાતકો ના સ્વામી ગ્રહ શુક્ર છે. આ ધનતેરસ વૃષભ રાશિના જાતકો માટે ઇલેક્ટ્રિક ઉપકરણ અથવા વાહન ખરીદવું શુભ સાબિત થઈ શકે છે. આ પવિત્ર તહેવારમાં તમે કપડા પણ ખરીદી શકો છો. તેનાથી તમારા જીવનમાં ચાલી રહેલી પારિવારિક સમસ્યાઓનો અંત આવશે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સંવાદિતામાં વધારો થશે.
મિથુન : મિથુન રાશિ ના જાતકો ના સ્વામી ગ્રહ બુધ છે. આ ધનતેરસ પર તમારે કાંસાની બનેલી વાસણ અથવા કોઈપણ વસ્તુ ખરીદવી જોઈએ. તેનાથી તમારા બાળકના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે અને તે પ્રગતિના પંથે આગળ વધશે.
કર્ક : કર્ક રાશિ ના જાતકો ના સ્વમી ગ્રહ ચંદ્ર છે. કર્ક રાશિના લોકોએ ધનતેરસમાં પિત્તળ અથવા સોનાની બનેલી કોઈપણ વસ્તુ ખરીદવી જોઈએ. આના કારણે તેમના જીવનમાં ધનલાભનો યોગ બનશે અને સાથે જ અટકેલા કામમાં ઝડપ આવશે.
સિંહ : સિંહ રાશિ ના સ્વામી ગ્રહ સૂર્ય છે. આ રાશિના લોકોએ ધનતેરસના શુભ તહેવાર પર તાંબાનું વાસણ ખરીદવું જોઈએ અને તેમાં પાણી ભરીને પોતાના ઘરે લાવવું જોઈએ. આ કાર્યથી સિંહ રાશિના લોકોને સ્વાસ્થ્ય લાભ તો મળશે જ પરંતુ તેમની સંપત્તિમાં પણ વધારો થશે.
કન્યા : કન્યા રાશિ ના સ્વામી ગ્રહ બુધ છે. આ ધનતેરસ પર કન્યા રાશિના જાતકોએ કેટલાક ઈલેક્ટ્રીકલ ઉપકરણ ખરીદવું જોઈએ અને તેને પોતાના ઘરે લાવવું જોઈએ. આ તમારા જીવનમાં ચાલી રહેલી નાણાકીય કટોકટીને હલ કરશે.
તુલા : તુલા રાશિ ના સ્વામી ગ્રહ શુક્ર છે. આ રાશિના લોકોને આ વર્ષે ધનતેરસના અવસર પર કાંસાની વસ્તુ ખરીદવાની સલાહ છે. આ કારણે તુલા રાશિના જાતકોને વ્યાવસાયિક જીવનમાં પ્રગતિ મળશે. આ સાથે તમે આર્થિક રીતે પણ મજબૂત રહેશો.
વૃશ્ચિક : વૃશ્ચિક રાશિ ના સ્વામી ગ્રહ મંગળ છે. વૃશ્ચિક રાશિના જાતકોને આ ધનતેરસ પર ચાંદી ખરીદવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકશો.
ધનુ : ધનુ રાશિ ના સ્વામી ગ્રહ બૃહસ્પતિ છે. આ ધનતેરસ ધનુ રાશિના જાતકોને તાંબાની બનેલી વસ્તુ ખરીદવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી સમાજમાં તેમનું નામ, સન્માન અને કીર્તિ વધશે.
મકર : મકર રાશિ ના સ્વામી ગ્રહ શનિ છે.મકર રાશિના લોકો માટે આ વર્ષ ધનતેરસ પર કાંસાની વસ્તુ ખરીદવી સારી સાબિત થઈ શકે છે. તેનાથી તેમના જીવનમાં ચાલી રહેલી પારિવારિક સમસ્યાઓનો અંત આવશે અને પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.
કુંભ : કુંભ રાશિ ના જાતકો ના સ્વામી ગ્રહ શનુ છે.કુંભ રાશિના જાતકોને સલાહ આપવામાં આવે છે કે આ વર્ષે ધનતેરસ પર ચાંદીનું વાસણ ખરીદો અને તેમાં પાણી ભરીને ઘરે લઈ જાઓ. આનાથી તેમને માનસિક શાંતિ તો મળશે જ પરંતુ પૈસા મળવાની શક્યતાઓ પણ ઉભી થશે.
મીન : મીન રાશિ ના સ્વામી ગ્રહ બૃહસ્પિત છે. આ રાશિના લોકોને આ ધનતેરસ પર તાંબાની બનેલી કોઈપણ વસ્તુ ખરીદવાની સલાહ આપવામાં આવે છે. આનાથી તેમની કારકિર્દીમાં વધારો થશે. તે જ સમયે, વિવાહિત જીવનમાં ચાલી રહેલી કોઈપણ સમસ્યા અથવા અવરોધનો નાશ થશે.
અમને આશા છે કે તમને અમારો આ લેખ પસંદ આવ્યો હશે. આવી સ્થિતિમાં, તમારે આ લેખ તમારા અન્ય શુભેચ્છકો સાથે જરૂર શેર કરો. આભાર!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Venus Transit In Gemini: Embrace The Showers Of Wealth & Prosperity
- Mercury Direct in Cancer: Wealth & Windom For These Zodiac Signs!
- Rakshabandhan 2025: Saturn-Sun Alliance Showers Luck & Prosperity For 3 Zodiacs!
- Sun Transit August 2025: Praises & Good Fortune For 3 Lucky Zodiac Signs!
- From Chaos To Control: What Mars In Virgo Brings To You!
- Fame In Your Stars: Powerful Yogas That Bring Name & Recognition!
- August 2025 Overview: Auspicious Time For Marriage And Mundan!
- Mercury Rise In Cancer: Fortunes Awakens For These Zodiac Signs!
- Mala Yoga: The Role Of Benefic Planets In Making Your Life Comfortable & Luxurious !
- Saturn Retrograde July 2025: Rewards & Favors For 3 Lucky Zodiac Signs!
- मित्र बुध की राशि में अगले एक महीने रहेंगे शुक्र, इन राशियों को होगा ख़ूब लाभ; धन-दौलत की होगी वर्षा!
- बुध कर्क राशि में मार्गी, इन राशि वालों का शुरू होगा गोल्डन टाइम!
- मंगल का कन्या राशि में गोचर, देखें शेयर मार्केट और राशियों का हाल!
- किसे मिलेगी शोहरत? कुंडली के ये पॉवरफुल योग बनाते हैं पॉपुलर!
- अगस्त 2025 में मनाएंगे श्रीकृष्ण का जन्मोत्सव, देख लें कब है विवाह और मुंडन का मुहूर्त!
- बुध के उदित होते ही चमक जाएगी इन राशि वालों की किस्मत, सफलता चूमेगी कदम!
- श्रावण अमावस्या पर बन रहा है बेहद शुभ योग, इस दिन करें ये उपाय, पितृ नहीं करेंगे परेशान!
- कर्क राशि में बुध अस्त, इन 3 राशियों के बिगड़ सकते हैं बने-बनाए काम, हो जाएं सावधान!
- बुध का कर्क राशि में उदित होना इन लोगों पर पड़ सकता है भारी, रहना होगा सतर्क!
- शुक्र का मिथुन राशि में गोचर: जानें देश-दुनिया व राशियों पर शुभ-अशुभ प्रभाव
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025